આપણે બધાં આપણા ઘર, શાળા, કોલેજ અથવા ઓફિસમાં પંખાનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે તે ઠંડક આપવાનું કામ કરે છે. પંખાનો ઉપયોગ સદીઓ જૂનો છે. જે હજી પણ મોટાભાગના ઘરોમાં ઉપયોગી છે. જો કે આજકાલ તે એર કન્ડીશનીંગના કારણે ઓછા થઈ ગયા છે. પરંતુ મધ્યમ વર્ગના કુટુંબમાં અને ઘણી જગ્યાએ હજી પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય સંસદમાં પણ સામાન્ય સ્થાનોની જેમ છત નીચે પંખાનો ઉપયોગ કરવામાં આવે છે.ગરમીથી બચવા માટે પંખા, કુલર અને એસી વગેરેનો ઉપયોગ થાય છે. પણ ભારતમાં તો પંખા જ સુધી વધારે પ્રમાણમાં વપરાય છે.
આપણે જ્યાં બેસી આપણું કામ કરીએ છીએ, ત્યાં ઠંડક બની રહે એટલા માટે આપણે પંખા વાપરીએ છીએ. અને આ પંખાનો ઉપયોગ આપણે ત્યાં સદીઓથી થઇ રહ્યો છે. અને તે આજે પણ મોટાભાગના ઘરોમાં ઉપયોગી છે. જોકે આજકાલ કુલર અને એરકંડિશનર હોવાને કારણે મોટા શહેરોમાં એનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે. છતાં પણ મધ્યમ વર્ગના પરિવારમાં અને બીજી ઘણી જગ્યાઓએ પંખા શાનથી લગાવેલા હોય છે અને ઉપયોગ પણ થાય છે અને સામાન્ય જગ્યાઓની જેમ આપણા ભારતીય સંસદમાં પણ સીલિંગ ફેનનો વપરાશ થાય છે. પરંતુ અહીંની એક વાત વિચિત્ર છે કે, અહીં પંખા સાધારણ રીતે લાગ્યા નથી હોતા. સંસદ ભવનમાં પંખાને ઉંધા લગાવેલા હોય છે. શું તમે જાણો છો કે, સંસદ ભવનમાં કેમ ઊંધા પંખા લગાવેલા હોય છે? એની પાછળનું રહસ્ય પણ કંઈ ખાસ અને રસપ્રદ છે, જે દરેક ભારતીયને ખબર હોવું જોઈએ.
સંસદ ભવનમાં કેમ લગાવેલા છે ઊંધા પંખા?મિત્રો જયારે પણ તમે ભારતીય સંસદનો કોઈ પણ વિડીયો, ફોટો કે ન્યુઝ ચેનલ પર બતાવવામાં આવતી સંસદને ધ્યાનથી જોશો, તો તમને જોવા મળશે કે સંસદ ભવનમાં પંખા છત પર નહીં પણ થાંભલા બનાવીને એની પર ઊંધા લગાવવામાં આવ્યા છે. તો શું તમે કયારેય એવું કરવા પાછળ કારણ વિચાર્યુ છે? કે ક્યારેય તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે એવું શા માટે કર્યું છે? જો નહીં તો આજે અમે તમને એની સાથે જોડાયેલા એક ઊંડા રહસ્ય વિષે જાણકારી આપીશું, જે ઘણી જ રસપ્રદ છે.
મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, ભારતીય સંસદના સેન્ટ્રલ હોલમાં જે મોટા-મોટા પંખા ઊંધા લગાવવામાં આવ્યા છે, એની પાછળનું કારણ એ છે કે, જયારે આ સંસદ બનાવવામાં આવી હતી ત્યારે એનો ગુંબજ ઘણો ઊંચો બનાવવામાં આવ્યો હતો. અને સેન્ટ્રલ હોલનો ગુંબજ જ આખા સંસદમાં મેઈન પોઈન્ટ છે.પછી જયારે ત્યાં પંખા લગાવવાનો સમય આવ્યો ત્યારે છત ઘણી ઊંચી હોવાને કારણે સીલિંગ ફેન લગાવવા ઘણુ મુશ્કેલી વાળું કામ થઈ ગયું. ત્યારબાદ લાંબા દંડા દ્વારા પંખા લગાવવાની વાત થઈ પણ એવું થઈ શક્યું નહીં.
ત્યાં ઘણાં વધારે લાંબા દંડા લગાવવા પણ કોઈને યોગ્ય લાગ્યા નહીં. અને એટલા માટે સેન્ટ્રલ હોલની છતની ઊંચાઈને ધ્યાનમાં રાખીને ત્યાં અલગથી થાંભલા લગાવવામાં આવ્યા. અને એ થાંભલા પર જ ઊંધા પંખા લગાવવામાં આવ્યા. એવું કરવાથી સંસદના ખૂણે ખૂણામાં હવા સારી રીતે ફેલાય જાય છે અને ત્યાં બેસેલા લોકોને ગરમીથી રાહત મળે છે.પણ પાછળથી ત્યાં એસી લગાવવાની વાત થઈ. પરંતુ ભારતીય સંસદના ઊંધા પંખાને ઐતિહાસિક રીતે લાગેલા રાખવાની ઘોષણા કરવામાં આવી. આ ઐતિહાસિકતાને બનાવી રાખવા માટે સંસદમાં પંખાને ઊંધા રાખવાની વાતને આજે પણ માનવામાં આવે છે જે ભારતની સંસદની સૌથી ખાસ અને અલગ વાત છે.
જોકે પછી ત્યાં એસી લગાવવાની વાત થઈ હતી પરંતુ ભારતીય સંસદના વિપરીત પંખાઓને ઐતિહાસિક રીતે ફિટ કરાયેલા જાહેર કરાયા હતા. આ ઐતિહાસિકતા વસ્તુઓને જાળવવા માટે, સંસદમાં ઊંધા ફિટ કરેલા પંખા હજી ધ્યાનમાં લેવામાં આવે છે. જે ભારતની સંસદની સૌથી ખાસ અને અલગ બાબત છે.