તમે ઘણી વિચિત્ર ઘટનાઓ બનતી જોઈ હશે. જો તમને કંઈક થાય છે, તો કોઈક બીજા સાથે બનશે, જેને સાંભળીને તમે ચોક્કસ આશ્ચર્યચકિત થશો. આવા જ કેટલાક હાસ્ય પતિ-પત્ની વચ્ચે સેક્સ દરમિયાન થાય છે. કેટલાક લોકો તમને જોઈને હસી પડે છે અને કેટલીક વાર તમને વિચારવાની ફરજ પડે છે કે આવું કેમ થયું? ચાલો આજે આપણે એવી વ્યક્તિની રજૂઆત કરીએ જે સેક્સ દરમિયાન ખૂબ પીડાદાયક અકસ્માત સર્જાયો હતો.
એક વ્યક્તિ લાંબા સમયથી પથારીમાં તેની પત્ની સાથે સેક્સ વિશે વાત કરી રહ્યો હતો, પછી તે બંનેના મૂડમાં આવતા જ પતિ તેની પત્ની ઉપર સેક્સ માણવા માટે જઇ રહ્યો હતો કે તેણે યોનિમાર્ગને ટકરાતાં જ તેનું શિશ્ન તૂટી ગયું. માણસની ઉંમર 42 વર્ષ કહેવાય છે. પલંગ સંપૂર્ણ લોહીથી લથબથ હતો. માણસ મુજબ તેણે આ ભંગાણનો અવાજ પણ સાંભળ્યો હતો. તોડ્યા પછી, તરત જ ઉત્થાન સમાપ્ત થઈ ગયું હતું અને તેના શિશ્નમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેને ભારે પીડા થઈ હતી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
ડોકટરોના જણાવ્યા અનુસાર, અકસ્માત શિશ્નની બાહ્ય પડ, ટ્યુનિકા અલબુગિનીયાના ભંગાણને કારણે થયો હતો.આ પછી શું થાય છે – ડોકટરોએ જણાવ્યું હતું કે આવા અસ્થિભંગ પછી, ઇરેક્ટાઇલ ડિસફંક્શન ટટ્ટાર શિશ્ન થવાની પ્રક્રિયા વિક્ષેપિત થાય છે, થોડા દિવસો સુધી, શિશ્નમાં વળાંક અથવા નમવું, જાતીય અવયવોમાં ચેતા. નુકસાન થયેલ છે.હવે આગળ શું છે? – ડોકટરોના જણાવ્યા પ્રમાણે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. અને કાયમી આરામના થોડા દિવસો પછી, તેમના શિશ્નને ધીમે ધીમે ફરીથી ઉત્થાન થવાનું શરૂ થશે.
જાણો અન્ય સ્ટોરી.નાનપણથી ડર હોવો : પરિવારમાં નાનાપણથી જ છોકરીઓ પર ઘણી રોકટોક કરાતી હોય છે. છોકરીના મનમાં નાનપણથી જ પુરુષ તરફ ડર અને અસુરક્ષાની ભાવના જન્મ લે છે. લગ્ન થયા પછી પણ આ બધી વાત તેમના મનમાંથી નીકળી શકતી નથી. જેના કારણે તે પતિને પણ પથારીમાં સહકાર આપી શકતી નથી.
સેક્સને ગંદી વાત માને છે : બીજી વાત એ છે કે નાનપણથી જ છોકરીઓના મનમાં સેક્સ વિશે એ ગંદી અને ખરાબ વાત છે તેવું ઠાંસી દેવાય છે. આ કારણે તે લગ્ન પછી પણ સેક્સને લઈને સામાન્ય બની શકતી નથી.મધુરજનીનો ખરાબ અનુભવ : ઘણા પુરુષો તેમની મર્દાનગીનો પુરાવો આપવા માટે મધુરજનીએ ખતરનાક રીતે સંબંધ બનાવે છે. આવી ખોટી રીતથી સંબંધ બાંધનાર સ્ત્રીમાં સેક્સ તરફનો રસ ખતમ થઈ જાય છે.
પીડાકારક સેક્સ : જો કોઈ કારણસર સેક્સ દરમિયાન સ્ત્રીને પીડા થાય ત્યારે તેના તરફ અવગણના કરી પતિ દ્વારા બળજબરીથી સંબંધ બનાવાતાં પણ તેનો સેક્સ પ્રત્યે રસ ઓછો થઈ જાય છે.દુર્ઘટનાનો સામનો : નાનપણમાં છોકરી સાથે કોઈ પણ પ્રકારની ઘટના થઈ હોય, તો તેને સેક્સનો ડર લાગવા માંડે છે. પરિણામે તે સેક્સ સમયે પતિને સાથ આપી શકતી નથી.
સેક્સ અંગે અણસમજ : સેક્સ અંગેની જાણકારી ન હોવાથી સેક્સ તરફ અરુચિ પેદા થાય છે. તે એ નથી જાણતી કે સેક્સ શરીર માટે જરૂરી છે અથવા સેક્સ આનંદ પણ આપે છે. જેથી તે સેક્સ સમયે નિર્જીવ બની પડી રહે છે.દોડધામભર્યું જીવન : પતિપત્નીનું વ્યસ્ત જીવન સેક્સ તરફ અરુચિ પેદા કરે છે. તેમની પાસે સેક્સ માટે સમય હોતો નથી. સમયની કમી હોય છે. તે કારણે સેક્સને જેમતેમ પતાવી દે છે. જેના કારણે ધીરે ધીરે સેક્સ તરફ અરુચિ પેદા થાય છે.
ઘરનું વાતાવરણ : નાના રૂમમાં વિશાળ પરિવાર રહેતો હોવાથી સેક્સ સંબંધ બાંધવાનું મુશ્કેલ બની જાય છે અથવા છુપાઈને ડરતાં ડરતાં સંબંધ બાંધવાથી સેક્સ પ્રત્યે અરુચિ પેદા થઈ જાય છે.બાળક થયા પછી : કેટલીક સ્ત્રીઓને બાળકના જન્મ પછી સેક્સની ઈચ્છા મરી જતી હોય છે. તે સેક્સ માટે જરા પણ તૈયાર થતી નથી. આ તકલીફ ઘણા મહિનાઓ સુધી રહેતી હોય છે.પતિપત્ની વચ્ચે બીજીનો પ્રવેશ : પતિપત્ની વચ્ચે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ પ્રવેશે ત્યારે એ સ્થિતિમાં સ્ત્રી તેના પતિને ઉપરછલ્લો પ્રેમ કરે છે. તેની સાથે સંબંધ બાંધવામાં રસ લેતી નથી.
ઉત્તેજનાની ઊણપ : સ્ત્રીને ગરમ ન કરીને જે પુરુષ સેક્સને માત્ર પૂર્ણ કરવાનું કામ સમજે છે તેવા પુરુષની પત્ની સેક્સમાં ઓછો રસ લે છે.સેક્સની બીમારી : વેજિનાઈટિસ, વ્હાઈટ ડિસ્ચાર્જ, સિફલિસ, યુટ્ર્સનું કેન્સર વગેરે બીમારીથી સેક્સ સમયે દર્દ થાય છે. આ સ્થિતિમાં સ્ત્રીનો સેક્સ પ્રત્યે રસ ખતમ થઈ જાય છે.
મેનોપોઝ : રજોવૃત્તિ અર્થાત્ મેનોપોઝ દરમિયાન સેક્સ અંગોમાં ફેરફાર થાય છે. સ્ત્રીના સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. અંગ અને સેક્સમાં રસ ઘટી જાય છે.બીમારી : ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, માનસિક બીમારી વગેરે થવાથી પણ સ્ત્રીમાં સેક્સની ઈચ્છા ઘટી જાય છે.હોર્મોનની ઊણપ : એસ્ટ્રોજન હોર્મોન અથવા ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું થાય ત્યારે સેક્સની ઈચ્છા ખતમ થઈ જાય છે.
દવાઓ : એવી ઘણી દવા છે, જે સેક્સની ઈચ્છાને ઓછી કરી નાખે છે. દાખલા તરીકે બ્લડપ્રેશર, ડાયાબિટીસની દવા.પતિની નિરક્ષતા : પુરુષ જો તેની પત્નીને બરાબર પ્રેમ કરતો ન હોય, તેને હંમેશાં તિરસ્કારતો રહે ત્યારે એ સ્ત્રીને સેક્સમાં રસ રહેતો નથી.ચીકાશની ઊણપ : અંગમાં લુબ્રિકેશન અર્થાત્ ચીકાશ ન હોય તો પણ સેક્સમાં આનંદ આવતો નથી.
અસંતોષ રહેવો : જ્યારે કોઈ પુરુષ સ્ત્રીને સંતોષ આપી શકતો નથી અને વારંવાર એવું બને પ્રેમની અવગણા શા માટે છે ત્યારે સ્ત્રીને સેક્સ ગમતું નથી.અણગમતો પતિ: કેટલીક છોકરીઓએ લગ્ન પહેલાં મનમાં પોતાના પતિની એક ઈમેજ ઊભી કરી હોય છે. જ્યારે એ મુજબનો પતિ મળતો નથી ત્યારે તે પતિ સાથે સેક્સમાં પૂરેપૂરો સહકાર આપી શકતી નથી.
સ્ત્રીને સેક્સ પ્રત્યે અરુચિ પેદા થાય એ કંઈ બહુ મોટો પ્રશ્ન નથી. આ મૂંઝવણને દૂર કરવા માટે પતિએ સમજણપૂર્વક કામ લેવું જરૃરી છે. પતિનો સહયોગ મળતાં પત્નીની આ મૂંઝવણ સહેલાઈથી દૂર થઈ શકે છે.ત્યાર પછી પણ જો મૂંઝવણ કાયમ રહે તો ડોક્ટરને બતાવવું જોઈએ.ડૉક્ટર સૌ પહેલાં કેટલાક સવાલ પૂછશે. કેસની હિસ્ટ્રી જાણશે જેથી આ મૂંઝવણના કારણની જાણ થાય.
સ્કૂલમાં ભણતો હતો ત્યારે જે મારો પહેલો ક્રશ હતો તેની સાથે જ મારાં લગ્ન થયાં છે. તેને પટાવતાં મને નવ નેજાં પાણી ઉતર્યાં હતા. એટલું જ નહીં, તે માની પછી બન્નેના ઘરવાળાઓનો વિરોધ વચ્ચે આવ્યો. આખરે બન્ને પરિવારોથી છુટા પડીને અમે લગ્ન કર્યાં એ વાતને સવા વરસ થશે. હવે મારી મૂળ સમસ્યા આવે છે. આટલા વખતમાં હજી સુધી અમે યોનિ સમાગમ કર્યો નથી. મારી વાઇફ ખૂબ શરમ-સંકોચવાળી છે. જોકે ફોરપ્લે દરમ્યાન તે ખીલી ઊઠે છે. જોકે એનાથી આગળ વધીએ એટલે કે યોનિપ્રવેશ કરવાની કોશિશ કરું એટલે તેને દુખાવો થવા લાગે છે.
મૅરેજ પછી અમે હનીમૂન માટે ચાર દિવસ બહાર ગયેલાં ત્યાં પણ અમે માત્ર ફોર-પ્લે જ કરેલું. અમે પરસ્પરને મુખમૈથુન કરી આપીએ છીએ, હસ્તમૈથુન કરી આપીએ છીએ, પણ સમાગમ નથી થઈ શકતો. ઇન્દ્રિયપ્રવેશ થાય છે, પણ પત્નીને બહુ દુખે છે એટલે વચ્ચે જ અટકી જઈએ છીએ. છેલ્લા બે મહિનાથી તો અમે સમાગમનો પ્રયત્ન પણ નથી કર્યો; ઓરલ સેક્સથી જ પરસ્પરને સંતોષી લઈએ છીએ. શું મારી સેક્સલાઇફ આવી જ રહેશે? પત્નીને પીડા આપીને સુખ ભોગવવાનું મન નથી થતું,
છતાં વચલો કોઈ માર્ગ નીકળતો હોય તો સૂચવશો.પહેલી વાર જ્યારે ઇન્દ્રિયને યોનિમાર્ગમાં મૂકવામાં આવે ત્યારે સામાન્ય કરતાં થોડુંક વધુ દુખે એ સહજ છે, પણ થોડાક પ્રયત્નથી એ કામ આસાન થઈ જતું હોય છે. કાં તો તમે થોડાક દુખાવાથી ડરીને પ્રવેશ કરતાં અચકાતા રહ્યા છો કાં પછી ખરેખર તમે સિન્સિયર પ્રયત્ન કર્યા પછી પણ સમાગમ શક્ય બન્યો નથી.યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોય તોપણ પેનિટ્રેશન દરમ્યાન પીડા થઈ શકે છે. હવે ફોર-પ્લે પછી યોનિમાર્ગમાં પૂરતી ચીકણાહટ આવી છે એવું ચેક કર્યા પછી બે ટકા કૉન્સન્ટ્રેશનવાળી ઝાયલોકેન જેલી યોનિમાર્ગની આસપાસ લગાવો.
એમ કરવાથી પત્નીને દુખાવાની સંવેદના ઘટી જશે. એ પછી તમે ઇન્દ્રિયપ્રવેશ કરવાનો પ્રયત્ન કરો. મોટા ભાગે આ પ્રયોગ કરવાથી યોનિપ્રવેશ સરળ થઈ જશે ને તમે સફળ સમાગમ માણી શકશો. ધારો કે આ પ્રયોગ પણ નિષ્ફળ જાય તો કોઈ સારા સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. કોઈ શારીરિક તકલીફ છે કે માનસિક એનું યોગ્ય નિદાન કરીને આગળ વધી શકાશે.
હું ૪૨ વર્ષનો પરિણીત પુરુષ છું. છેલ્લા કેટલાક વખતથી મને સમાગમ પછી તકલીફ થાય છે. ખંજવાળ, બળતરા અને ત્વચા ફાટી જવાની સમસ્યા રહે છે. સમાગમ પછી ઇન્દ્રિયની ત્વચા ઇરિટેટ થઈ ગયેલી હોય છે. લાલાશ અને ખંજવાળ રહ્યા કરે છે. બે દિવસ પછી શિશ્ન પરથી સફેદ સૂકી પોપડીઓ જેવું નીકળે છે. આવું આઠ-દસ દિવસ સુધી ચાલે છે અને પછી આપમેળે સારું થઈ જાય છે. પત્ની સાથે સંભોગ કરું છું ત્યારે આવું થાય છે. મારી વાઇફને પણ આવી જ રીતે ખંજવાળ આવ્યા કરે છે.
હમણાંથી મને ઉત્તેજના આવવામાં પણ વાર લાગે છે. શું અમને બન્નેને કોઈ ગુપ્ત રોગ થયો હશે? હસ્તમૈથુન કર્યા પછી આવું નથી થતું. યોગ્ય દવા અને માર્ગદર્શન આપવા વિનંતી.સૌથી પહેલાં તો તમારું શુગર ચેક કરાવી લો. ભૂખ્યા પેટે અને જમ્યા પછી બે કલાકે લોહીનું પરીક્ષણ કરાવી લો. બીજું, તમારી પત્નીને પૂછી જોવું કે યોનિમાર્ગમાંથી સફેદ પાણી જાય છે? યોનિમાર્ગની આજુબાજુ ચળ (ખંજવાળ) આવે છે? અન્ડરવેઅર પર સફેદ કે પીળા ડાઘ પડે છે?
જો આમાંથી કોઈ પણ વસ્તુ થતી હોય તો એમ સમજવું પત્નીને યોનિમાર્ગમાં ઇન્ફેક્શન થયું હોઈ શકે. આના ઇલાજ માટે તમારી પત્નીને યોનિમાર્ગમાં મૂકવાની યોગ્ય ગોળી આપવી જોઈએ. અલબત્ત, આ માટે જાતે દવા કરવા કરતાં સારા ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. તેઓ યોનિમાર્ગમાંથી નીકળતા ફ્લુઇડની તપાસ કરીને યોગ્ય સારવાર કરશે. આ સારવાર માત્ર તમારી પત્નીની જ નહીં, તમારી પણ હશે. આ સારવાર દરમ્યાન સમાગમ ન કરવો, જેથી ઇન્ફેક્શનની આપ-લે ન થાય.
યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ ઉત્પન્ન થયા વિના જો ઘર્ષણ કરવામાં આવે તો પણ આમ થાય. ઘર્ષણ ઓછું કરવા માટે ફોરપ્લેમાં વધુ સમય ગાળવો. જો યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન ન થતી હોય તો કોપરેલનું તેલ સારીએવી માત્રામાં લગાડ્યા પછી જ યોનિપ્રવેશ કરાવવો. જો બ્લડ-શુગર વધારે હોય તો એને કાબૂમાં લેવી જરૂરી છે. શુગર વધવાથી ઇન્દ્રિયના રક્તપ્રવાહમાં તકલીફ થઈ શકે છે.