ધાર્મિક કથા, ધાર્મિક સ્થાન હિન્દુઓ વચ્ચે ખૂબ મહત્વનું છે કારણ કે એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં દેવો અને દેવીઓ પૃથ્વી પર વસ્યા હતા અને જો જોવા મળે તો પણ આવા ચમત્કારો ક્યાંક જોવા મળે છે જે માનવું અશક્ય છે. દૃષ્ટિકોણ મુજબ, એક ટુચકો હમણાં જ અમારી સામે આવ્યો છે, એ જાણીને કે તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
આની જેમ, તમે હનુમાનજીના ઘણા મંદિરો જોયા હશે, પણ તમને આ મંદિર વિશે જાણીને આશ્ચર્ય થશે, આ મંદિર જબલપુરના ખારી ઘાટ પર સ્થિત છે, આ મંદિરમાં હનુમાન જીની એક ખૂબ જ જૂની પ્રતિમા સ્થાપિત છે, આ મંદિરમાં હનુમાનજીએ શનિદેવને પગ હેઠળ દબાવવામાં આવે છે.જ્યારે રાવણે શનિદેવને કેદમાં રાખ્યો હતો, ત્યારે હનુમાનજીએ શનિદેવને રાવણની પકડમાંથી બચાવી લીધો હતો અને પછી શનિદેવે કહ્યું હતું કે જે હનુમાનજીની પૂજા કરશે તે મારા દુષ્પ્રભાવોથી દૂર રહેશે અને ત્યારબાદથી બજરંગબલીએ શનિદેવને અર્પણ કર્યા તેના પગ નીચે દબાવવામાં આવે છે.
પ્રાચીન લોકોનું માનવું છે કે આ મૂર્તિ 600 વર્ષ જૂની છે અને આ મંદિરમાં હનુમાનજીની મુલાકાત લેનારા દરેક ભક્તોને તે ભક્તના તમામ વેદનાઓથી મુક્તિ મળે છે અને જેની પાસે ઘરની ખામી છે તે પણ આ મંદિરમાં જાય છે. જ્યારે હું હનુમાનજીને આવીને જોએ છે, તો તે વ્યક્તિની ઘરની ખામી દૂર થાય છે.લોકોનું માનવું છે કે, અહીં બજરંગબલિ હજી ખારીઘાટ પર સ્નાન કરવા જાય છે કારણ કે હનુમાન જીની મૂર્તિ વળાંકવાળી રડે છે જે બજરંગબલીના ભીંજાયેલા વાળને દર્શાવે છે, અને આ કોઈ ચમત્કારની કમી નથી.ભારત એક એવો દેશ છે, જ્યાં આસ્થા અને અંધવિશ્વવાસ સાથે જોડાયેલા કેટલાય કિસ્સા છે. અહીં આસ્તિક, નાસ્તિક અને અંધવિશ્વાસ તમામ પ્રકારના લોકો રહે છે.
દેશમાં એવી ઘણી માન્યતાઓ છે, જેને સુધારવામાં માણસ જાતે જ ગૂંચવાય જાય છે. તેવી જ રીતે કિવદંતિયોમાં એક કિસ્સો જબલપુરમાં જોવા મળ્યો. જ્યાં આસ્થા છે તે હનુમાનજી આજે પણ છે અને સ્નાન કર્યા પછી મંદિરમાં આવે છે.રામાયણના એક પ્રસંગ છે કે કળયુગમાં હનુમાનજી ભક્તોના દુઃખ કરશે અને ન્યાય દેવતા શનિ દેવને ન્યાય પ્રદાન કરશે.રામચરિત માનસના લંકા કાંડમાં વાક્ય છે કે, જ્યારે સીતા માતાની શોધમાં હનુમાનજી લંકા ગયા હતા, ત્યારે તેમણે રાવણ દ્વારા બંધક બનાવામાં આવેલા શનિદેવને તેમણે મુક્ત કરાવ્યા હતા.
તેના પછી શનિદેવએ તેમણે વચન આપ્યું હતું કે જે કોઈ હનુમાનજીની પૂજા અર્ચના કરશે, તેને શનિ પ્રકોપથી અથવા દોષ મુક્ત કરી દેશે.હનુમાન ગઢીમાં મળ્યું જીવંત પ્રમાણ,રામચરિત માનસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આજે પણ ગ્વારીઘાટ સ્થિત હનુમાનગઢીમાં બિરાજમાન હનુમાનજીની પ્રતિમા છે. જ્યાં હનુમાનજી પોતાના પગની નીચે શનિદેવને દબાવી રાખ્યા છે.એવું માનવામાં આવે છે કે, આ પ્રતિમાં લગભગ 600 વર્ષ જૂની છે. આ મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે, જ્યોતિષથી કમ નથી, માત્ર અહીં આવવાથી લોકોની સમસ્યા દૂર થઈ જાય છે અને તેમની કુડળીમાં ખરાબ ગ્રહોની દશા દૂર થઈ જાય છે.
પ્રતિમામાં જોવા મળે છે હનુમાનજીના ભીના વાળ,આમ તો હનુમાનજીના ઘણા મંદિરો છે, પરંતુ જબલપુર ખારીઘાટ પર સ્થિત પ્રતિમાની કંઈક અલગ ઓળખાણ છે. આ પ્રતિમામાં હનુમાનજીના ભીના વાળ જોવા મળે છે. પ્રતિમામાં બજરંગ બલીએ શનિદેવને પગની નીચે દબાવીને રાખ્યા છે.સ્નાન કરીને મંદિરમાં દરરોજ આવે છે પવનપુત્રમંદિરના સભ્યો અનુસાર, એવી માન્યતા છે કે, હનુમાનજી મંદિરની જગ્યાએ ફરવા માટે આવે છે અને ખારીઘાટ પર પીપળાના ઝાડ નીચે આવીને ઉભા રહે છે.ખારીઘાટમાં હનુમાનજીની પ્રતિમાં પર વાળને પાણીથી પલડેલા દેખાય છે. તેવું પણ કહેવામાં આવે છે કે અહીંમા લોકોમાં આસ્થા છે કે હનુમાનજી આજે પણ ધરતી પર છે.જો કે, લોકોની આસ્થા અથવા અંધવિશ્વાસ હોય પરંતુ પ્રતિમાની જીવંતતા લોકોને તેના પર વિશ્વાસ કરવા માટે મજબૂર કરે છે.
ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિના નામે ઉજવવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે રામભક્ત હનુમાનને માતા અંજનીએ જન્મ આપ્યો હતો. આ પર્વ પર દેશ-વિદેશમાં આવેલા હનુમાન મંદિરોમાં પૂજન-કિર્તન કરવામાં આવે છે.કળિયુગના એકમાત્ર જાગૃત દેવતા,કળિયુગના એકમાત્ર જાગૃત દેવતા તરીકે પૂજાનારા હનુમાનજીના ઘણા પ્રસિદ્ધ મંદિરો છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે. આજે અમે તમને સમગ્ર દેશના જુદા-જુદા ભાગોમાં આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરો વિશે જણાવવા જઈ રહ્યાં છે જેના દર્શનમાત્રથી દરેક પ્રાણીને તેના તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે.
હનુમાન ભક્તોને નથી નડતો શનિદેવનો પ્રકોપકહેવામાં આવે છે કે, હનુમાનજીની પૂજાથી શનિ દેવના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. જ્યારે હનુમાાનજીએ શનિદેવનું ઘમંડ તોડ્યું હતું ત્યારે સૂર્યપૂત્ર શનિદેવે તેમને વચન આપ્યું હતું કે, તેમના ભક્તોને તેઓ ક્યારેય પીડા નહીં આપે. કન્યા, તુલા, વૃશ્ચિક અને શનિની અઢૈયા વાળા કર્ક, મીન રાશિના જાતકોએ હનુમાન જયંતિ પર વિશેષ પૂજા-આરાધના કરવી જોઈએ. હનુમાનજી ભક્તિ અને શક્તિનું બેજોડ સંગમ છે.
હનુમાન મંદિર, ઈલાહાબાદ (ઉત્તર પ્રદેશ),ઈલાહાબાદના સંગમના કિનારે આવેલા કિલ્લા પાસે આવેલું આ મંદિર સૂતેલા હનુમાનજીની પ્રતિમાવાળું પ્રાચીન મંદિર છે. આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી સૂતેલા છે. આ પ્રતિમા 20 ફૂટ લાંબી છે.હનુમાનગઢી, અયોધ્યા,સરયૂ નદીના કિનારે સ્થિત શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં સૌથી મુખ્ય શ્રીહનુમાન મંદિર, હનુમાનગઢી છે. જમીનથી 60 સીડી ઉપર આવેલું આ મંદિર બહુ વિશાળ છે. હનુમાનગઢીના દક્ષિણમાં સુગ્રીવ ટીલા અને આનંદ ટીલા નામના સ્થળ છે. આ મંદિરની સ્થાપના આશરે 300 વર્ષ પહેલા સ્વામી અભયા રામદાસજીએ કરી હતી.
બાલાજી હનુમાન, સાલાસર,રાજસ્થાનના ચૂરુ જિલ્લાના સાલાસરમાં આવેલા આ મંદિરમાં હનુમાનજી દાઢી અને મૂંછથી સુશોભિત છે. આ મંદિરના સંસ્થાપક મોહનદાસજી હતા. માનવામાં આવે છે કે, હનુમાનજીની આ પ્રતિમા એક ખેડૂતને જમીન ખોદતી વખતે મળી હતી.હનુમાન ધારા, ચિત્રકૂટ,ઉત્તર પ્રદેશના સીતાપુર નજીક આ હનુમાન મંદિર સ્થાપિત છે. પહાડના સહારે હનુમાનજીની એક વિશાળ મૂર્તિના માથા પર બે વિશાળ જળકુંડ છે, જે હંમેશા પાણીથી છલોછલ રહે છે અને તેમાં નિરંતર પાણી વહેતુ રહે છે. આ પાણીની ધારનો હનુમાનજીને નિરંતર સ્પર્શ થતો રહે છે.
સંકટમોચન મંદિર, વારાણસી,વારાણસીમાં આવેલા આ મંદિરના પ્રાંગણમાં હનુમાનજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત છે. એવી માન્યતા છે કે, હનુમાનજીની આ મૂર્તિ ગોસ્વામી તુલસીદાસજીના તપ અને પૂણ્યથી સ્વયંભૂ રીતે પ્રગટ થઈ હતી. મૂર્તિમાં હનુમાનજીની જમણા હાથમાં ભક્તોને અભયદાન કરી રહ્યાં છે અને ડાબો હાથ તેમના હૃદય પર સ્થિત છે.હનુમાન દંડી મંદિર, બેટ દ્વારકા,બેટ દ્વારકાથી ચાર માઈલ દૂર મકર ધ્વની સાથે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. કહેવાય છે કે, પહેલા મકરધ્વજની મૂર્તિ નાની હતી પરંતુ હવે બંને મૂર્તિઓ એકસમાન ઊંચી થઈ ગઈ છે. કેટલાક ધર્મગ્રંથો અનુસાર મકરધ્વજને હનુમાનજીના પુત્ર કહેવામાં આવ્યા છે, જેમનો જન્મ હનુમાનજીના પરસેવાથી એક માછલી દ્વારા થયો હતો.
બાલાજી મંદિર, મેહંદીપુર,રાજસ્થાનના દૌસા જિલ્લાની પાસે બે પહાડની મેહંદીપુર નામનું એક સ્થળ છે. કહેવામાં આવે છે કે, અહીં એક વિશાળ ખડગમાં હનુમાનજીની આકૃતિ આપમેળે ઉભરી આવી હતી. તેને જ હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમના ચરણોમાં નાનકડી કુંડી છે, જેમાં ક્યારેય પાણી ખતમ થતું નથી.ડુલ્યા મારુતિ, પૂના,પૂનાના ગણેશપેઠમં સ્થિત આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ડુલ્યા મારુતિનું મંદિર આશરે 350 વર્ષ જૂનું છે. મૂળરૂપે ડુલ્યા મારુતિની મૂર્તિ એક કાળા પથ્થર પર અંકિત કરવામાં આવી છે. આ મૂર્તિ પાંચ ફૂટ ઊંચી અને અઢીથી ત્રણ ફૂટ પહોળી છે.
કષ્ટભંજન હનુમાન મંદિર, સારંગપુર,અમદાવાદ-ભાવનગર રેલવે લાઈન પર સ્થિત બોટાદ જંક્શનથી સારંગપુર લગભગ 12 માઈલ દૂર છે. મહાયોગિરાજ ગોપાલાનંદ સ્વામીએ આ મૂર્તિની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905 આશ્વિન કૃષ્ણ પંચમીના દિવસે કરી હતી. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું એકમાત્ર હનુમાન મંદિર છે.