મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે હરજી ભાટી એ રામદેવ પીર મહારાજના ભક્ત હતા. એમનો જન્મ પંડિતજી કી ઢાણી ગામ, જે જોધપુર થી રામદેવરા જતા માર્ગ પર આવેલા ઓસિયા ગામ નજીક છે, ત્યાં રાજપુત કુટુંબમાં ઈ. સ. ૧૭૦૧ (વિ. સં. ૧૭૫૭)ના વર્ષમાં થયો હતો.
હરજી ભાટી, જન્મ ૧૭૦૧ માં થયો હતો અને તમને જણાવી દઈએ કે તેમના પિતાના અવસાન સમયે, તેમની ઉંમર ચૌદ વર્ષ હતી. એમની ભક્તિ અને શ્રદ્ધાને કારણે રામદેવ પીરે એમને સાક્ષાત દર્શન આપ્યાં હોવાની વાયકા છે. વિ. સં. ૧૮૩૮ના વર્ષમાં એંસી વર્ષની વયે એમણે સમાધિ લીધી હતી. તેઓ રાજસ્થાનમાં પગપાળા ગામે-ગામ ફર્યા હતા. તેમનો હેતુ ધર્મ સંબંધિત રામદેવ પીરના વિચારો લોકોમાં પહોંચાડી જાગૃતિ આણવાનો હતો. પંડિતજી કી ઢાણી ગામ ખાતે એમની સમાધિના સ્થળે દર વર્ષે મોટો મેળો ભરાય છે.
રાજસ્થાનના પોકરણગઢના રાજવી અજમલજીને આપેલું વચન નિભાવવા અને ધર્મની સ્થાપના કરવા ભગવાન પધાર્યા. વિરમદેના જન્મ બાદ બરાબર એક માસે વિક્રમ સંવત ૧૪૬૧ની સાલ ભાદરવા સુદ દશમની પરોઢે એટલે કે અગિયારસ બેસતાં ભગવાન રણછોડરાય બાળસ્વરૂપે વિરમદેજી સાથે પારણામાં પોઢી ગયા. પોતે દિવ્ય હોવાની, ભગવાન હોવાની નિશાની રૂપે કુમકુમ પગલાં પાડયાં. તેમનું નામ રામદેવજી રાખ્યું. રામાપીરે ઘણાં કાર્યો કર્યાં છે તે બધાને ખબર છે પણ આપણે બીજી જ વાત કરવાની છે.
શિવે પાર્વતીને નિજિયાધર્મ વિશે શું કહ્યું અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરે પાટોત્સવ કર્યો. આ પ્રસંગે હાજર રહેલા સહુને રામાપીરે જણાવ્યું કે આ પ્રસંગે શિવના પાટોત્સવને યાદ કરીએ. શિવે શક્તિને નિજિયા ધર્મ અને ગૃહસ્થ ધર્મ વિશે જે જે વાત કહેલી તે વાત અત્યારે અહીં બધાને સંભળાવું છું. તે ધ્યાન દઈ સાંભળવા યોગ્ય અને જીવનમાં ઉતારવા યોગ્ય છે. રામાપીરે પાટોત્સવમાં ઉપસ્થિત સર્વને જે વાતો જણાવી હતી તે આ પ્રમાણે હતી.
નિજિયા ધર્મના આદ્ય સ્થાપક શિવ અને શક્તિ, નિજ એટલે પોતાનો ધર્મ નિજિયા ધર્મના આદ્યસ્થાપક શિવ અને શક્તિ છે. આ નિજિયા ધર્મમાં સ્ત્રી કે પુરુષ, જ્ઞાતિ-જાતિના કોઈ ભેદભાવ નથી. જે પુરુષ પરસ્ત્રીને પોતાની માતાસમાન માની મનમાં દૃઢ માતૃભાવ રાખે છે તે જ રીતે સ્ત્રી પણ પરપુરુષને સગા ભાઈ જેવો સમજે છે તેઓને જ આ નિજિયા ધર્મમાં સ્થાન છે.ગૃહસ્થાશ્રમ એ માનવસેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું છે અને એ ધર્મ નિજિયા ધર્મ માને છે. જેમને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે.
એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય છે તેઓ આ નિજ ધર્મ પાળતાં હોય છે. હું અને મારું મટી જાય, ધણીપણું ટળી જાય, આપાપણું ગળી જાય એ સાચો નિજારી કહેવાય છે. જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય તેઓ આ નિજધર્મ પાળતાં હોય, ભક્તિભાવમાં પૂરા રંગાયાં હોય એમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે. આવાં ઉપાસક નર-નારીને માયાનો મોહપાશ તૂટી જઈ યુગેયુગના ભવબંધનથી છૂટે છે.
નામ અનેક પણ ગુણ એક જ, બીજ રહસ્ય બતાવનારો પંથ જેને મહાપંથ પણ કહેવાય છે. મહાપંથનાં અનેક નામો મળે છે. નિજિયા ધરમ, નિજર પંથ, બીજમાર્ગ, મહામાર્ગ, ધૂનો ધરમ, સનાતન ધર્મ, માર્ગીપંથ, મોટો પંથ, પાટ પંથ, ગુપ્ત ધરમ, મૂળ ધરમ કે આદિ ધર્મના નામે પ્રચલિત છે. નિરંજન નિરાકાર જ્યોતિસ્વરૂપ આદ્ય શિવ-શક્તિની ઉપાસનાથી માંડીને વિષ્ણુ ભગવાનના અંશાવતાર રામાપીર સુધી તેની ઉપાસના ચાલી આવી છે.
ચાર જુગના ચાર પાટોત્સવ, પહેલા જુગમાં પ્રહ્લાદ રાજાએ પાટ મંડાવ્યો. તેમનાં રાણી રત્નાદેએ એને મોતીડે વધાવ્યો. પાટની ગુરુગાદીએ આદિનાથજી અને કોટવાળ તરીકે ગણેશજી હતા. બીજા જુગમાં હરિૃંદ્ર રાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી તારાદેએ એ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ચૌરંગીનાથ અને કોટવાળ તરીકે ગરુડજી હતા. ત્રીજા જુગમાં યુધિષ્ઠિર રાજાએ પાટ મંડાવ્યો. રાણી દ્રૌપદીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે મચ્છંદરનાથ અને કોટવાળ તરીકે ભૈરવજી હતા.
ચોથા જુગમાં બલીરાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી વિદ્યાવલીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવાળ તરીકે હનુમાનજી હતા. ઉપરાંત ચારેય જુગની કોળીમાં હાથી, અશ્વ, ગાય અને અજિયા દર્શાવાય છે. એના સંકેતોમાં જાણકાર સંતોનું એવું પણ અર્થઘટન છે કે, પહેલા જુગમાં જે હાથી દર્શાવ્યો છે તે હાથી એટલે કે અભિમાન રૂપી હાથીનું બલિદાન છે. બીજા જુગમાં અશ્વ દર્શાવ્યો છે તે પવન રૂપી ઘોડાને વશમાં કરવું- બલિદાન આપવું. ત્રીજામાં ગો એટલે ગાયનું એટલે ઈન્દ્રિયોની તમામ ક્રિયાઓનું બલિદાન આપવું. ચોથામાં અજિયા એટલે સૂક્ષ્મ વાસના રૂપી અજિયાનું બલિદાન આપવું. આવું સંતોએ સમજાવ્યું છે. આ તમામ પાટોત્સવોનું વિવરણ સ્થળસંકોચના હિસાબે ટૂંકમાં આપવાની કોશિશ કરી છે.
ચોપન વર્ષની ઉંમરે રામદેવપીરે વિ.સં ૧૫૧૫ની સાલમાં ભાદરવા સુદ-૧૧ ને ગુરુવારના દિવસે રણુજા (રામદેવરા)માં સમાધિ લીધી. દયાળીબાઈએ રામાપીરે સમાધિ લીધી એના બે દિવસ પહેલાં સમાધિ લીધેલી. રામદેવપીરે સમાધિ લીધા પછી રાણી નેતલદેને બે જોડિયા પુત્ર અવતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી. રણુજામાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે.રામદેવ પીરે સમાધિ લીધા પછી બસ્સો બેંતાલીસ વર્ષ બાદ (વિ.સં. ૧૭૫૭, જેઠ વદ પાંચમના રોજ) હરજી ભાટીને પરચો આપેલો.
હરજી ભાટીનું ગામ રણુજાથી લગભગ ૧૪૦ કિમિ. દૂર ઓસિયા ગામ (ઓસિયાથી ૧૫ કિમી. દૂર) પાસે છે જે પંડિતજીની ધાણી તરીકે ઓળખાય છે. જે સ્થળે હરજી ભાટીને રામાપીરે સાધુના વેશે દર્શન આપેલ તે સ્થળ હરજી ભાટીના ગામથી ત્રણેક કિમી. દૂર છે જ્યાં નાનું રામાપીરનું મંદિર છે.આ મંદિરની ટેકરી પાછળ નાની તળાવડી છે જ્યાંથી હરજી ભાટી રામાપીર માટે પીવાનું પાણી ભરી લાવ્યા હતા. વિ.સં. ૧૮૩૮ના રોજ હરજી ભાટીએ સમાધિ લીધેલી. હરજી ભાટીની જગ્યામાં ગાદીપતિ તરીકે હરજી ભાટીના પરિવારમાંથી જે આજીવન કુંવારા રહી શકે તેને જ બેસાડવામાં આવે છે.