વજન ઘટાડવું હોય તો ક્યારેય ના કરો આ ભૂલ આપોઆપ ઘટવા લાગશે વજન……

જાડાપણાનું કારણ જમવાની આદતને માનવામાં આવે છે. જો તમે જરૂરિયાતથી વધારે ફેટ, સ્વીટ, ફાઈડ ફૂડ, બેક્ડ ફૂડ્સ ખાવ છો તો તેજીથી જાડાપણાનો શિકાર થઈ જાવ છો. ભોજનમાં ફેરફારની સાથે તમારે કેટલીક વસ્તુઓને બિલકુલ પણ ખાવી જોઈએ નહી. વજન બે કારણથી વધે છે, પ્રથમ અસ્વસ્થ ખાનપાન અને શારીરિક ગતિશીલતામાં ખામી. કેટલાક લોકો વજન ઓછુ કરતા સમયે મેહનત તો પૂર્ણ કરે છે, પરંતુ કેટલીક સામાન્ય ભૂલો પણ કરી દેતા હોય છે. જે કારણે જાડાપણુ અથવા વજન ઓછુ થવાની જગ્યાએ વજન વધવા લાગે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને એ વાતની જાણકારી નથી હોતી. તો આવો જાણીએ વજન ઓછુ કરવા માટે કંઈ ભૂલો કરવાથી બચવુ જોઈએ.

Advertisement

વજન ઓછું કરવા માટે લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ અને એક્સરસાઈઝ રૂટિન ફોલો કરે છે પણ ડાયટિંગ દરમ્યાન નબળાઈ ફીલ થાય, આખો દિવસ ભૂખ્યા હોવ એવું ફીલ થાય છે, તો તમે કેટલીક ભૂલો કરી રહ્યાં છો. જેના કારણે તમારા શરીરને પૂરતાં ન્યૂટ્રિઅન્ટ્સ મળતાં નથી અને તેનાથી વજન તો ઘટતું નથી સાથે નુકસાન પણ થાય છે. જેથી વજન ઉતારતી વખતે આ ભૂલો ક્યારેય કરવી નહીં.

વજન ઉતારવું હોય તો ન કરતાં આ કામઆવી ભૂલોને કારણે શરીર થઈ જાય છે નબળુંવજન ઉતારવા આટલી બાબતો જાણી લોઓછી કેલરી લેવીદરેક વ્યક્તિએ રોજ 1200થી 1500 કેલરી ઈનટેક કરવી જોઈએ. જો આનાથી ઓછી કેલરી ઈનટેક થાય તો બોડીમાં નબળાઈ અને ઊર્જાની કમી થાય છે. જેથી પૂરતાં પ્રમાણમાં કેલરી ઈનટેક જરૂરી હોય છે. તો તમે યોગ્ય રીતે ડાયટ ફોલો કરીને વજન ઘટાડી શકો છો.

પ્રોટીન વધુ લેવું.પ્રોટીન મસલ્સ બનાવવા માટે જરૂરી હોય છે પણ શું તમે જાણો છો કે વધુ પ્રમાણમાં પ્રોટીન ડાયટમાં લેવાથી બોવેલ મૂવમેન્ટ બગડે છે, ગભરામણ, બ્લોટિંગ, તરસ લાગવી, દુખાવા જેવી પરેશાનીઓ થાય છે. જેથી માત્ર પ્રોટીન ડાયટ ફોલો કરવું નહીં.અનાજ ન ખાવુંવજન ઘટાડતાં લોકો મોટાભાગે અનાજ ખાવાનું છોડી દે છે. આ લોકો માને છે કે અનાજમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે વજન વધારે છે. પણ અનાજ ન ખાવાથી શરીરમાં ફાયબર, વિટામિન્સ, હેલ્ધી ફેટ અને ન્યૂટ્રિઅન્ટ્સની કમી આવે છે. જેના કારણે નુકસાન થાય છે સાથે જ તમે ખાધું હોય તો પણ ભૂખ લાગી હોય એવું ફીલ થાય છે.

લિક્વિડ પર રહેવુંવજન ઓછું કરવા માટે અને સ્વસ્થ રહેવા માટે લિક્વિડ લેવું જરૂરી હોય છે. પણ એક સપ્તાહથી વધારે લિક્વિડ ડાયટ પર રહેવાથી બહુ જ વધારે નબળાઈ, થાક અને ભૂખ લાગવાની પ્રોબ્લેમ થઈ જાય છે. જેથી લાંબા સમય સુધી લિક્વિડ ડાયટ ફોલો કરવું નહીં.નાસ્તો ન કરવોનાશ્તો ન કરવાથી પાચનક્રિયા ઓથી થઈ જાય છે. આવુ કરવાથી દિવસમાં વારંવાર ભૂખ લાગે છે. જે કારણે ઓવર ઈટિંગ પણ થઈ જાય છે. તમારી આ ભૂલ તમને જાડાપણાનો શિકાર બનાવી દે છે. તેથી દરરોજ નાશ્તો જરૂર કરો અને કોશિશ કરો હેલ્દી વસ્તુ જ ખાવ. સવારે 8 થી 10 ની વચ્ચે નાશ્તો કરો.

વધારે એક્સરસાઈઝ કરવી.ઘણી વખતો લોકોને લાગે છે કે, જેટલી વધારે એક્સરસાઈઝ કરશે તેટલી જલ્દી વજન ઓછુ થશે, પરંતુ આવુ બિલકુલ પણ ન કરો. વધારે એક્સરસાઈઝ કરવાખી ભૂખ વધારે લાગે છે. જેના કારણે માણસ ઓવર ઈટિંગ કરવા લાગે છે. આવુ કરવું વજન ઓછુ કરવાની જગ્યાએ વધારે છે.

ફેટવાળા ફૂડ્સને ન લેવુ.ઘણીવખત લોકો વજન ઓછુ કરવા માટે ફેટવાળા ફૂડ્સને ડાયટમાં સામેલ કરતા નથી, પરંતુ આવુ કરવુ ખોટુ હોય છે. ફેટ તમારા વધારે ખાવાની લાલસાને દબાવી દે છે જેથી તમારુ મેટાબોલિજમ દુરસ્ત રહે છે. તેથી ફેટવાળા કેટલાક ફૂડ્સને પોતાની ડાયટમાં જરૂર સામેલ કરો.

પર્યાપ્ત પાણી પીવુ.વજન ઘટાડવા માટે દિવસભરમાં ઓછામા ઓછુ 8 થી 10 ગ્લાસ પાણી પીવુ જરૂરી છે. જે લોકો આવુ કરતા નથી, તેમનુ મેટાબોલિજ્મ સ્લો થઈ જાય છે. એવામાં આપણે જે ખાઈએ છીએ તે સારી રીતે પચી શકતુ નથી અને ફેટમાં બદલી જાય છે.

સપ્લિમેન્ટ્સ અને દવાઓ લેવી.ઘણાં લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં સપ્લિમેન્ટ્સમાં ફસાઈ જાય છે અને વિચારે છે કે તેનાથી જલ્દી ફાયદો થશે. પરંતું સપ્લિમેન્ટ્સના કારણે શરીરને જે નુક્સાન થાય છે તેના પર ધ્યાન નથી આપતા. માન્યું કે કેટલીક દવાઓ અને સપ્લિમેન્ટ્સ વજન ઓછું કરતા હોય તેવું લાગે પણ તેની અસર ઓછા સમય સુધી હોય છે અને પછીથી તો તે શરૂર ફૂલાવી દે છે.

જંક ફૂડ.જો તમે વજન ઘટાડવા માગો છો તો જંક ફૂડ અને કોઈ પણ પ્રકારનું તળેલો ખોરાક ન ખાઓ. જંક ફૂડને જોઈને સૌના મનમાં લાલચ આવે છે પરંતુ તે ના તો સ્વાસ્થ્ય માટે સારું છે કે ન તો વજન ઓછું કરે છે.માર્કેટમાં મળતાં ઠંડા પીણાં.માર્કેટમાં મળતા કોલ્ડડ્રિંક્સ વજન ઘટાડવાની જગ્યાએ વધારે છે. તેની જગ્યાએ તમે છાશ, સૂપ કે જ્યુસ પીવાની આદત પાડો.

Advertisement