ધન મેળવવાંની ઈચ્છા દરેક માણસને હોય છે, મનુષ્ય પૈસા કમાવા માટે દરેક શક્ય એટલા પ્રયાસ કરે છે, નોકરીની સાથે સાથે તે પોતાનો ધંધો પણ કરે છે, અમુક લોકો એવા હોય છે જે પૈસા કમાવા માટે સાચો રસ્તો શોધે છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે છળ કપટથી પણ પૈસા કમાવાથી પાછા નથી પડતા, તમે એમ કહી શકો છો કે વ્યક્તિ કોઈને કોઈ તરકીબ લગાવીને પૈસા કમાવા માંગે છે, ભલે વ્યક્તિની પદ્ધતિ કેવી પણ હોય, તેનો હેતુ ધન કમાવા સાથે હોય છે.
આજે દરેક ને પૈસાવાળુ અને માન-સન્માન અને સમૃદ્ધિ મળે એવું પોતાનું વ્યક્તિત્વ બનાવવું છે. તો તમારે પણ આમ કરવું તો કરો ઉપાય અને તેનાથી તમારી ૭ પેઢી સુધી કોઇ ગરીબ નહીં રહે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણી એવી યુકતીઓ છે. જે મનુષ્યના જીવન જીવવાની રીત બદલી શકે છે. અને જો તેનો લોકો મુશ્કેલીમાં ઉપયોગ કરે તો તેના જીવનમાં સુખ આવી શકે છે. હવે મુશ્કેલી આવ્યા પહેલા આ પગલાં લેવામાં આવે તો તમારે મુશ્કેલીનો કે સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
આપણા જીવનમાં આવી ઘણી ઘટનાઓ છે જે આપણા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે અને આપણા માટે ખરાબ પણ સાબિત થઈ શકે છે, આવી ઘણી વસ્તુઓ છે જે આપણે કરીએ છીએ અને કેટલીક કુદરત પણ સંકેત આપે છે કે આજે અમે તમને આ લેખ દ્વારા એવું એવું કાર્ય જણાવવા જઈ રહ્યા છીએ જે આપના માટે ખરાબ નસીબના સંકેત આપે છે અને એવું પણ કાર્ય જણાવવા જઈ રહ્યા છીએ જે આપના માટે સારું નસીબના સંકેત આપે છે.
આ ઉપાયો તમારે જીવનમાં પ્રગતિ લાવશે ભગવાન સૂર્યદેવ નો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સૂર્યદેવને નમન કરો. અને તેને અર્ધ્ય અર્પણ કરો આમ કરવાથી સૂર્ય દેવતાની તમારા ઉપર કૃપા થશે. અને સૂર્યને જળ અર્પણ કરવું અને જળ અર્પણ કરવા માટે હંમેશા માટે તાંબાનો લોટો જ લેવો. આ પ્રક્રિયા કરતા સમયે તમારા પગમાં ચંપલ પહેરવાં નહીં અને ઉઘાડા પગે આ પ્રક્રિયા કરી નહિ તો તમારા કામમાં વિલંબ આવી શકે છે. બીજો ઉપાય તાંબાના સિક્કાને પાણીમાં પ્રવાહિત કરો. આ માટે કામ બાકી અન્ય કોઇપણ જાતનો સિક્કાનો તમે ઉપયોગ કરી શકો છો.
આ પાણી વહેતું જોઈએ કેમકે આમ કરવાથી તમારા બધા દુઃખોનું અંત આવશે. આ સાથે ઘઉંના લોટની ગોળીઓ બનાવી માછલી ને ખવડાવવાનું રાખો. કોઈપણ નદી કે તળાવમાં તમે આ ગોળી મૂકી શકો છો. ગોળ અને ઘઉંના લોટનું સ્વાદિષ્ટ મિશ્રણ બનાવ્યા પછી તમે તેમાંથી નાખી. કોઇ ગરીબ વ્યક્તિને દાન કરી શકો છો. આથી તમને દરેક પ્રકારના લાભ થશે. અને આ વસ્તુ તમે કોઈ મંદિરે બેઠેલા ગરીબને પણ આપી શકો છો. જો તમને પેટને લગતા રોગો અને આંખોની સમસ્યા છે. તો તમારે તાંબાની કોઇપણ વસ્તુઓનું દાન કરવું આ કરવાથી બિમારીમાં રાહત થશે.
માણસ મકાન કે દુકાન બનાવતી હોય વિચાર્યા વગર બનાવી લેશે. તેનાથી તેના જીવનમાં ઘણા બધા વાસ્તુ દોષ રહી જાય. અને સમય સમયે તેના કાર્યમાં વિઘ્ન આવે છે. તો આવો જાણીએ કેવી રીતે દૂર કરવો વાસ્તુદોષ એક નાની ફટકડીનો ટુકડો તમારા દરેક ઘરમાં દરેક રૂમમાં અને કાર્યસ્થળે રાખો. આમ કરવાથી તમારા દરેક વાસ્તુ દોષ દૂર થશે અને નકારાત્મક વિચારો પણ દૂર થશે. અને ઉધારીમાં રાહત થશે જો તમે ઉધારીની સમસ્યાથી પીડાઈ રહ્યા છો.
એક પાનનો ટુકડો લઇ તેમાં સિંદૂર બાંધી. અને લાલ દોરા વડે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે તેને માટી નીચે રાખી દો આવું કરવાથી ઉતારી માંથી તરત જ મુક્તિ મળે છે. જો તમારા ઘરે રસોડાની સામે બાથરૂમનો દરવાજો આવતો હોય તો બંને વચ્ચે કાપડ નો પડદો નાખી દો. અને ઘરના મુખ્ય દરવાજા પાસે તુલસીનું છોડ રાખો. અથવા કોઈ સુગંધીદાર ફૂલનો છોડ રાખી શકો છો. હવે તમારે સમાજનું ઋણ અદા કરવાનો સમય આવી ગયો છે. તમે બીજી કોઈ રીતે મદદ ન કરી શકો તો કંઈ ને પરંતુ કોઈ માણસને રોજગારનું સર્જન થાય. તે રીતે તમારે સમાજ પાસેથી લીધેલી તેને પાછું આપો.
જે વ્યક્તિ સમાજનું ઋણ ચૂકવી શકે તેને જ ખરેખર ધનવાન કહેવાય. તે વ્યક્તિ સમાજનું ઋણ પાછુ આપવાની શરૂઆત કરે તેના ઘરમાં તનનો અવિરત પ્રવાહ વહેવા લાગે છે. ભગવાન એવા વ્યક્તિને શોધતા હોય છે કે જેને તે પોતાના કાર્યવાહક તરીકે લોકોનું કલ્યાણ કરી શકે. આ સમય દરમિયાન જો તમને અહંકાર આવી જાય તો ભગવાન તેમાં તે પ્રવાહ બંધ કરી દેશે. ઘણા બધા માણસો એવું કહેતા હોય છે પોતે તો માત્ર નિમિત્ત છે. પરંતુ ખરેખર આ બધુ ભગવાન કરાવી રહ્યો છે. આ માટે પોતાની જાતનો શૂન્ય અહંકાર દર્શાવે છે. સંઘરેલૂ ધન સડી જતાં વાર લાગતી નથી.
એક જગ્યાએ સ્થિર થયેલું પાણી પણ કેવી રીતે બગડી જાય છે. એ જ રીતે ધનના પણ આવા જ હાલ થાય અહંકાર માંથી અસલામતીની ભાવના ઉત્પન્ન થાય છે. માણસને આ અહંકાર આવે તો તેનો વિચાર સમાજ પ્રત્યે ઓછો થઈ જાય છે. અને તે સ્વચ્છંદી થઈ જાય છે. અને ગુજરાતીમાં સારી એવી કહેવત છે કે કંજૂસ નું ધન કાકરા બરાબર. આથી ધનનો સંગ્રહ કરવો નહીં કોઈ પણ અભિમાન રાખ્યા વગર સમાજનું ઋણ ચૂકવવું એ સદાય ધનવાન બની રહેવા માટે નો એક અચૂક ઉપાય છે.
કોઈ ગરીબ વ્યક્તિ ,ભિખારી ,કૂતરો, ગાય અથવા કોઈ પ્રાણી તમારા ઘરના દરવાજા પર આવે છે, તો પછી તેને ક્યારેય ખાલી હાથે અથવા ભૂખ્યા અને તરસ્યા ન મોકલવા જોઈએ.તમે એને ખાવા માટે કઈક ને કઈક જરૂર આપો. જે આપના દરવાજે આવે છે તે આપના હિસ્સા નું લેવા આવે છે અને આપના નસીબ ને જાગૃત કરે છે તેથી કોઈને પણ ખાલી હાથે દરવાજાથી જવા દેવાનું ભૂલશો નહીં.
રાત્રે ખોરાક ખાધા પછી તમારે વાસણો સાફ કર્યા વગરના ન છોડવા જોઈએ, વાસણો સાફ કરો અને તેમને તેમની જગ્યાએ રાખો કારણ કે રાતોરાત રસોડામાં વાસણો મૂકી રાખવાથી જંતુઓ ઉત્પન્ન થાય છે અને બરકત પણ ઘરની બહાર નીકળી જાય છે.માતા લક્ષ્મીના આશિર્વાદ મેળવવા પૂજામાં લાલ રંગના પુષ્પનો વિશેષ પ્રયોગ કરો. સોમવારે કમળનો ઉપયોગ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. આ પુષ્પની પૂજા કરવાથી ધન સંપદાના આશિર્વાદ પ્રાપ્ત થશે.
શક્તિની સાધના કરતા સમયે કેટલીક વાર આપણે એટલા લીન થઈ જઈએ છીએ કે આપણને પૂજાના નિયમોનું ધ્યાન નથી રહેતુ. આ જ રીતે કેટલીક વાર આપણે પૂજાની વિધિ નથી કરતો. આ સમસ્યાનું નિદાન આપણા ધર્મશાસ્ત્રમાં આપવામાં આવેલ છે. દુર્ગા સપ્તશતી તેમાં ક્ષમા પ્રાર્થનાનું પ્રાવધાન છે. કહેવાનું તાત્પર્ય એટલુ છે કે પૂજા દરમિયાન જો કોઈ ભૂલ થઈ હોય તો દુર્ગા સપ્તમીમાં માફી માગી લેવાથી પૂજા પૂર્ણ થાય છે. જો કે પ્રયાસ એ કરો કે ભગવતીની પૂજામાં સાચા મનથી પૂજા કરવી જોઈએ.
ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા દૂર થશે. મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું નિશાન અચુક લગાવો. સાથે ગણપતિજીની પૂજા વિધિ વિધાનથી કરો. આ કાર્યથી તમામ બાધાઓ દૂર થઈ જશે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે કમળ પર બેસેલ માતા લક્ષ્મીની તસવીરની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આવું કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા ઉતરશે.આર્થિક સમસ્યાઓ દૂર થશે. લક્ષ્મી માતાને લાલ રંગ અતિ પ્રિય છે તેથી તેમને લાલ રંગના કપડા અને કોડી અર્પિત કરો. ત્યારબાદ લાલ કપડામાં કોડી રાખીને તિજોરીમાં રાખો.આનાથી ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા આવશે નહી લક્ષ્મીજીની કૃપા રહેશે.
માતા લક્ષ્મી ઘરમાં નિવાસ કરતાં પહેલાં આ નિશાની આપે છે.જો કપડાં પહેરતી વખતે અથવા કપડાં કાઢતી વખતે પૈસા તમારા ખિસ્સામાંથી પડી જાય છે, તો તેનો અર્થ એ કે તમને ખૂબ જલ્દી પૈસા મળશે.જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જઇ રહ્યા છો અને જો કોઈ સ્ત્રી અથવા ગાય માર્ગ પર આવે છે, તો તમે જે કાર્યમાંથી પસાર થશો તે નિશ્ચિતરૂપે સફળ થાય છે.જો તમે સવારે ઉઠો છો અને એક ભિક્ષુક જાગવાની સાથે જ તમને પૂછવા માટે આવે છે, તો તેનો અર્થ એ કે તમે ઉધાર આપેલા પૈસા ખૂબ જ જલ્દી મળશે.
આ વસ્તુઓ દુર્ભાગ્યની નિશાની છેજો કોઈ કૂતરો રડે છે અથવા શિયાળ રડે છે, તો તે સંબંધી પાડોશી અથવા સ્થાનિકમાં દુર્ઘટના થવાની સંભાવના રહે છે.જો તમે કોઈ કામ માટે જઇ રહ્યા છો અને તે દરમિયાન દુષ્ટ પ્રકૃતિવાળા કોઈ આવે, તો તમારું કાર્ય સફળ નહી થાય .જો તમારા ઘરમાં કોઈ દેવતાની મૂર્તિ અથવા તસવીર તૂટે છે તો તે ખૂબ અશુભ માનવામાં આવે છે.