દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ સમસ્યા રહેલી જ હોય છે વ્યક્તિ ખુબજ પ્રયાસ કરવા છતાં અમુક સમસ્યા દુર કરવામાં સફળ નથી રહેતા, આવું એટલા માટે થાય છે કે એમના જીવનમાં કે કિસ્મત માં કેટલાક વસ્તુ દોષ રહેલ હોય છે. અને આવા દોષો દુર કરવા માટે વાસ્તુ માં જણાવ્યા મુજબ કેટલાક સચોટ ઉપાયો કરવા ખુબજ જરૂરી છે.
શાસ્ત્રો મા એવી ઘણી વસ્તુ છે કે જે તમારુ ભવિષ્ય બદલી શકે. હાલ તમને એવા ચમત્કારીક ઉપાયો વિશે જણાવીશુ કે જેનાથી તમારા જીવન મા થશે અનોખો બદલાવ. આપણા શાસ્ત્રો મા એવા અનેક નુસ્ખાઓ બતાવ્યા છે જે તમારા જીવન ની બધી જ સમસ્યા દૂર થાય છે.
આ નુસ્ખાઓ અજ્માવતા પહેલા તમારા ઘર નુ ગંગાજળ થી શુધ્ધિકરણ કરી નાખો.ત્યાર બાદ પૂજા- આરાધના કરવા માટે એક થાળી તૈયાર કરો. આ થાળી મા પૂજા કરવા માટે ગોળ અને ઘી મુકી ઘર ના મુખ્ય દ્વાર ની બાજુમા થાળીને ગોઠવી દો પછી તમે અનુભવશો કે તમારા ઘર મા કેવા સકારાત્મક વાતાવરણ નુ સર્જન થશે. આ ઉપરાંત ગૌ માતા ની આરાધના કરી ને સર્વે પિતૃઓને સ્મરણ કરો.
શાસ્ત્રો મા એવુ જણાવાયુ છે કે જે ઘર મા નિયમિત પ્રભુ ની આરાધના થતી હોય ત્યા કોઇ પણ નકારાત્મક તાકાત પ્રવેશી શકતી નથી. આ નુસ્ખા ને લીધે જો તમે પિતૃદોષ થી પિડાતા હોવ તો તે પણ દૂર થય જાય તથા પિતૃ રાજી થાય છે. આ ઉપરાંત જ્યારે પણ અમાસ નો દિવસ હોય ત્યારે તુલસી ના પર્ણો ને ના તો અડકવા કે ના તો તોડવા કારણ કે તુલસી ના છોડ ને માતા લક્ષ્મી નુ સ્વરૂપ મનાય છે જેથી અમાસ ના દિવસે આ પાવન છોડ ને ના અડકવુ શાસ્ત્રો મા અશુભ ગણાય છે.
જીવનમાં નડતરરૂપ સમસ્યાઓને નિવારવા માટે જે પ્રયોગો કે ઉપાય કરવામાં આવે છે તેની પૂજા સામગ્રીમાં ખાસ પ્રકારના છોડ, ફળ જેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તંત્ર શાસ્ત્રમાં આવી જ ચમત્કારી વસ્તુ માનવામાં આવે છે લીંબુ અને લવિંગને. આ વસ્તુઓનો સાથે પ્રયોગ કરવાથી અનેક સમસ્યાઓ માંથી છૂટકારો મળી શકે છે.
જો તમે તમારા ઘર મા નાણા ની તંગી ની પરિસ્થિતિ અનુભવતા હોય તો નિયમિત સંધ્યા સમયે બે કપૂર લઇ ને કોઇ વસ્તુ પર રાખી પ્રજવલિત કરી તેમા લવિંગ તર્પણ કરો અને લવિંગ થી જે ધૂપ પ્રજ્વલિત થાય તેની નિયમિત આરતી લેવાથી સર્વ સમસ્યા નુ નિરાકરણ આવી જશે તથા તમારા ભાગ્ય મા ધન પ્રાપ્તિ નો યોગ સર્જાય.
આ ઉપાયો ની સાથે-સાથે ૫ દાણા કાળી મિર્ચ લઇ તમારા માથા ઉપર થી ૭ વખત ફેરવી અને ચાર રસ્તા પર ફેંકી દો. જો તમે સાચા હૃદય થી અને શ્રધ્ધા થી આ નુસ્ખાઓ અજ્માવશો તો તમારા બધા જ દુ:ખો નો નિવારણ આવી જશે.તમે કોઈ કાર્ય કરો છો, અને તે કામ બનતા બનતા બગડી જાય છે અને કોઈને કોઈ બાધા નડતરરૂપ બને છે તો તમે શનિવારના દિવસે એક દીવો પ્રગટાવો અને એમાં ત્રણ-ચાર લવિંગ બાળી એને ઘરના સૌથી અંધારા ખૂણામાં મૂકી દો. આ ઉપાયથી ધીરે ધીરે તમારા બધા કાર્ય બનવા લાગશે.
જો તમે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માંગો છો, તો તમે લવિંગનો આ ઉપાય જરૂર અજમાવો. એના માટે તમારે તે શનિવારે અથવા રવિવારના રોજ સાંજે 5 વાગ્યે, 5 લવિંગ , ત્રણ કપુર અને ત્રણ મોટી એલાયચી લેવાની છે. અને તેને તમારા ઘરમાં જ બાળી દો. પછી આખા ઘરમાં ઇનો ધૂપ આપો. પછી એની રખને ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકી દો. આ પ્રયોગથી ઘરમાં રહેલ બધી જ નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે.
જ્યારે તમે કોઈની પૈસા ઉધાર આપ્યા છે અને પાછા લેવામાં તમારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે અમાસ અને પૂર્ણિમાની રાતે કપુર જલાવી એમાં 21 લંગિંગનાખી માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. સાથે માતા લક્ષ્મી જી ને ધન પાછુ આવે અને તમારા ધનમાં વૃદ્ધિ થાય એવી પ્રાર્થના પણ કરો. આમ કરવાથી ફસાયેલ ધન તમને જલ્દી પાછું મળી જશે.
જો તમે ઇચ્છો છો કે તમારા ધનની વૃદ્ધિ થાય છે અને ઘરના પરિવારમાં બરકત બની રહે તો તમે માતા લક્ષ્મીજીની પૂજા-પ્રાર્થના કરી શકો છો, માતા લક્ષ્મીની પૂજાના દરમ્યાન ગુલાબના ફૂલો સાથે 2 લવિંગ લક્ષ્મી જીનો અર્પણ કરો. જો તમે રોજ આ ઉપાય ના કરી શકો તો તમે શુક્રવારના દિવસે તે નિશ્ચિત આ રીતે કરો, આ ઉપરાંત તમે પાંચ કોડી અને પાંચ લવિંગ લઈ એક લાલ કપડામાં બાંધી તમારા ઘરની તિજોરીમાં રાખી દો, આમ કરવાથી આવકનો સ્ત્રોત વધશે અને પરિવારમાં બરકત બની રહેશે. આપણાં તંત્ર શાસ્ત્રમાં આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવ્યો છે.