આપણો દેશ સંસ્કૃતિનો દેશ છે જેમાં ઘણા ધર્મો નું પાલન કરવામાં આવે છે.એમાં વધારે હિન્દૂ ધર્મમાં પૂજા અર્ચના,વ્રત,ઉપવાસ નું ઘણું મહત્વ છે.જેમાં મોટાભાગે એ સ્ત્રીઓ જ વ્રત કરતી હોય છે.જોકે સ્ત્રીઓ પોતાના પરિવાર ઘર ને સુખી રાખવા માટે બધું જ કરે છે.દરેક વ્રત કરે છે.નવદુર્ગ આઠમું સ્વરૂપ દેવી મહાગૌરી. પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે મહાગૌરીના સ્વરૂપ ઉપાસના કરી. શ્વેતવર્ણી શ્વેત વસ્ત્રો ધર્મી સ્વરૂપ, સુલભ અને મોહક રૂપરેખાની શક્તિ દ્વારા આ શક્તિ પૂજાતિ ભક્તિની મુશ્કેલીઓ થાય છે.
હા આ વાત સાચી છે કે પરણિત મહિલાએ પોતાના સુહાગની શુભકામના અને સુખ સમૃદ્ધી માટે હંમેશા વ્રત, માનતા રાખે છે. અને દેવી-દેવતાઓની પૂજા પણ નિયમિત રીતે કરે છે. પરણિત મહિલાઓ સૌથી વધુ દેવી પાર્વતીની અનેક રીતે પૂજા કરે છે. જેમાં કાલી, દુર્ગા, ગૌરી અને આદીશક્તિ હોય છે. પરંતુ પરણિત મહિલાઓ દેવી પાર્વતીની એક એવા રૂપની પૂજા કરવાથી ડરે છે. તેની પૂજા ભૂલથી પણ કરવા માગતી નથી. કારણ ઘણું ચોંકાવનારુ છે.
ખાસ કરીને મહિલાઓ દેવી પાર્વતીનું એક રૂપ જેમાં તે વિધવા રૂપ ધારણ કરેલા દેખાય છે. પરણિત મહિલાઓ એ ડરથી જ તેમની પૂજા નથી કરતી કેમ કે તેને તેમની પૂજાથી વિધવા થવાનો ડર રહે છે. દેવી પાર્વતીના આ સ્વરૂપને ધુમાવતીના નામથી ઓળખવામાં આવે છે. જેઠ મહિનાની આઠમ ઉપર તેનું અવતરણ માનવામાં આવે છે.
દેવી પાર્વતી કેવી રીતે થયા વિધવા – વાર્તા
દેવી પાર્વતીનું વિધવા સ્વરૂપ એટલે ધુમાવતી દેવીની વાર્તા જાણવા જેવી છે. એક વાર્તા મુજબ એક વખત દેવી પાર્વતીને ઘણી વધુ ભૂખ લાગે છે. ભૂખથી દુઃખી થઈને દેવી પાર્વતી ભગવાન શિવને કાંઈક ખાવા માટે લાવવાનું કહે છે. ત્યારે ભગવાન શિવ તેને થોડો સમય ભૂખ સહન કરવાનું કહે છે અને ભોજનની શોધમાં નીકળી પડે છે.ઘણે દુર જવા છતાં પણ શિવજી ભોજનની વ્યવસ્થા નથી કરી શકતા. દેવી પાર્વતીની ભૂખ વધતી જાય છે. પોતાની ભૂખને કાબુમાં ન રાખતા તે ભગવાન શિવજીને ખાઈ જાય છે.
જેવા જ પાર્વતી ભગવાન શિવજીને ગળી જાય છે, તેનું સ્વરૂપ એક વિધવા જેવું થઇ જાય છે. તે ઉપરાંત શિવના ગળામાં ઝેરની અસરથી દેવી પાર્વતીનું આખું શરીર ધુમાડા જેવું થઇ ગયું. તેનું આખું શરીર શૃંગાર વિહીન થઇ ગયું. ત્યારે શિવજીએ પોતાની માયાથી પાર્વતીને કહે છે કે તમે મને ગળી ગયા એટલે તમે હવે વિધવા થઇ ગયા છો. જેને કારણે તમારું એક નામ ધુમાવતી પણ રહેશે.માતાનું આ સ્વરૂપ ઘણું જ બિહામણું છે. વિધવા સ્વરૂપ હોવાથી માતાના આ રૂપની પૂજા પરણિત મહિલાઈ કરવાનું પસંદ કરતી નથી. તેના દર્શન દુરથી જ કરે છે.
માતા ધુમાવતીનું રૂપ અત્યંત ભયંકર છે અને આ રૂપ શત્રુઓનો સંહાર કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર શંકર ભગવાનને ખાઈ જવાથી માતા પાર્વતી વિધવા થઈ ગયા આજ કારણે માતા ધુમાવતીનું આ સ્વરૂપ વિધવાનું છે. કેશ વિખેરાયેલા છે. માતાએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. તેમના કેશ ખુલ્લા છે. તેમના રથ પર કાગડાનું ચિહ્ન છે. માતાએ હાથમાં સુપડુ ધારણ કર્યુ છે. કાગડો માતાનુ વાહન હોવાથી ભયંકર લાગે છે.