જાણો રામદેવજી ની આ ચમત્કારી ધૂન વિશે જેને સવારે ઊઠીને જાપ કરવાથી દૂર થાય છે દરેક સમસ્યાઓ..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે રામદેવજી ની પૂજા અર્ચના આજે પણ લોકો ખૂબ જ શ્રદ્ધા થી કરતા હોય છે અને રામદેવજી દરેક લોકોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે.મિત્રો આજે અમે તમને રામદેવજી મહારાજની એક ધૂન વિશે જણાવવા જઈ રહ્યા છે.

ધૂન.
રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પર દંગાજી
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

ઉગ્યો રવિને કિરણાયું કિધી ત્યારે વાણિયે વાણ હંકારીયા જી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

એબ ગેબના વાગે નગારા મારેકાને મંજીરા સુનાયાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

સોનાની પાવડીને રુપાની બાવડી રૂમઝુમ કરતા આવ્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

વાણિયાની જહાજ બેડી બુડવાને લાગી ત્યારે હિંદવાપીરને સમર્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

હરી ચરણે ભાટી હરજી બોલ્યા તારા બાનાની પત રાખોજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

રામદેવપીરની સમાધી, સવંત ૧૫૧૫ને ભાદરવા સુદ સાતમના દિવસે રામદેવજી મહારાજે લીલા સંકેલી લેવાનુ. સંકેત અજમલજીને આપ્યો. તેમને સ્વપ્ન આવ્યું જાણે પોતે દ્વારિકા નગરીમાં છે. રત્ન જડીત હિંડોળામાં રણછોડરાય બિરાજમાન છે. ત્યાં રામદેવપીર આવ્યા અને રણછોડરાયમાં સમાઇ ગયા. તેમજ લીલુડો ઘોડો પણ ગરૂડજીમાં સમાઇ ગયો. આ જોઇ અજમલજીએ જોરથી જઇ રામદેવપીર એવો નાદ કર્યો. અજમલજી જાગૃત અવસ્થામાં આવ્યા. ત્યારે રામદેવજીએ કહ્યું હું ભાદરવા સુદ નવમીના દિવસે સમાધી લઇ પડદે પરિયાણ કરવાનો છુ. આ મારો અડગ નિર્ણય છે.આ નિર્ણયથી અજમલજી અને મિણલદે સર્વેને વજ્રપાત થયો, માતા મિણલદે કલ્પાંત કરવા લાગ્યા ત્યારે રામદેવજીએ કહ્યું આ જગતમાં જન્મે છે એકલો અને મરે પણ એકલો.

કોઇકોઇની સાથે આવતુ નથી માટે મોહ ખોટો દુર કરો. માતા મિણલદે કોઇ વાત સાંભળતા નથી. રામદેવજી માતાને કહે છે. તમારો સ્નેહ મને વિહવળ કરે છે માટે હું તમને વચન આપુ છુ. તમારી પેઢીએ પેઢીએ પીર થશે. છતા માતા મિણલદે વાત માનતા નથી ત્યારે રામદેવજી અજમલજીને કહે છે,”પિતાજી ખોટી માયા છોડી ભગવાન સ્મરણમાં જીવન જોડો તો ઉધ્ધાર થશે. હું અને તમે માત્ર અમુક કારણે ભેગા થયા તે કારણ પુરૂ થયુ એટલે હું મારા રસ્તે અને તમે તમારા રસ્તે. તમે સમુદ્વમાં માંગ્યુ હતુ તે તમને મળી ચુકયુ છે.

માટે મમતા છોડો” આ રીતે અજમલજીના મનનું સમાધાન થઇ ગયું રણુજામાં ભાદરવા સુદ નોમના દિવસે પીરના નેજા રોપાઇ ગયા. માતાએ તિલક કરી ગળામાં પુષ્પની માળા પહેરાવી. રામદેવજીએ સમાધી ખોદવાની આજ્ઞા આપી. સૌ સગા સંબંધીને મળે છે. આ વખતે ડાલીબાઇ આવી સમાધી સ્થળ પોતાનું છે તે માટે પ્રમાણ આપ છે અને રામદેવજી મહારાજના આર્શિવાદ લઇ પોતે સમાધી લઇ લે છે. ભાદરવા સુદ અગિયારસનો દિવસ રામદેવજી મહારાજના પડદે પરીયાણનો દિવસ છે.

જેથી સવારે બ્રહમ મુહુર્તમાં ધ્યાનથી પરવારી હાથમાં શ્રીફળ લઇ રામદેવજીએ જનસમુદાયને ૨૪ ફરમાનો કહ્યા અને તે પાળવાની આજ્ઞા આપી. રામદેવજી મહારાજે દિવ્ય પ્રકાશમાંથી પોતાનું નિજ સ્વરૂપ જે અમરપદ વાળુ છે. તેના સૌનૈ દર્શન કરાવી જણાવ્યુ આ મારુ દિવ્ય નિજ સ્વરૂપ કાયમ રહેશે. તમે તેનું ધ્યાન ધરશો તો હું તમારી સમીપ રહીશ આ સ્વરૂપ સૌને મુક્તિ પમાડનારૂ છે. તેમાં શંકા કે સંદેહ કરશો નિહ આટલું કહી રામદેવજી મહારાજ સમાધી પાસે આવ્યા. અજમલજીએ અભય અચંળો, વિર ગેડીયો, અમલ દાબડી અને રતન કટોરો પરત કરી સમાધીમાં મુકાવ્યા.

રામદેવજી માતા પિતાને પાય લાગી સૌને નમન કરી કહેવા લાગ્યા, મારો સમય પુરો થયો છે મારી સમાધી ઢાંકી દીધા બાદ કોઇ ખોલીને જોશો નિહ. પડદો ઉઘાડશો નિહ. મારા વચનમાં કોઇ શંકા રાખશો નિહ. મારા વચન ઉપર શ્રધ્ધા રાખજો. મારા ફરમાનો, આજ્ઞાઓ અને સુચના ધર્મની મહતા વધારવા માટે છે. માટે શ્રધ્ધા રાખી મનને અડગ રાખજો. તુવરા કુળમાં પેઢીએ પેઢીએ પીર થઈ પરચા પુરીશ. મારી સમાધી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આવી તમને ભોળવી ખોલવાનું કહે તો પણ ખોલશો નિહ અને કોઇના વચનથી છેતરાઇ મારી આજ્ઞાની અવગણના કરશો નહિ.

લીલો નેજો ફરકાવી પાઠ પુજા કરજો. રાત્રે જમા જાગરણ કરી ભજન કિર્તનથી સવરા મંડપ શોભાવજો. જયાં જયોિત પાઠ થશે ત્યાં હું અવશ્ય હાજર રહીશ. આ મારૂ વચન છે. સવરા મંડપમાં મારો આરાધ થવાથી હું ગત ગંગામાં જુદાજુદા સ્વરૂપે આવી બેસીશ આટલું કહી રામદેવજી સમાધીમાં ઉતરવા લાગ્યા, અડધા ઉતર્યા ત્યાં તેમનું તેજો મય નિજ સ્વરૂપ પ્રગટયું. આકાશમાં દુંદુભી વાગવા લાગ્યાં પુષ્પોની વૃષ્ટિ થવા લાગી જાણી ર્સ્વગમાંથી દેવો, અપસરાઓ, ગાંર્ધવો, કિન્નરો સામૈયું લઇને આવ્યા હોય તેવું લાગવા માંડયું. છેવટે માટી પુરાઇ ગઇ અને સૌએ કઠણ હૈયે રામદેવજીનો જયનાદ કર્યો. રામદેવજીએ હરભુજીને છેવટના મીલનનો કોલ આપ્યો હતો તેથી સ્વપ્નમાં આદેશ આપ્યો ઉઠ હું ચેતી ગયો છુ.

આથી હરભુજીને કાંઇ સમજણ પડી નિહં તે ખેરકર આવ્યા ત્યારે રણુજાથી આવેલ સાધુએ રામદેવજી પડદે પોઠયાની વાત કરી. આ સાંભળી હરભુજી રણુજા જવા ઉપડયા. હરભુજીને રસ્તામાં વચ્ચે રામદેવજી મહારાજ મળે છે. બન્ને વાતો કરે છે. મેવા મીઠાઇ આરોગે છે. અને રતન કટોરો માતા મિણલદેને, વિર ગેડીયો વિરમદેને, અમલદાબડી અજમલજીને આપવા જણાવ્યું અને કનક કટારી હરભુજીને આપી છુટા પડયાં. હરભુજી રણુજા આવે છે ત્યારે રામદેવજીને પરલોક સિધાવ્યાને ત્રણ ચાર દિવસ થયા છે એમ કહેતા હરભુજી કહે છે મને રામદેવજી હમણા રસ્તામાં મળ્યા.

અમે વાતો કરી માવા મિઠાઇ આરોગી અને આ રતન કટોરો, વિર ગેડીયો અને અમલ દાબડી આપી છે. આ વાત સાંભળી વાદ વિવાદ અને તર્કના કારણે સૌને અજ્ઞાન થયું રામદેવજીએ આપેલ આજ્ઞા વિસરાઇ ગઇ અને સૌએ સમાધી ખોદવા માંડી આથી રામદેવજી મહારાજનો શ્રાપ થાય છે અને આકાશવાણી થઇ કે તુવરા કુળમાં કોઇ પીર પ્રગટશે નિહ તેમજ તમે કાબા થઈ માલ લુટીને જીવશો. તમને ફકત જયોતનો અધિકાર મળ્યા.