જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો અંજીર ખાઓ, તમને મળશે ચમત્કારિક પરિણામ…

આજની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે કોઈ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતું નથી જેના કારણે લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે આ સ્થૂળતાને કારણે તેમને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે જે બાદ તેઓ વજન ઘટાડવા માટે વિવિધ ઉપાયો કરે છે જો તમે પણ વજન ઘટાડવાની તૈયારીમાં છો તો અંજીર ખાવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અંજીર ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને વારંવાર ભૂખ નથી લાગતી આ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

Advertisement

અંજીરમાં રહેલા પોષક તત્વો પાચનતંત્રને ઠીક કરે છે અને તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે દરરોજ અંજીર ખાવાથી પેટની આસપાસની ચરબી ઓછી થાય છે તમે તેને તમારા કેલરી નિયંત્રિત સંતુલિત આહારમાં સામેલ કરી શકો છો તેને સૂકા સ્વરૂપમાં ખા

હૃદયના રોગોથી બચાવે છે.વજન ઘટાડવા ઉપરાંત હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ અંજીર ખાવું ફાયદાકારક છે અંજીરમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે અને તેથી તે બ્લડ પ્રેશરના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે અંજીરમાં હાજર ડાયેટરી ફાઈબરની માત્રા વારંવાર ખાવાથી રોકે છે જેના કારણે રોજની કેલરીની માત્રા વધારે નથી હોતી અંજીરમાં હાજર ફિસિન એન્ઝાઇમ પાચનતંત્ર માટે સારું છે આ ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે.

અંજીરમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે તેથી તે કસરત દરમિયાન સ્નાયુઓમાં હાજર વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે અંજીર ખાવાથી તમને હૃદયની બીમારીઓથી પણ બચાવે છે.

ચયાપચય માટે ખાય છે.તેમાં હાજર કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ મેંગેનીઝ કોપર અને મેગ્નેશિયમ જેવા ખનિજો વજન ઘટાડવામાં ફાયદાકારક છે આ ઉપરાંત અંજીરમાં વિટામિન A અને B પણ ભરપૂર માત્રામાં હોય છે જે મેટાબોલિક રેટ વધારવામાં મદદરૂપ થાય છે.

આયુર્વેદમાં અંજીરને ઠંડુ ઔષધ કહ્યું છે, જયારે યુનાની દેશમાં ગરમ ઔષધ કહેવાયું છે. અંજીરના ઝાડ ૪ થી ૫.૫ મીટર ઊંચા હોય છે. મુખ્યત્વે અંજીર અફઘાનિસ્તાનના કબુલ માં વધુ ઉત્પન્ન થાય છે ૧૦૦ ગ્રામ સુકાયેલા અંજીરમાં ૨૪૯ કેલેરી, ૩.૩ગ્રામ પ્રોટીન, ૦.૯ગ્રામ ફેટ, ૬૯ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૫.૬ ગ્રામ ફાઈબર હોય છે ૧૦૦ ગ્રામ ફ્રેશ અંજીરમાં ૮૦ કેલેરી, ૧.૩ગ્રામ પ્રોટીન, ૦.૩ગ્રામ ફેટ, ૨૦.૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૨.૨ ગ્રામ ફાઈબર હોય છે.

આમ, ફ્રેશ અંજીર કરતા સુકાયેલા અંજીર વધુ લાભદાયી હોય છે. આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર, શીતળ, પૌષ્ટિક, રક્ત વિકૃતિઓને મટાડનાર, પચવામાં ભારે, વાયુ અને પિત્તનાશક છે.

અંજીર એક મસમી ફળ છે. પણ તે સૂકાયેલા સ્વરૂપમાં આખું વર્ષ મળી રહે છે. અંજીરમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે. વિટામિન એ, બી, ઉપરાંત ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન તેમજ મૅંગેનીઝ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે.

અંજીરનાં વૃક્ષોને ભેજવાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ, બેંગલોર, મૈસૂરમાં તેનું વાવેતર થાય છે પણ ભારતમાં જે અંજીર થાય છે તે બહુ મોટા અને સ્વાદિષ્ટ હોતાં નથી.

અંજીરના લાભ.અંજીર રક્તની શુદ્ધિ કરવામાં ઉપયોગી છે. અંજીર રક્તની શુદ્ધિમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. રક્તના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ રાત્રે 3 નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ બીજ કાઢેલી 15-20 નંગ લઈ, 1 ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી થોડી વાર બાદ થોડું ઠંડુ થાય ત્યારે એ દૂધ ધીમે ધીમે પી જવું અને સાથે સાથે અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા.

અંજીર કબજીયાત માં ઉપયોગી છે. જે લોકો કબજિયાતથી કંટાળી ગયા છે, તેમને આ મુજબ પ્રયોગ કરવો. સવારે ઉઠીને ખાલી પેટે અંજીર ખાવું, અથવા રાતે 1 ગ્લાસ જેટલા દુધમાં એકાદ અંજીર બોળી રાખીને સવારે એ નરમ થયેલું અંજીર દૂધ સહીત ખાઈ જવું એનાથી જૂની કબજિયાતની બીમારી મટે છે.

અંજીર હાડકાના વિકાસ માટે પણ ઉપયોગી છે. અંજીરનું વધારે પડતું કેલ્શિયમ માનવીના હાડકાંને મજબૂત કરે છે. અંજીરથી તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. 2 અંજીરને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખીને સવારે તેનું પાણી પીવાથી અને તે અંજીર ખાઈ જવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધારી શકાય છે.

અંજીર શ્વાસની તકલીફમાં ઉપયોગી છે. શ્વાસ-દમની તકલીફમાં અંજીર સારું પરિણામ આપે છે કેમ કે અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી દમના દર્દીઓ ખુબ લાભદાયક છે. અંજીર અને ગોરખ આમલી આશરે 5 – 5 ગ્રામ જેટલા લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી હૃદય પરનું દબાણ દૂર થાય છે અને શ્વાસ કે દમ બેસી જાય છે.

અંજીર બ્લડ પ્રેશર માટે ઉત્તમ ઔષધ છે. બી.પી ના દર્દીઓ માટે અંજીર બહુ લાભદાયી છે. શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. લોહીની ઉણપના લીધે જેમના હાથ-પગ સુન થઇ જતા હોય તેઓને અંજીર ખાવાથી ફાયદો થશે.

અંજીર હરસ-મસાની તકલીફ દુર કરે છે.જેમને મસામાંથી રક્તસ્રાવ થતો હોય તો તેમણે થોડા દિવસ 2-3 નંગ સૂકા અંજીર રોજ રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ખાઈ જવા પણ ખુબ ચાવીને ખાવા જેથી પરિણામ સારું મળી શકે. એ જ રીતે બીજા 2-3 અંજીર સવારે પલાળી દઈ સાંજે ખાઈ જવા. થોડા દિવસ આ ઉપચાર કરવો પરિણામ ચોક્કસ મળશે રક્તસ્રાવી મસા શાંત થઈ જશે ક્યારેક વધુ દિવસ પણ ઉપચાર શરુ રાખવો પડે તો રાખવો.

અતિશય ખાવું નહીં.અંજીરમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે તેથી જો તમે નાસ્તાને બદલે અંજીર ખાશો તો તમારી કેલરીની માત્રા ઘણી ઓછી થઈ જશે જો કે અંજીર વધારે ન ખાઓ તે જ સમયે તેનો સ્વાદ મીઠો છે તેથી તે ઘણા લોકોને ફાયદો કરશે નહીં.

Advertisement