ઘણી વાર આપણી સાથે એવું થાય છે કે બધા જ કામો ઉલ્ટા પડવા લાગે છે, કોઈને કંઈ જ સમજાતુ નથી કે વાસ્તવમાં શું થઈ રહ્યુ છે. હંમેશા ઘરમાં મુશ્કેલી આવ્યા જ કરે છે, ક્યારેક ઝગડા તો ક્યારેય બિમારી તો ક્યારેય પૈસાની તંગી રહ્યા જ કરે છે. આ મુશ્કેલીઓનું વાસ્તવિક કારણ સમજાતુ નથી. વાસ્તમાં તેનું મુખ્ય કારણ છે આપણા ઘરમાં રહેલી કેટલીક એવી વસ્તુઓ જે જોવામાં તો તદ્દન સામાન્ય જણાય પણ તે ઘણી મોટી આફત લાવી શકે છે. તમે ક્યારેય વિચાર્યુ છે કે શા માટે ઘરમાં પૈસા ટકતા નથી, શા માટે વિના કારણે ઘરમાં ક્લેશ રહે છે.
તમારી પ્રગતિ અને ભવિષ્યમાં તમારા ઘરનો મોટો હાથ છે. તમારે આ ઘરને મંદિરની જેમ સજાવટ કરી રાખવું જોઈએ. જો તેમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો તેની નકારાત્મક અસર તમારા જીવન અને ભાગ્ય પર પડી શકે છે.કારણ કે દુર્ભાગ્ય એક એવી વસ્તુ છે જેને કોઇ પણ પસંદ નથી કરતુ.પરંતુ તમારી નાની ભુલોને કારણે તે તમારી પાછળ હાથ ધોઇને પડી જાય છે.જોકે ઘરની અંદર કેટલીક ચીજો પણ એવી હોય છે જે દુર્ભાગ્ય અને બુરી કીસ્મતને આમંત્રણ આપે છે. આ વસ્તુઓ ઘરમાં રાખવાથી અપશુકન થાય છે અને હા નેગેટિવ ઉર્જા તમારા ઘરમાં રહે છે.તેથી જો તમે તમારી કિસ્મતને વધારે બગાડવા નથી માંગતા તો તમારા ઘરમાંથી નીચે જણાવેલી વસ્તુઓને તરત જ ઘરથી દુર કરો.
અનેક વાર બુટ ચપ્પલ ફાટી જાય છે અથવા ખૂબ જૂના થઇ જાય છે.આવામાં આપણે નવા બુટ ચપ્પલ ખરીદી લઇએ છિએ અને જૂના બુટ ચપ્પલ ને ભુલી જઇએ છીએ.ત્યારબાદ લોકો ઘણી વાર તેને ફેકવાને બદલે એક ખુણામાં જમા કરે છે.તે તમારા માટે નુકસાનકારક સમય લાવી શકે છે.ફાટેલ બુટ ચપ્પલો મા સૌથી વધુ નેગેટિવ ઉર્જા રહેલી હોય છે.તેથી તેને ના તો ઘરમાં જાળવી કરો અથવા તો તેને ઠીક કરાવી લો અથવા ફરીથી ઘરની બહાર ફેંકી દો.જો તમે આવું ન કરો તો તમારા ઉપરના દુર્ભાગ્યના વાદળ બંધાઇ શકે છે.
ઘરમાં રહેલા અરિસો જો તુટી ગયો હોય અથવા તો તેમાં ક્રેક આવેલા હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.તુટેલો અરિસા માં જોવાથી દુર્ભાગ્ય આવે છે.તેનાથી આપણી કિસ્મત પણ તુટી જાય છે. તેનાથી સારુ તો તે હશે કે તમે તુટેલા અરિસાને ઘરની બહાર રાખો.આ રીતે તમે ભુલથી પણ તેમાં તમારુ મો નહીં જોઇ શકો.
કાળા દરવાજા ક્યારેય ઘરની અંદર કે બહાર લગાવવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે કાળા દરવાજા ઘરમાં દુષ્ટ અને નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. જે ઘરમાં કાળા દરવાજા હોય છે ત્યાં કંઇક ને કઈંક ખરાબ વસ્તુઓ થતી રહે છે છે. સૌથી મોટી વાત એ છે કે આવા ઘરોમાં પૈસાની કોઈ વૃદ્ધિ થતી નથી. તેથી શક્ય હોય ત્યાં સુધી તમારા ઘરમાં કાળા દરવાજા લગાવશો નહીં.
ઘરોમાં ઘણા લોકો જંગલી પ્રાણીઓના ફોટાઓ રાખે છે.અને કેટલીક અન્ય પ્રકારના હિંસક ફોટાઅોનો ઉપયોગ પણ કરે છે.તમે ગૃહમાં આવી ચીજો ન રાખો જેનાથી ઘરમાં નેગેટિવીટી ફેલાય.તેનાથી કુટુંબના લોકોનુ મગજ ચિડચિડુ બને છે.અને લડાઈ ઝગડા અને ખરાબ સમય ઝડપી આવે છે.
તાજ મહેલ નિશંકપણે એક સુંદર આર્ટવર્ક છે. આ જ કારણ છે કે ઘણા લોકો ઘરમાં શણગાર તરીકે તાજમહેલ રાખે છે. પરંતુ તમારે આ કરવાનું ટાળવું જોઈએ. તાજમહેલ હકીકતમાં મુમતાઝ અને શાહજહાંની સમાધિ છે. તેથી, તેને ઘરે રાખવું શુભ માનવામાં આવતું નથી. તે પોતાના અંદરથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેને ઘરે રાખવાથી દુર્ભાગ્ય અને ગરીબી આવે છે. તેથી તેને ક્યારેય ખરીદશો નહીં અથવા ભેટ તરીકે ન લો.
કહેવામાં આવે છે કે જે મકાનમાં ખૂબ જ વધારે કરોળીયાના જાળા હોય છે તે ઘરમાં દરિદ્રતા (કુટુંબિક) ઝડપી આવે છે. તેથી તમે હંમેશા ઘરની સાફ સફાઈ રાખો.તમારા સ્ટોર રૂમ અથવા કોઈપણ અન્ય ઇવેન્ટ્સમાં કરોળીયાને જાળા ના બનાવા દો. તેનાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ પર અસર થાય છે.ફાટેલા અને જુના કપડા ને આપણે ફેક્વાને બદલે પોટલી બાંધીને રાખીએ છીએ. જે એકદમ ખોટું છે. ઘરમાં ફાટેલા અને જુના કપડા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જેનાથી આપણા જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે.
ઘણા લોકો ઘરની સીડી હેઠળની જગ્યાએ પૂજા સ્થળ અથવા ભગવાનનું નાનું મંદિર બનાવે છે. પરંતુ આ કરીને તમે એક મહાન પાપ કરી રહ્યા છો. આ વસ્તુઓ તમારું ઘર બરબાદ કરી શકે છે. આનું કારણ એ છે કે સીડી ઉપર સત્તર લોકો આવતા જતા રહે છે. આવી સ્થિતિમાં, જો તમે ભગવાનને તેની નીચે મુકો છો, તો પછી જે વ્યક્તિ તકનીકી રીતે સીડી પર ચઢે છે તે ભગવાનની ટોચ પરથી બહાર આવે છે.
આ બિલકુલ ઉચિત નથી. આવી સ્થિતિમાં તમારે ઘરની કોઈ અન્ય જગ્યાએ પૂજાગ્રહ બનાવવું જોઈએ.મંદિરમાં રાખેલી કોઈ ભગવાનની મૂર્તિ અથવા ફોટો ફાટી ગયો હોઈ તો તેને તમારે તરત જ મંદિરમાંથી કાઢીને પધરાવી દેવો જોઈએ. કેમકે મંદિરમાં ભગવાનની ફાટેલી અથવા તૂટેલી મૂર્તિ રાખવાથી તેને અશુભ ગણવામાં આવે છે. જો તમારા ઘરમાં પણ આવી કોઈ તૂટેલી કે ફાટેલી મૂર્તિ છે તો તેને નદીમાં પધરાવી દેવી જોઈએ.
સિગરેટના ખાલી ખોખા ક્યારેય ઘરમાં જમા ન કરો.આમ તો શારબ અને સિગરેટ બંને સ્વાસ્થ માટે હાનિકારક છે.પરંતુ તેમા ખાલી ખોખા જો ઘરમાં હોય છે તો તે નકારાત્મક ઉર્જા ક્રિયેટ કરતા હોય છે.તેમાથી નકારાત્મક ઉર્જા વધુ નિકળતી હોય છે.તેથી તેને પિધા પછી ઘરે માથી તેને તાત્કાલિક બહાર ફેંકી દો.અથવા તે પણ સારુ છે કે તમે ઘરની બગાર તેનુ સેવન કરો.આ સુનિશ્ચિત વસ્તુઓ જો તમે ઘરમાં રાખો છો તો તેનાથી તમે નેગેટીવ ઉર્જાને ઘરમાં ટિકિટ આપો છો તેથી જો તમે તેને ઘરથી દુર કરો છો તો દુર્ભાગ્ય તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે.
તમને જણાવી દઈએ કે જો તમારા ઘરમાં કબૂતરનો માળો છે તો આજે જ તમે તેને ઘરની બહાર હટાવી દો. તેનાથી તમારા ઘરમાં મુસીબતો ક્યારેય હટવાનું નામ લેશે નહિં. વાસ્તુ પ્રમાણે કબૂતરનો માળો ઘરમાં રાખવો નહિં.જો ભમરીએ તમારા ઘરમાં પુડો બનાવ્યો હોય તો તેને તરત જ હટાવી દેવો જોઈએ. આ અમંગળ થવાની નિશાની હોય છે. તેના ઘરમાં રહેવાથી કોઈની પણ સાથે દુર્ઘટના થઈ શકે છે. તે અશુભ છે.ચામાચીડિયાનું ઘરમાં આવવું અત્યંત અશુભ મનાય છે. તમારે તેને ઘરમાં આવતા રોકવું જોઈએ. જો તમે તેને નહિં રોકો તો વાસ્તુ પ્રમાણે ઘરમાં લડાઈ-ઝગડા થવાના શરૂ થઈ જાય છે. તેનાથી તમને આર્થિક નુકશાન થવાની શક્યતા વધી જાય છે.
ઘર જુનું થઈ ગયુ હોય અથવા કોઈ કારણે તેમાં તિરાડ પડી ગઈ હોય તો તમારે તેને અનદેખી કરવી નહિં. તમને જણાવી દઈએ કે આમ થવું વાસ્તુ પ્રમાણે અશુભ છે. ઘરમાં તિરાડો પડવી તમને આર્થિક હાનિ કરાવી શકે છે.જો તમારા ઘરમાં એવું કોઈ નળ છે જેમાંથી પાણી ટપકી રહ્યુ છે તો તેને તરત જ બદલો. આ સ્થિતિ તમારી બરકતને ખતમ કરી ધનની હાની કરાવે છે. તેથી તેને તત્કાલ ધોરણે સાવધાન કરાવો.
જો તમારા ઘર કે મંદિરમાં કે કોઈ ધાર્મિક તસ્વીર પર વાસી ફૂલ રાખેલા છે તો તેને આજે જ હટાવી દો. તેનાથી તમારા ઘરમાં આર્થિક સંકટ આવે છે. ફૂલોનો ઉપયોગ કર્યા બાદ યાદ કરી તેને બીજા દિવસે મંદિરમાંથી બહાર કરી દેવા.હંમેશા એવું બને છે કે આપણે આપણા ઘરનો નકામો સામાન કાઢી ધાબા પર મુકી દેતા હોઈએ છીએ. જે તમારી સૌથી મોટી ભૂલ છે. આમ કરવાથી તમને ઘણી મુશ્કેલી આવી શકે છે. આ તમારી પડતીનું કારણ બની શકે છે. પરિણામે ઘર કે ઘરની છત પર નકામો સામાન રાખવો નહિં.
ઘણા લોકો તેનાં ઘરની બેકાર અને નકામી વસ્તુઓ તેની ઘરની છત પર રાખે છે. જો કે તે વાસ્તુશાસ્ત્રમાં સાચું નથી. વસ્તુશાસ્ત્ર મુજબ ઘરની છત પર જેટલી ગંદકી હશે એટલી જ તમારા જીવનમાં પૈસાની તંગી રેહશે. ઘરની છત હંમેશા સાફ જ હોવી જોઈએ, તેમાં નકામો સામાન ના રાખવો જોઈએ.ઘરમાં કોઈ પણ પ્રકારના તૂટેલા પથ્થર અથવા તો ડાયમંડ ના રાખવા જોઈએ. એવી જ રીતે ઘરમાં અંગુઠી અને તાવીજ જેવી વસ્તુ રાખવી પણ અશુભ માનવામાં આવે છે. આવી બધી વસ્તુઓ ઘરમાં રાખવાથી લોકોને પૈસા માં નુકસાન થાય છે. જો તમને આવી કોઈ પણ પ્રકારની રીંગ, તાવીજ મળે તો તેને નદીમાં પધરાવી દેવી જોઈએ.