મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે કળિયુગમાં પવનપુત્ર હનુમાનજી પોતાના ઉપાસકોના કલ્યાણ માટે હમેંશા તત્પર રહે છે.એવી માન્યતા છે કે આ યુગમાં જો ભક્ત માત્ર હનુમાનજીના બાર નામોનું સ્મરણ કરીને જપ કરે તો તેની સારી મુશ્કેલીઓ, સમસ્યાઓ અને વ્યાધિ દૂર થઈ જાય છે. જો હનુમાનજીના અનેક નામો પૈકી કોઈથી તેમના જાપ કે આહ્વાન કરવામાં આવે તો હનુમાનજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
ઈશ્વર પર દરેક ભક્તો ખુબ જ આસ્થા રાખે છે કારણકે તેમને ખ્યાલ છે કે સંકટ સમયે મુશક્લી સમયે કોઈ સાથ આપે કે ન આપે જો ઈશ્વરનું સ્મરણ કરેલુ હશે તો ઈશ્વર ચોકકસથી વહારે આવશે અને સંકટમાંથી મુક્તિ અપાવશે..તો આવો આજે એક સાથે હનુમાન અને ગણપતિની કૃપા કરીએ પ્રાપ્ત.જેમાં ગજાનન ગણપતિની આરતી અને ભજનવંદના થકી સંકટોમાંથી મેળવીએ મુક્તિ .સાથે જ માણસામાં સ્થાપિત વિહારીયા હનુમાન ધામનાં કરીશુ દર્શન તો વિવાહનાં વિલંબને દૂર કરવા અને સફળ ગૃહસ્થજીવન માટે મંગળચંડિકા દેવીનાં કયા કરવા ઉપાય..
તે અંગેની ખાસ વાત જણાવશે શાસ્ત્રીજી મહારાજ તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો, હવે આપને દર્શન કરાવીશુ ગાંધીનગરના વિરાહ ગામમાં નિર્મિત પાંચસો વર્ષ જૂના હનુમાન મંદિરના. આમ તો હનુમાન મંદિરોમાં પ્રભુના ડાબા પગમાં પનોતી જોવા મળે છે પરંતુ આ ધામમાં પવનપુત્રની જમણા પગમાં પનોતિ છે. જે આ ધામને અનન્ય બનાવે છે. તો આવો સાથે મળીને જાણીએ માણસાના વિહારિયા હનુમાનનો મહિમા.
ભારતના લગભગ દરેક ગામમાં હનુમાનજીનું નાનું મોટું મંદિર અવશ્ય હોય જ છે. નાનાં નાનાં ગામમાં તો ભાગોળે હનુમાનજીનું મંદિર હોય છે જ. આજે આપણે વાત કરવાની છે ચાંદખેડાના જનતાનગરમાં આવેલા જય વીર ઝંડ હનુમાનજીના મંદિરની.આ મંદિર મહાભારત કાળ નુ છે તેવુ જણાઈ આવે છે. આ દેવસ્થાન ને ઝંડ હનુમાન ના મંદિર ના નામ થી ઓળખવા મા આવે છે.
આ દેવસ્થાન જાંબુઘોડા ના વન વિસ્તાર વાળા ભાગ મા આવેલુ છે. એવી માન્યતા છે કે જે કોઈપણ શનેશ્વરી અમાસ તથા શનિજયંતિ ના દિવસે આ દેવસ્થાને દર્શન કરવા માટે આવે છે તેમના જીવન મા ક્યારેય પણ શનિ ની સમસ્યા નથી પ્રવર્તતી તથા જીવન મા આવતી તમામ બાધાઓ દૂર થઈ જાય છે.
પાવાગઢથી ૪૦ કિલોમીટર દૂર જાંબુઘોડા અભયારણ્યમાં ઝંડ વીર હનુમાનજીનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિર ૪૦૦ વર્ષ જૂનું છે. બીજા કેટલાકના કહેવા પ્રમાણે હનુમાનજીની આ મૂર્તિ મહાભારત કાળમાં પાંડુશ્રેષ્ઠ ભીમે સ્થાપી હતી. તે પછી નામ તેનો નાશ કહેવત મુજબ હનુમાનજીની મૂર્તિ સિવાયના આજુબાજુના સ્થળનું કેટલીય વખત સર્જન વિસર્જન થયું, હનુમાનજીની મૂર્તિ આજે પણ તેવી ને તેવી જ છે.
આ દેવસ્થાન ના ઈતિહાસ અનુસાર આ સ્થાન પર હીડીમ્બા વન હતુ અને જ્યારે પાંડવો ને વનવાસ ભોગવવા નો હતો ત્યારે તેઓ આ વન મા સ્થિત થયા હતા. આ વન મા પાંડવો આવે છે ત્યારે ભીમ પોતાના બળ વડે માર્ગ મા આવતા વૃક્ષો ઉખાડી ને ફેંકી નાખતો. આમ ભીમ ને પોતાના બળ પ્રત્યે ખૂબ જ અહંકાર આવી ગયો હતો.ભીમ ના આ અહંકાર ના દૂષણ ને દૂર કરવા માટે પ્રભુ શ્રી હનુમાનજી એક વૃધ્ધ વાનર નુ સ્વરૂપ ધારણ કરે છે અને ભીમ જે માર્ગ થી આવી રહ્યો હતો તે રસ્તા મા વચ્ચે સૂઈ જાય છે.ભીમ આ વાનર ને માર્ગ મા થી દૂર હટી જવા માટે ચેતવણી આપે છે.
પરંતુ , વાનર ભીમ ની વાત ને મચક પણ આપતો નથી.એક વખત જનતાનગરના એક હનુમાન ભક્ત જાંબુઘોડા ગયા. તેમને હનુમાનજીની આ મૂર્તિ ખૂબ ગમી ગઇ. તેમણે મનોમન નક્કી કરી લીધું કે આવું જ એક મંદિર મારે ચાંદખેડા જનતાનગરમાં બનાવવું છે. બીજા અનેક ભક્તોને લઇને તેઓ ફરીથી જાંબુઘોડા ગયા. તેમણે તેમને આ મંદિર બતાવ્યું અને જણાવ્યું કે આપણે જનતાનગરમાં આવું એક મંદિર બનાવીએ. ભક્તો તરત સંમત થઇ ગયા.
હનુમાનજીની મૂર્તિ તેમણે અમદાવાદ માંથી લીધી. થોડો ફાળો ઉઘરાવ્યો અને મંદિરનું બાંધકામ ચાલુ કર્યું. કહેવાય છે કે જાંબુઘોડા અભયારણ્યમાં શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુને પાતાળમાં તીર મારીને પાતાળ ગંગા પ્રગટ કરી. આજે પણ ત્યાં પાણીની તંગી પડતી નથી. આ પાતાળ ગંગા માંથી અવિરત પાણી વહ્યા કરે છે. એક વખત જાંબુઘોડાના હનુમાનજીના દર્શન કરનારને અહીં દરરોજ આવવાનું મન થાય છે.
ત્યારે પ્રભુ હનુમાન પોતાના મૂળ સ્વરૂપ મા આવી ને ભીમ ને દર્શન આપે છે. ત્યારે હનુમાનજી ભીમ ને સમજાવે છે કે , ક્યારેય પણ પોતાની તાકાત નો અહંકાર ના કરવો. તારા મા રહેલી તાકાત નો તુ જરૂરીયાતમંદ અને નિઃસહાય લોકો માટે ઉપયોગ કર અને તેમની સેવા કર. આ ઉપરાંત તેમણે ભીમ ને વરદાન આપ્યુ કે , તુ જ્યારે પણ વિકટ પરિસ્થિતિ મા હઈશ ત્યારે હુ તારી સાથે જ હઈશ. ત્યાર થી આ વન ને હેડમ્બા વન તરીકે ઓળખવા મા આવે છે.
હનુમાનજી નુ આ દેવસ્થાન અત્યંત ભવ્ય છે. અહી તમે હનુમાનજી હાથ મા કટાર તથા ઘોડા પર સવાર થતી પ્રતિમાઓ પણ નિહાળી શકો છો. ભીમ દ્વારા સ્વયં અહી હનુમાનજીની પ્રતિમા સ્થાપવા મા આવી હતી. આ મૂર્તિ ૧૨ ફૂટ ની છે જે તમે હાલ પણ આ વન મા નિહાળી શકો છો. પ્રાચીન ઈતિહાસ મા આ જગ્યા ને વિશેષ દરજ્જો આપવા મા આવ્યો છે.
અહી દૂર-દૂર થી લાખો લોકો દર્શન માટે પધારે છે.આ દેવસ્થાન મા હનુમાનજી ની પ્રતિમા ના ચરણો પાસે શનિદેવ સ્વયં સ્થિત છે. તેવુ માનવા મા આવે છે. અહી આવેલી શનિદેવ ની પ્રતિમા કાળા નહી પણ સફેદ રંગ ની છે. એવુ કહેવાય છે કે આ જગ્યા પર પ્રભુ શ્રી હનુમાનજી એ ભીમ ની સાથે શનિદેવ નો અહંકાર પણ ઓગાળ્યો હતો અને પોતાના ચરણો નીચે દબોચી લીધા હતા. જેથી , શનિદેવ પ્રભુ શ્રી હનુમાનજી ના શરણે આવે છે અને તેમનુ સ્વરૂપ ધોળુ થઈ જાય છે.
ચાંદખેડા જનતાનગરના પ્રવેશદ્વારમાં જ જય વીર ઝંડ હનુમાનજીનું મંદિર છે. મંદિરના પ્રવેશદ્વારમાં જમણી બાજુ ગણેશજી તથા ડાબી બાજુ કાળભૈરવ દાદા છે. મંદિરના પ્રવેશદ્વારની ડાબા હાથે સંભવનાથ જૈન દેરાસર છે. જમણે હાથે શનિદેવનું ખૂબ સુંદર મંદિર છે. કહેવાય છે કે શનિદેવ ન્યાયના દેવતા છે. તેઓ ક્યાંય અનિષ્ટ થવા દેતા નથી. વીર ઝંડ હનુમાનજીના મંદિરમાં સવાર સાંજ આરતી ટાણે ખૂબ ભક્તો ઊમટી પડે છે. આ મંદિરમાં દર શનિવારે સુંદરકાંડનો પાઠ કેતન કામલેની વ્યાસપીઠે થાય છે.
આ મંદિર થોડા સમય પહેલાં જ બન્યું છે, પરંતુ ભક્તોમાં તેની ગજબની આસ્થા વધી ગઈ છે.વનવાસ ના સમયગાળા મા પાંડવોએ અહી સમય વ્યતીત કર્યો હતો. આ ઉપરાંત અહી અર્જુન ના બાણો દ્વારા રચિત કૂવો પણ નિહાળી શકાય છે. જે દ્રોપદી ની તરસ છીપાવવા માટે નિર્માણ કરવા મા આવ્યો હતો. હનુમાનજી ના આ પ્રાચિન મંદિર સમીપ એક પ્રાચિન શિવાલય તથા હિંગળાજ માતા નુ દેવસ્થાન પણ જોવા મળે છે. આ દેવસ્થાન ના દર્શન માત્ર થી વ્યક્તિ ના જીવન મા શનિ ની પનોતી દૂર થઈ જાય છે.