દેવુ દિવસે ને દિવસે વધી રહ્યું છે તો કરો આ ઉપાય, દેવું પણ થઈ હશે ગાયબ અને રૂપિયા પણ ચુંબક ની જેમ ખેંચાઈને આવશે…

હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે. તે જીવનમાં ઉભી થઇ રહેલી તમામ તકલીફોને દુર કરી દે છે. હનુમાનજીની પૂજા મંગળવારે કરવી ઘણી જ અસરકારક માનવામાં આવે છે. હનુમાનજીને શ્રીરામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે.

Advertisement

કળયુગમાં પણ હનુમાનજી પોતાના ભક્તો વચ્ચે રહે છે, અને જયારે પણ તેમના ભક્તો તેમને યાદ કરે છે તે એમની સમસ્યા દુર કરે છે. એવું કહેવામાં આવે છે કે બીજા કોઈ દેવી દેવતા તમારા દુ:ખને દુર કરવામાં સમય લગાવી શકે છે. પરંતુ હનુમાનજી આ કામ તરત જ કરી દે છે. હનુમાનજી ભૂત પ્રેત અને તમામ સમસ્યાઓને દુર કરી શકે છે. જો તમને દેવાની સમસ્યા છે તો હનુમાનજીની પૂજાથી આ સમસ્યા માંથી પણ છુટકારો મળી જશે.

દેવું એ કોઈપણ વ્યક્તિ માટે મોટી સમસ્યા છે. દેવામાં ડૂબેલ વ્યક્તિ હંમેશા ચિંતા કરે છે, માનસિક મુશ્કેલીઓમાં રહે છે. ઘણી વખત લોન ચૂકવવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે અને વ્યક્તિ વર્ષોથી દેવાના બોજા હેઠળ રહે છે, જો તમારે કોઈ કારણસર લોન લેવી પડે, તો તમે કેટલીક બાબતોની સંભાળ રાખીને તે દેવું સરળતાથી ચૂકવી શકો છો.મંગળવારનો દિવસે હનુમાનજીની પૂજા માટે સર્વોત્તમ માનવામાં આવે છે.

જો તમે કોઈ પાસેથી દેવું લીધું છે, તો મંગળવારના દિવસે દેવું ઉતારવા માટે સૌથી ઉત્તમ રહેશે. જો કોઈ પાસેથી દેવું લીધું છે તો મંગળવારના દિવસે જ ઉતારો. તેના માટે મંગળવારના રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. ત્યાર પછી હનુમાન મંદિરમાં નારીયેળ મુકો. તેનાથી તમને દેવું ચુકવવા માટે ફાયદો મળશે, અને પછી કોઈ દેવું નહિ લેવું પડે. સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે બુધવાર અને રવિવારના દિવસે કોઈને ઉધાર ન આપો.

જો તમે દેવામાં છો અને તમે ઘણા દિવસો પછી પણ તેની ચુકવણી કરી શકતા નથી, તો તમારે દરરોજ દાળ ચડાવવી જોઈએ, મંગળવારે હનુમાન મંદિરમાં જવું અને પ્રાર્થના કરવી જોઈએ સાથે જ નાળિયેરનું દાન કરવું જોઈએ.તમારા ઘરના મુખ્ય દરવાજા પર લીલી ગણપતિની 2 મૂર્તિઓ મૂકો, મૂર્તિને એવી રીતે મૂકો કે બંને મૂર્તિઓની પીઠ એકબીજા તરફ હોય, જેથી ગણેશજી પાછળથી દેખાઈ ન શકે. વાસ્તુ મુજબ તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશા સાફ રાખો.

જો તમારે કોઈ કામને માટે પૈસા ઉધાર લેવા હોય, તો તમે તેને બુધવારે લઈ શકો છો, આ દિવસે લેવામાં આવેલી લોન સરળતાથી દૂર થઈ જાય છે અને જો તમે કોઈની પાસેથી પૈસા લીધા હોય તો તમારા પર કોઈ પણ પ્રકારની લોનનો ભાર નથી.જો તમે લોનથી પરેશાન છો અને તમામ પ્રયત્નો કર્યા પછી પણ તે લોન ભરપાઈ કરી શકતા નથી, તો બુધવારે થોડા મગને પાણીમાં ઉકાળો, તેમાં થોડો ગોળ અને ઘી મિક્સ કરીને ગાયને ખવડાવો. આ ઉપાય દર બુધવારે નિયમિત કરવો જોઇએ.

દાન જો તમને હંમેશા દેવાની ચિંતા રહે છે અને સંપૂર્ણ રીતે ચૂકવી નથી શકતા, તો મંગળવારના દિવસે દાન કરો. મંગળવારના દિવસે તાંબા, સોના, કેસર, કસ્તુરી, ઘઉં, લાલ ચંદન, લાલ ગુલાબ, સિંદુર, મધ, લાલ ફૂલ, મસુરની દાળ, લાલ કણેર, લાલ મરચું, લાલ પથ્થર, લાલ મૂંગા (એક લાલ રત્ન) વગેરે માંથી કાંઈ પણ તમારી શક્તિ મુજબથી કોઈપણ મંદિરમાં કે કોઈ ગરીબને દાન આપો. તેનાથી તમારી ઘણી સમસ્યાઓ દુર થશે અને સાથે જ દેવા માંથી પણ તમને મુક્તિ મળશે.

લોટનો દીવડો પ્રગટાવો :ઓછામાં ઓછું ૧૧ મંગળવાર સુધી આ ઉપાય તમારે કરવાનો રહેશે. એના માટે લોટને બાંધીને તેને દીવડા જેવો બનાવી દો. ત્યાર પછી તેને વડના પાંદડા ઉપર રાખીને પ્રગટાવો. તેવા પાંચ પાંદડા ઉપર પાંચ દીવડા મુકો અને તેને લઇને હનુમાનજીના મંદિરમાં મૂકી દો. એવું સતત ૧૧ મંગળવાર સુધી કરવાથી તમારી સમસ્યાઓ દુર થશે અને દેવા માંથી છુટકારો મળશે. એ વાતનું ધ્યાન રાખો કે હનુમાનજીની કોઈ પણ પૂજામાં કોઈ પ્રકારની ભૂલ ન થાય.

સરસીયાના તેલનો દીવડોશુક્લપક્ષના કોઈપણ મંગળવારએ આ ઉપાય કરી શકો છો. તેના માટે હનુમાનજીના મંદિરમાં બે દીવડા પ્રગટાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. તેના માટે પહેલા દેશી ઘી નો દીવડો પ્રગટાવો. ત્યાર પછી બીજો ૯ વાટો વાળો એક મોટો દીવડો પ્રગટાવો.

એ વાતનું ધ્યાન રાખશો કે તેમાં સરસીયાનું તેલ હોય અને બે લવિંગ નાખવામાં આવેલા હોય. દીવડો એવી જગ્યાએ પ્રગટાવો જ્યાંથી વધુ હવા ન આવતી હોય, એટલે કે દીવડો રાત આખી સળગતો રહે. ત્યાર પછી નાનો દીવડો પોતાની જમણી તરફ મુકો અને મોટો દીવડો હનુમાનજી સામે મુકો. એવું પાંચ મંગળવાર સુધી સતત કરવાથી તમને આરામ મળશે. હનુમાનજી ઈચ્છે તો તમારે ફરી કોઈ પાસેથી દેવું નહિ લેવું પડે.

ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં જોડાયેલા તમામ દેવાઓ દૂર કરવા માટે  3 મુખી રુદ્રાશ ધારણ કરો. આ સાથે જ ॐ ऋण मुक्तेश्वर महादेवाय’ नम: મંત્રનો જાપ કરો. મંગળવારે પ્રદોષ વ્રત આવે તો વ્રત રાખો. સતત 4 શનિવારને શનિદેવને નમન કરીનો નોકરી કે વ્યવસાય  અંગે વિચારવાનું શરૂ કરી દો.

પૈસામાં તો વુદ્ઘિ થશે અને દેવુ પણ ઓછુ થવા લાગશે. હકીક રત્ન ધારણ કરો.ગુરુને બળવાન બનાવો. 5 વર્ષ પહેલા વાંચેલા પુસ્તકો બીજી વખત વાંચીને તેનું સ્મરણ કરો. સુદમાં બુધવારથી શરૂ કરીને દરરોજ ઋણહર્તા ગણેશ સ્ત્રોતનો પાઠ કરો.

આ ઉપાયથી દેવામાંથી મુક્તિ મળી જશે.શક્ય હોય તો દરરોજ નહી તો બુધવારે લાલ મસૂરની દાળનું દાન કરવુ જોઇએ. સવારે ઉઠીને વાંસળી વાગડતા શ્રીકૃષ્ણની તસવીરના દર્શન કરો અને દેવા મુક્તિ માટે પ્રાર્થના કરો.

Advertisement