હું 25 વર્ષની અપરિણીત મહિલા છું, મે લોકો સાથે શારી-રિક સંબધો બાંધ્યા છે મને ડર છે કે લગ્ન પછી મને…

સવાલ.હું ૪૦ વર્ષનો છું અને મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે અને તેનો સ્વભાવ ઘણો ઉન્માદિત છે અને તે મારાથી ઉંમરમાં મોટી પણ છે મેં શારીરિક સંબંધની માગણી કરી પરંતુ તેણે એનો અસ્વીકાર કર્યો હતો તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી તો પછી મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું તો મારે શું કરવું.

જવાબ.શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો અને જો બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો તો સાથે સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો.

તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે અને આ કોઇ એવી સમસ્યા નથી જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.

સવાલ.હું ૨૧ વરસનો છું અને મને ૧૯ વરસની એક યુવતી સાથે પ્રેમ છે અને તે મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું અને મને એનો વાંધો પણ નહોતો પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા પરંતુ હું તેના વગર રહી શકતો નથી મારે તેને પાછી મેળવવી છે તો મારે શુ કરવુ જોઇએ.

જવાબ.તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે.

ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે. આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.

સવાલ.હું ૨૦ વરસની છું અને અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે અને મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.

જવાબ.જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી.

પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

સવાલ.મારો છ મહિનાનો પુત્ર અંધારાથી ઘણો ગભરાય છે. લાઇટ બંધ કરતા જ તે રડવા માંડે છે. અને લાઇટ ખોલીએ નહીં ત્યાં સુધી શાંત થતો જ નથી. તેનો આ ડર દૂર કરવા અમારે શું કરવું.

જવાબ.દિવસ રાતનું ચક્ર અથવા તો પ્રકાશ અને અંધારાનું ભાન થતા શિશુને વાર લાગે છે અને આથી તમારા પુત્રનું આ વર્તન અસ્વાભાવિક છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી લાઇટ બંધ કરતા પૂર્વે તેને બાથમાં લઇ વહાલ કરો અને તેની સાથે વાત કરો અને તમારા શિશુને બીજી કોઇ સમસ્યા નથી.

તેની તપાસ કરો અને જો શક્ય હોય તો કોઇ સારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો અને ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે ડર જેવી લાગણીઓ શિશુઓમાં નવ કે દસ મહિના પછી જન્મે છે અને આ પૂર્વે શિશુના રડવા પાછળ કોઇ દુ:ખાવો હોવાની શક્યતા છે.

સવાલ.હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું અને હજુ સુધી મારા લગ્ન થયા નથી અને મારી બહેનપણીના પિતા સાથે મારે શારી-રિક સંબંધ છે અને આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારી-રિક સંબંધો છે.

અને હવે મને આની નફરત થઇ ગઇ છે અને લગ્ન પછી શું થશે એનો ડર લાગે છે અને હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો અને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો.

તમે સે@ક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો. લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.

સવાલ.હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહ-વાસ સુખ માણ્યું નથી.

અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહ-વાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિં@ગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે.

તમે કોઇ નિષ્ણાત સે@ક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ.હું ૩૧ વરસની ડિવોર્સી છું અને છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું અને મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે અને તે પણ મને પ્રેમ કરે છે પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી તે મને છોડી દેશે એનો મને ડર છે તો યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા.

આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે અને હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી તેને માત્ર શરીર સુખમાં જ રસ છે.

અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં અને યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.