ગ્રંથોમાં દર્શાવેલા આ ઉપાયો બદલી નાખશે તમારું જીવન નહીં રહે કોઈ તકલીફ આવશે રૂપિયાજ રૂપિયા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યોતિષ શાસ્ત્ર એક એવું માધ્યમ છે કે તેના દ્વારા વ્યક્તિ તેના જીવન વિશેની ઘણી મહત્વની માહિતી મેળવી શકે છે. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રહ અને નક્ષત્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ રહેલું છે.

Advertisement

તેને સ્થિતિમાં પરિવર્તન થવાથી આપણા જીવનમાં ઘણા સારા અને ખરાબ ફેરફાર થઇ શકે છે. તેમાં એવા ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેનાથી અપના જીવનમાં રહેલી મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકાય છે. આપણા ઘરમાં કેવી રીતે સુખ અને સમૃદ્ધિ આવી શકે તેના વિષે પણ આ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તો આજે જાણીએ તેવા કેટલાક ઉપાયો વિષે.તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માં લક્ષ્મી આપણી હથેળીની ઉપરના ભાગમાં, સરસ્વતી માં વચ્ચેનાં ભાગમાં અને વિષ્ણુ ભગવાન નીચેના સ્થાન પર સ્થિત હોય છે. તેથી આપણે નિયમિત સવારે પથારી માંથી ઉભા થઈએ છીએ ત્યારે આપણી હથેળી નાં દર્શન કરવા અને ૩ થી ૪ વાર હથેળીને તમારા મો પર ફેરવવી.

આવું કરવાથી તમને બધા કાર્યમાં સફળતા મળશે.તમારે રોજે કિડીયાળું પૂરવું. તેના માટે તમારે રોજ લોટમાં ખંડ નાખીને કીડીઓને ખવડાવવું. આ કરવાનું ઘણું મહત્વ મનાય છે. આના સિવાય માછલીને લોટની ગોળી બનાવીને ખવડાવવી તેનું પણ ઘણું મહત્વ માનવામાં આવે છે. આવું કરવાથી તમે કરેલા પાપનો નાશ થાય છે.

તમારા દ્વારા જે ખરાબ કામ થયા હોય તેનો નાશ થાય છે. આવું કરવાથી માતા લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહે છે. તેનાથી તમારી આર્થિક મુશ્કેલી દૂર થાય છે. પૈસાની આવક વધવા લાગે છે.તમને શનિ અથવા રહું કે કેતુનો દોષ રહેલો છે. તેનાથી મુક્તિ મેળવવા માટે તમારે રોટલી બનાવતી વખતે છેલ્લી રોટલીમાં ઘી ઉમેરી તેને કુતરાને ખવડાવવી.

આવું કરવાથી તમારો દોષ દૂર થશે કારણ કે ગ્રહોની બદલાતી નબળી પરિસ્થિતિ સુધારવા લાગશે અને તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ સને સમૃદ્ધી આવવા લાગશે.એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડ નીચે ભગવાન વિષ્ણુનો વાસ રહેલો છે. તેથી રોજે આ ઝાડના મૂળમાં પાણી ચડાવવું. તેની સાથે ત્યાં દીવો પ્રગટાવવો અને તેની પાંચ પરિક્રમા કરવી. આ વખતે તમારા મનમાં જે ઈચ્છા હોય તે પૂરી કરવા માટે પ્રાર્થના કરવી. એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી મનોકામના પૂરી થાય છે.

આ ઉપરાંત નકારાત્મક ઉર્જાને કારણે પૈસાની ખોટ થાય છે. વ્યક્તિની સંચિત મૂડી ખતમ થવા લાગે છે. ઘરના કોઈ સભ્યની અચાનક તબિયત બગડે છે. ઘરની જરૂરિયાતોને પહોંચી વળવા લોન લેવી પડે છે. વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે અને રૂણ ચુકવવામાં મુશ્કેલી આવે છે. આવી સમસ્યાઓ ફક્ત નકારાત્મક ઉર્જાના કારણે આવે છે.મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવોવાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમને નકારાત્મક ઉર્જાના કારણે મુશ્કેલી આવી રહી છે, તો ઘરના મુખ્ય દરવાજા પાસે સાંજના સમયે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. જો તમે દરરોજ દીવો પ્રગટાવો છો, તો તે નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.

દીવો પ્રગટાવવાથી સુખ આવે છે.પૌરાણિક માન્યતા છે કે જ્યારે ઘરના મુખ્ય દરવાજા પર સૂર્યનો અંધકાર અને અંધકાર શરૂ થાય છે ત્યાર ઘીનો દીવો પ્રગટાવીને માં લક્ષ્મી આશીર્વાદ આપે છે. એવું કહેવામાં આવે છે કે સાંજે લક્ષ્મી પ્રવાસે નીકળે છે અને તેના આશીર્વાદ આપે છે. સવાર-સાંજ ઘરની પૂજા કરવી જોઈએ. આ સાથે દરરોજ સાંજે પૂજામાં લક્ષ્મી આરતીનો પાઠ કરવો જોઈએ. ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સૌથી જરૂરી છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ન થાય. આ માટે તમે લવિંગનો સહેલો ઉપાય અજમાવી શકો છો.

શનિવાર કે રવિવારની સાંજે 5 લવિંગ 3 કપૂર અને 3 મોટી ઈલાયચી લઈને તેને સળગાવી દો. જ્યારે તેમા અગ્નિની જ્વાળા આવે તો તેને બધા રૂમમાં ફેરવો તે સંપૂર્ણ રીતે બળી જાય ત્યારે તેની રાખને મુખ્ય દરવાજા પર ફેલાવી દો.ચાહો તો રાખને પાણીમાં મિક્સ કરીને મુખ્ય દરવાજા પર છાંટા પણ મારી શકો છો. આ ઉપાયથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને મુખ્ય દરવાજો સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે.

ઈંટરવ્યુમાં સફળતા મેળવવા માટે.જો તમે ક્યાક ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો કે પછી કોઈ જરૂરી કામથી જઈ રહ્યા છો તો ઘરેથી નીકળતી વખતે બે લવિંગ મોઢામાં મુકો. અને આ લવિગ જ્યા ઈંટરવ્યુ આપવા ગયા છો ત્યા ફેંકી દો.ઈંટરવ્યુ પર જતા પહેલા ઈષ્ટદેવને પ્રાર્થના કરો. તંત્ર શાસ્ત્ર મુજબ આ ઉપાયથી સફળતા જરૂર મળે છે.

આર્થિક પ્રરેશાની દૂર કરવાના ઉપાય કરો લવિંગથી. મહેનત કરવા છતા ફળ નથી મળી રહ્યુ કે આર્થિક પરેશાની તમને સતત સતાવી રહી છે તો મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિ કે તસ્વીર સમે સરસવના તેલનો એક દીવો પ્રગટાવો.પછી એ દિવામાં બે લવિંગ મુકી દો. અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ સમાપ્ત થયા પછી હનુમાનજીને તમારી સમસ્યા બતાવો.

21 મંગળવાર આ ઉપાય કરવાથી સાથે કાર્યક્ષેત્રમાં ઈમાનદારીથી કામ કરવાથી તમારી પરેશાની દૂર થઈ જશે. ધન વધારવા માટે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે રોજ ગુલાબના ફુલ સાથે લવિંગની 2 કળી પણ માતા લક્ષ્મીને ભેટ કરો.જો રોજ આવુ ન કરી શકો તો શુક્રવારના દિવસે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપરાંત 5 લવિંગની કળીઓ 5 કોડી સાથે લાલ કપડામાં બાંધીને તિજોરી કે કબાટમાં મુકી રાખો. તંત્ર શાસ્ત્ર મુજબ આ ઉપાયથી ઘરમાં બરકત આવે છે.

બની જશે દરેક કામ.ઘરમાં સતત કોઈ બીમાર રહેતુ હોય કે કામ અટ્કી જતા હોય કે પછી શુભ કાર્યોમાં અવરોધ અવી રહ્યો હોય તો દરેક શનિવારે તેલના દીવામાં ત્રણ ચાર લવિંગ નાખીને પ્રગટાવો. આ દિવો ઘરના સૌથી અંધારા ખૂણામાં મુકી દો. આવુ કરવાથી નકારાત્મક શક્તિ ઘરમાંથી નીકળી જશે અને તમને દરેક કામમાં સફળતા મળવી શરૂ થશે જો આપ રાહુ કેતુથી પરેશાન છો તો કરો આ ઉપાય જે લોકોની કુંડળીમાં રાહુ કેતુની સ્થિતિ અનુકૂળ નથી અને તેમની દશામાં પરેશાની આવી રહી છે તેમણે શનિવારે લવિંગનુ દાન કરવુ જોઈએ. જો કોઈ દાન ન લેવા માંગતુ હોય તો તેને શિવલિંગ પર અર્પિત કરી દો.

40 શનિવાર આ ઉપાય કરવાથી રાહુ અને કેતુનો ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જશે. ઘરમાં ખુશહાલી અને આનંદ માટે લવિંગનો છોડ પણ તમે લગાવી શકો છો. લવિંગની કેટલીક કળીઓ સાથે રાખવાથી પણ તમને ફાયદો થશે.આપેલા પૈસા પરત મેળવવામાં પરેશાની હોય તો. જો કોઈએ તમારી પાસેથી ઉધાર લીધુ છે અને તેને પરત કરવામાં આનાકાની કરે છે તો તેની સાથે વિવાદ કરવાને બદલે લવિંગના કેટ્લાક ઉપાય કરી શકો છો.

જેનાથી તમારુ ધન તમને પરત મળી જાય. કોઈ અમાવસ્યાના કે પૂનમની રાત્રે કપૂર પ્રગટાવીને 21 લવિંગથી મા લક્ષ્મીનુ ધ્યાન કરતા તેનુ હવન કરો. માતાને પ્રાર્થના કરો કે તમારુ ધન તમને પરત મળી જાય.વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ તમારા બંગલા અથવા પ્લોટના પ્રવેશ માર્ગ ઉપર તમારા નામની નેમ-પ્લેટ જરૂર હોવી જોઈએ.

બંગલો હોય તો પ્રવેશવાના દરવાજા ઉપરાંત ઘરમાં પ્રવેશવાના દરવાજા ઉપર પણ નેમ-પ્લેટ લગાવવી જોઈએ. એમ કરવાથી એ પ્લોટ અથવા ઘરની માલિકી તમારી પાકી થાય છે અને પ્રવેશ દ્વારથી ઘરમાં પ્રવેશવાના દરવાજા સુધી સકારાત્મક ઉર્જા પ્રસરી રહે છે અને તમે જ્યારે જ્યારે પ્લોટ અથવા બંગલામાં કે ઘરમાં પ્રવેશ કરો તો તમારા લાભની તક તમારી સાથે જ ઘરમાં પ્રવેશે છે.

તેથી તમારા ઘરમાં અને પરિવારમાં રિદ્ધિ-સિદ્ધિનો મેળો રહે છે.તમારા ઘરમાં સવાર-સાંજ ઘીનો દીવો પ્રગટાવો અથવા નાનકડા બલ્બ પ્રગટાવો અથવા મીણબત્તી કે અગરબત્તી પ્રગટાવો. રોજેરોજ સવાર-સાંજ એમ કરવાથી ઘરમાં ભૂલચૂકથીય પ્રવેશી ગયેલી નકારાત્મક ઉર્જા તરત ભસ્મ થઈ જશે અને સકારાત્મક(પોઝીટીવ) ઉર્જા આખા ઘરમાં પ્રસરી રહેશે. એનાથી દરેક વાતે સમગ્ર પરિવારને લાભ થશે.

ઘરના સુખ-શાંતિ અને સતત વધતી સમૃદ્ધિ માટે તમારા ઘરનું રસોડું દક્ષિણ-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. જો એ ખૂણે રસોડું રાખવું બિલકુલ શક્ય જ ન હોય તો બીજું સારૃં સ્થાન ઉત્તર-પિૃમ ખૂણો છે. રસોડું એ ખુણામાં રાખવું. એ દિશામાં રસોડું રાખો તો પણ ગેસ સ્ટોવ દક્ષિણ-પૂર્વ ખૂણા પર આવે એ રીતે રસોડું ગોઠવવું. માનો કે તૈયાર ફ્લેટમાં રહેવા ગયા છો અને એમાં રસોડું બદલવું શક્ય નથી, તો પણ તમારો ગેસ સ્ટોવ દક્ષિણ-પૂર્વ દિશામાં જ આવે એ રીતે રસોડાની ગોઠવણ કરી શકો.

તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને આવતી અટકાવવા માટે રોજે રોજ તમારા ઘરમાં એક ગ્લાસમાં અડધું પાણી ભરી એમાં લીંબુની સ્લાઈસ એટલે કે લીંબુના કાપેલાં પતીકાં રાખી મૂકો. આ ગ્લાસ સતત ઘરના કોઈપણ એક સ્થાન પર ખાસ કરીને હવા-ઉજાસ આવતો હોય એવા સ્થાન ઉપર એટલે કે બારી પાસેના ટેબલ ઉપર મૂકી રાખો. દર શનીવારે ગ્લાસનું પાણી ખાલી કરી દો અને લીંબુની ચીરી કૂંડાની માટીમાં દબાવી દેવી અને ગ્લાસમાં નવું પાણી ભરી નવા લીંબુની ચીરી કાપીને મૂકી દેવી.

ગ્લાસમાં એકથી વધારે ચીરી પણ મૂકી શકાય.ઘરના બધા સભ્યોનું આરોગ્ય સારું રહે એમ ઈચ્છતા હોવ અને ઘરમાં પણ સરસ સ્વસ્થ વાતાવરણ રહે એમ ઈચ્છતા હોવ તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું રસોડામાં કોઈપણ જગ્યાએ દવાઓ ન રાખવી. દવાઓ નકારાત્મક ઉર્જા પ્રસરાવે છે. બીજી બાજુ રસોડું એ પોઝીટીવ ઉર્જા ધરાવતું આરોગ્યનું જનક છે.દવાઓ રસોડામાં રાખવાથી રસોડાની પોઝિટીવ ઉર્જા અને દવાઓની નકારાત્મક ઉર્જાનો ટકરાવ થશે અને ઘરના તથા પરિવારના સ્વસ્થ્ય ઉપર અની વિપરિત અસર પડી શકે.

ઘરના બધા સ્થાનમાં નકારાત્મક ઉર્જાને દુર કરવાના અને પોઝીટીવ ઉર્જા પ્રસરાવવાના ઉપાય કરવાની સાથે સાથે આપણા શરીરમાં પણ નકારાત્મક ઉર્જા પ્રવેશી હોય તો એને દુર કરવી અને શરીરમાં ભરપુર પોઝીટીવ ઉર્જા ભરવી જરૂરી બને છે. એ માટે રોજેરોજ દિવસના કોઈપણ નિરાંતના સમયમાં ૧૫થી ૨૦ મિનિટ સુધી ધ્યાન કરવું. પદ્માસનમાં બેસીને આંખો બંધ કરીને મનને સ્થિર અને શાંત કરવું અને શ્વાસ ઉપર કાબૂ મેળવવો. આ રીતે બેસીને મેડિટેશન કરવાથી શરીરમાંથી બધી નકારાત્મક ઉર્જા દુર થઈ જાય છે અને પોઝીટીવ ઉર્જા આખા શરીરમાં ફરી વળે છે.

Advertisement