નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એલચી ખાવાથી કયા ક્યાં ફાયદા થાય છે, એલચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચામાં પણ એલચી નાખીને પીવામાં આવે છે. પરંતુ એલચીના માત્ર આટલા જ ફાયદા નથી. જો તમે એલચી ખાયને ગરમ પાણી પીલો છો તો તમને તેના ડબલ ફાયદા મળી શકે છે. તો ચાલો જાણીએ રાતના એલચી ખાયને ગરમ પાણી પીવાના ફાયદા.
આયુર્વેદિક એક્સપર્ટના મતે કહેવું છે કે એલચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નાની એલચી કફ, ઉધરસ, અસ્થમા, બવાસીર અને યૂરિનમાં થતી બળતરામાં ફાયદાકારક છે. હાર્ટને હેલ્ધી રાખે છે. માનિસક તણાવ, વોમિટને પણ દૂર કરે છે. મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરી સુગંધિત કરે છે અને પથરીને પણ જડમૂળથી મટાડે છે. રાતના સૂતા પહેલા એક એલચીને ગરમ પાણીની સાથે ખાવાથી ઘણા ફાયદા થાય છે.
પેટ થઈ જશે અંદર:- જો તમારું પેટ નીકળેલું છે અને તમે તેને અંદર કરવા ઈચ્છો છો તો રાતના 2 એલચી ખાયને ગરમ પાણી પી લો. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B1, B6 અને વિટામિન C બોડીના એક્સ્ટ્રા ફેટને ઓગાળી દે છે. તેમજ તેમાં રહેલા ફાઇબર અને કેલ્શિયમ વજન પણ કંટ્રોલ કરે છે. તો એલચી ખાયને ગરમ પાણી પીવાનું ભૂલતા નહીં.
જો તમને અપચાની સમસ્યા છે તો બેથી ત્રણ એલચી , આદુનો નાનો ટુકડો, થોડું લવિંગ અને ધાણાના બીજ લો. તેને યોગ્ય રીતે પીસીને ગરમ પાણી સાથે ખાવ. અપચો, સોજા અને ગેસ માટે ત્વરિત ઉપચાર છે. જો તમારાં મોંઢામાંથી દુર્ગંધ આવે છે અને ઉપચારની દરેક કોશિશ કરી ચૂક્યા છો તો એકવખત એલચી ખાઇ જૂઓ. આ મસાલામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ, તામસી સ્વાદ અને એક ભીની મહેક છે. આ સિવાય તે પાચનતંત્રમાં સુધાર લાવે છે જે દુર્ગંધનું મુખ્ય કારણ છે. આ સમસ્યાના મૂળ કારણોને દૂર કરવામાં ખૂબ પ્રભાવશાળી છે. દરેક વખતે ભોજન બાદ એલચી ખાવાનો આગ્રહ રાખો. આનાથી પાચનતંત્ર મજબૂત બનશે અને ડિટોક્સિફાઇડ કરવા માટે વૈકલ્પિક રૂપથી દરરોજ સવારે એલચી ની ચા પણ પી શકો છો.
એલચી માં રહેલા આવશ્યક તેલ એસિડિટીના ઉપચાર માટે મહત્વનું સાબિત થાય છે અને તે તમારાં પેટના મ્યુકોસલ લાઇનિંગને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમારાં મોંઢામાં આવશ્યક લાળ પેદા કરવા માટે પણ એલચી ફાયદાકારક સાબિત થાય છે. એલચી માં રહેલા તેલ તમારી લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જેનાથી તમારું પેટ યોગ્ય રીતે કાર્ય કરે છે. જેના પરિણામે તમારી ભૂખ સુધરે છે અને એસિડિટી ઓછી થાય છે.
એલચી માં રહેલા તેલમાં એક ઠંડો સ્વાદ રહેલો હોય છે જે એસિડિટીમાં થતી જલનમાં રાહત આપે છે. નિયમિત રીતે ભોજન બાદ એલચી ચાવવાનો આગ્રહ રાખો. એસિડિટીને દૂર કરવાની આ સૌથી યોગ્ય રીત છે. ઉપરાંત ભોજન લીધા બાદ તરત બેસી ન જાવ, એલચી ખાતા-ખાતા ફરવાનો આગ્રહ રાખો.
એલચી તમારાં ફેફસામાં બ્લડ સર્ક્યુલેશન વધારીને શ્વાસ સંબંધિત સમસ્યાઓ જેમ કે, અસ્થમા, ખાંસી અને શરદી વગેરેથી રાહત અપાવે છે. આર્યુવેદમાં એલચી ને એક ગરમ મસાલો ગણાવામાં આવ્યો છે. જે શરીરને અંદરથી ગરમી આપે છે અને કફને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જામ થવા દેતી નથી. ખાંસી અથવા છાતીમાં કફ જમા થઇ જવાના લક્ષણોથી રાહત મેળવવા માટે એલચી સૌથી પ્રાકૃતિક ઉપચાર છે. આ સમસ્યામાંથી બહાર નિકળવા માટે તમે ગરમ પાણીની વરાળ વેતી વખતે એલચી ના આવશ્યક તેલના થોડાં ટીંપા નાખો.
પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજોથી ભરપૂર એલચી આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ માટે એક સોનાની ખાણ છે. પોટેશિયમ તમારાં રક્તસંચાર, શરીરના તરલ પદાર્થ અને કોશિકાઓનું એક મુખ્ય તત્વ છે. આ આવશ્યક ખનિજોની પ્રચૂર માત્રામાં આપૂર્તિ કરવા માટે એલચી તમારાં હૃદયના ધબકારાને નિયમિત કરવામાં મદદ કરે છે અને બ્લકસર્ક્યુલેશનને નિયંત્રિત રાખે છે. તમારાં હૃદયના સ્વાસ્થ્ય લાભ માટે તમારાં દૈનિક ભોજનમાં એલચી ને શામેલ કરો અથવા માત્ર એલચી વાળી ચા પીતા રહો.
તાંબુ, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક ઘટકો એલચી માં રહેલા છે. લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં અત્યાધિક મહત્વ માટે પ્રચલિત તાંબુ, આર્યન, રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન સાથે એનિમિયાથી લડવામાં મદદ કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં એક અથવા બે ચપટી એલચી પાવડર અને હળદર મેળવો. જો તમે ઇચ્છો તો સ્વાદ માટે ખાંડ મેળવી શકો છો. એનિમિયાના લક્ષણો અને કમજોરીથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે પીવો.
એલચી ખનિજ મેંગનિઝનો એક પ્રમુખ સ્ત્રોત છે. મેંગનિઝ આ એન્ઝાઇમના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે જે મુક્ત કણોને સમાપ્ત અને નષ્ટ કરે છે. આ સિવાય, એલચી માં વધારે મજબૂત ડીટોક્સિફાઇડ કરવાના ગુણ હોય છે, જે શરીરને સાફ રાખે છે અને કેન્સર જેવી બિમારીઓથી બચાવે છે. તમારાં શરીરને ડિટોક્સિફાઇડ કરવા માટે આ આર્યુર્વેદિક ડીટોક્સ આહારનો ઉપયોગ કરો. વિકલ્પ તરીકે તમે એલચી ના વધારે લાભ મેળવવા માટે તમે દૈનિક આહાર અને ચામાં પણ નાખી શકો છો.
એલચી એક શક્તિશાળી ઉત્તેજક ટોનિક છે. એલચી શરીરને મજબૂત બનાવે છે એટલું જ નહીં યૌન રોગ જેવા પૂર્વ સ્ખલન અને નપુંસકતા પણ દૂર કરે છે. એલચીના બીજને દૂધમાં ઉકાળો, એકવખત યોગ્ય રીતે ઉકાળીને આ મિશ્રણને મધમાં નાખો. યૌન રોગથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે આ કાઢાનું સેવન કરો.
એલચીના દાણા અને સાકરને બરાબર માત્રામાં લઈને પીસી લો. તે બાદ તમારે તે ત્યારબાદ ચાર ગ્રામ જેટલાં ચૂર્ણને એરંડિયાના તેલ સાથે ભેળવી અને તેનું સેવન કરો. તમને જણાવીએ એ કે તે આમ કરવાથી તમારા મસ્તિસ્ક અને આંખોને ઠંડક મળે છે અને તમારા આંખોની રોશની તેજ થાય છે.
એલચી થી તો કફ પણ મટાડી શકાય છે, કફની સમસ્યા દૂર કરવા માટે એલચીના દાણા ને સિંધવ નમક, ઘી અને મધ સાથે ભેળવીને પીવાથી કફની સમસ્યામાંથી રાહત મળે છે. એલચીના દાણા ને જાવિત્રી, બદામ અને ગાયના માખણ તથા સાકરની સાથે ભેળવીને દરરોજ સવારે તેનું સેવન કરવાના કારણે તમારું વીર્ય મજબૂત બને છે. એલચી ના દાણાનું ચૂર્ણ બનાવી મધની સાથે ભેળવીને ખાવાથી પેશાબમાં થતી બળતરા માંથી રાહત મળે છે.