પાણીના ફાયદા વિશે તમને બધાને ખબર જ હશે તેમ જ પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે એ પણ આપણે જાણતા હોઈએ છીએ. પરંતુ ઘણા લોકો ને પાણી પીવાની આદત ઓછી હોય છે. જે ક્યારેક ક્યારેક મુસીબત ઊભી કરી શકે છે. તમે કદાચ સાંભળ્યું હશે કે સવારે નરણાં કોઠે પાણી પીવાથી લાભ મળે છે પરંતુ તમને એ નહીં ખબર હોય કે સવારે વાસી મોઢે જ પાણી પીએ તો શું થાય છે..
જોકે બધા લોકોના ઘરે એવું શીખવવામાં આવે છે કે આપણે વાસી ચીજો ન ખાવી જોઈએ અથવા વાસી મોઢે કંઇ ખાવું જોઈએ નહિં અને સવારે ઉઠ્યા પછી નૈતિક ક્રિયા કર્યા પછી જ બાકીના કામ કરવા જોઈએ, પછી ભલે તે નાસ્તો હોય કે બીજું કંઈ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સવારે વાસી મોં પાણી પીવાથી આપણને ઘણા ફાયદા મળે છે જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.
પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે આપણે સૌ જાણીએ છીએ.પાણી માનવ શરીર ને સ્વસ્થ તેમજ સુડોળ રાખવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. માનવ શરીર મા પાણી નું પ્રમાણ ૫૦ થી ૬૦ ટકા જેટલું હોવું જોઈએ. તે શરીર ના અંગો માટે રક્ષા કવચ નું કામ કરે છે.
તેમજ સાથોસાથ કોશિકાઓ સુધી પોષક તત્વ અને પ્રાણ વાયુ પહોંચાડવામા મદદરૂપ થાય છે. આ સિવાય શરીર ના તાપમાન ને નિયંત્રણ મા રાખે છે.પણ તમે એ જાણો છો કે સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં શુ થાય?
ઘણા લોકો સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા પાણી પીવે છે, તે પછી જ બાકીના કામ કરે છે. તેઓ આટલા માટે આવું કરે છે કારણ કે તેઓ વાસી મોં પાણી પીવાના ફાયદા જાણે છે. તેથી જ તેઓ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા પાણી પીવે છે.
ચાલો જાણીએ કે તેનાથી કયા ફાયદા થાય છેજળ એ જ જીવન છે એવું આપણે આજ સુધી સાંભળતા આવ્યા છીએ અને એ સાચું પણ છે કે પાણી વિના આ પૃથ્વી પર કશું જ નથી. આપણે સારા સ્વાસ્થ્ય માટે દરરોજ વધુને વધુ પાણી પીવું જોઈએ. સવારે ખાલી પેટ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. ડોકટરો અને આયુર્વેદ પણ તેની સલાહ આપે છે.
સવારે વાસી મોં પાણી પીવાના ફાયદા: આપણે દરરોજ સવારે જાગ્યા પછી ખાલી પેટ ઓછામાં ઓછું અડધો લિટર ખાલી પેટ પીવું જોઈએ, આમ કરવાથી આપણી પાચક શક્તિ બરાબર રહે છે, જેનાથી આપણે પેટમાં થતી બધી બીમારીઓથી છૂટકારો મેળવી શકીએ છીએ. આ સાથે આપણું શરીર અન્ય રોગોથી સુરક્ષિત રહે છે.
આપણા શરીરને 70% પાણીની જરૂર હોય છે, તેથી આપણે આખો દિવસ વધુને વધુ પાણી પીવું જોઈએ. જેના કારણે શરીરમાં થતી પાણીની ઉણપ દૂર થાય છે. વ્યક્તિએ દરરોજ સામાન્ય રીતે ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવું જોઈએ, જે લોકો દિવસ દરમિયાન ઓછું પાણી પીવે છે, તે લોકોને પેટ અને ત્વચાને લગતી બિમારીઓ થાય છે.
તેથી શરીરમાં પાણીની કમી ન થવા દો. એ જ રીતે, સવારે વાસી મોં અને ખાલી પેટ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. જે લોકો સવારે ખાલી પેટ પાણી પીવે છે તેમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે, તે લોકોને ક્યારેય પેટ સંબંધિત કોઈ પણ સમસ્યા થતી નથી.
સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી મોઢાની લાળ શરીરમાં જાય છે અને તે કેટલાય રોગો થી બચાવે છે.મોઢાની લાળ ગ્રંથી એક એવો તરલ પદાર્થ છે જે એન્ટીસેન્ટીક જેવુ કામ કરે છે અને રોગ સામે લડે છે,જેથી શરીર ને સ્વસ્થ રાખે છે.પાણી આરોગ્ય માટેખૂબ જ ફાયદાકારક છે. ઘણીવાર કોઈ બીમારીથી પીડિત થવાથી ડોકટર ચોક્કસ પૂછે છે કે, તમે દિવસ દરમિયાન કેટલું પાણી પીવો છો? અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ પણ આપે છે.
કહેવાનો અર્થ એ છે કે, જો પૂરતા પ્રમાણમાં પાણીનો વપરાશ કરીએ તો ઘણા રોગોનો શિકાર થવાથી બચી શકાય છે. આ સાથે, તે પણ જરૂરી છે કે ક્યારે અને કેટલું પીવું, જેમ કે ખાવું હોય ત્યારે પાણી પીવું પ્રતિબંધિત છે. કારણ કે તેની પાચનમાં ખરાબ અસર પડે છે.
જ્યારે સવારે ઉઠ્યા પછી, ખાલી પેટ પર પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.સવારે ખાલી પેટ પર પાણી પીવું હૃદયની સમસ્યાઓ, સંધિવા, દમ, ટીબી, કિડની અને પેશાબની સમસ્યાઓથી રાહત માટે ઉપચાર તરીકે કામ કરે છે.
વાસી મોઢે પાણી પીવાના ચમત્કારી ફાયદા:સવારે નહાવાથી પહેલા એક ગ્લાસ પાણી પીવાથી હાઇબ્લડ પ્રેશર કંટ્રોલ મા રહે છે સવારે વાસી મોઢે પાણી પીવાથી તે આપણી ત્વચા ને માટે પણ સારી છે. તે ત્વચા ના રોગો ને દૂર કરે છે . વાસી મોઢે પાણી પીવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. અને સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં થતા લાભો જાણી ને તમે પણ અચંબિત થઇ જશો.
પેટની ચરબી ઘટાડવામાં :જાડાપણું એ પોતામાં એક મોટું દુઃખનું કારણ છે, સાથે સાથે શરીરની આસપાસના અન્ય ઘણા રોગો થાય છે. તેથી પેટની ચરબી ઘટાડવા માટે ઘણી દવાઓ અને ઉપાયો છે, પરંતુ દરરોજ સવારે ખાલી બે ગ્લાસ નવશેકું પાણી મેદસ્વીપણાને ઘટાડવા માટે પણ ખૂબ મદદગાર સાબિત થાય છે હકીકતમાં, જ્યારે સવારે ગરમ પાણી પીવામાં આવે ત્યારે તે શરીરના ચયાપચયમાં 24% વધારો કરે છે. આમ વજન નિયંત્રિત થાય છે.
ત્વચાને સારી લગાવવા માં મદદ કરે:સવારે ઉઠી ને વાસી મોઢે 2ગ્લાસ પાણી પીવાથી શરીરના અંદરના અંગો જલ્દી થી એકટિવ થાય છે. જલ્દી કામ કરે છે. શરીરની બધી ગંદકી દૂર કરે છે અને લોહીને સંપૂર્ણ રીતે ચોખ્ખું કરે છે. જે ત્વચાને સ્વસ્થ બનાવે છે અને તેની સુંદરતા ચહેરા પર દેખાય છે.
માનસિક થાક માંથી રાહત:સવારે ખાલી પેટે પાણી પીવાથી માત્ર શારીરિક ફાયદો જ થતો નથી, પરંતુ તે માનસિક ફાયદા પણ આપે છે. હકીકતમાં, સવારે પુષ્કળ પાણી પીવાથી મગજ સક્રિય રહે છે અને દિવસભર ઝડપી કામ કરે છે. આ માનસિક થાક અને તણાવને પણ દૂર કરે છે.