website

websiet

ajab gajab

મોટા ભાગ ની મહિલાઓ આવી રીતે બાંધવા માંગે છે શારીરિક સંબંધ,પણ મોટા ભાગ ના પુરુષો આવું નથી કરી શકતા..

મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ મારા પર નજર રાખ્યા કરે છે. એકવાર તો તેણે મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો. આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે. જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું. મને એનામાં જરા પણ રસ નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.એક યુવતી.આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે. તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે. તે તમારો પીછો કરે છે.

આ વાત ચિંતા ઉપજાવે એવી છે.આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે.શક્ય હોય તો તેનો સામનો કરી એને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે એ તમારો પીછો નહીં છોડે તો તમારે ફરિયાદ કરવી પડશે. આ ઉપરાંત તમારા પરિવારના વડીલોથી આ વાત છૂપાવો નહીં. તેમનો ટેકો તમને ઘણો ઉપયોગી થઇ શકે છે. ગુ્રપમાં ફરવાનું રાખો. ઘરે જતી વખતે પણ એકલા જાવ નહીં. તેમજ તમારો સમય બદલી નાખો.

હું ૧૯ વરસની છું. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું. ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી. આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું.

આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે. આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં? ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે.એક યુવતી.ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો ઇલાજ પણ થઇ ગયો છે. આથી ચિંતા છોડી દો.

સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.વાચકો દ્વારા વારંવાર જાતીય સંબંધ અને રતિક્રીડા અંગેના સાચા ખોટા, ભેદભરમવાળા પ્રશ્નો પૂછાય છે.

ઘણા વાચકો શરમના માર્યા પોતાના નામ-ઠામ પણ જણાવતાં નથી. આવા કેટલાંક નનામા પત્રોના જવાબ અહીં આપ્યાં છે.પ્રશ્ન: પતિ-પત્ની બંને જાતીય સંબંધોમાં વર્તાતી ઉણપ બાબત એક બીજા પર દોષારોપણ કરે ત્યારે ચિકિત્સકે આવી બાબતોનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ.

ઉત્તર: આ પ્રકારની સમસ્યાથી પીડાતા દંપતીને સલાહ આપતી વખતે ચિકિત્સકે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને દોષિત ઠેરવવાથી બચવું જોઈએ. તેણે સમસ્યાના મૂળમાં જઈને તપાસ કરવી જોઈએ કે તેનું મૂળ કરાણ શું છે.ખોટી માન્યતાઓ? પરસ્પર સંબંધોમાં તાણ? શત્રુતા?ઉપેક્ષાની નિરાધાર ભાવના? ચિકિત્સકે આખા સંબંધને અખિલાઈમાં જોઈને ચાલવું જોઈએ.

કોઈ એક પક્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરતાં તેણે તેમની વચ્ચે ઊભી થયેલ દીવાલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ન તો તેમનું જીવન નષ્ટ થાય ન તેમનો સંબંધ.હું ૨૫ વર્ષની પરિણીતા છું અને મારે ત્રણ વર્ષની એક પુત્રી છે. મારા સ્તન પહેલેથી જ નાના હતાં, પરંતુ ડિલીવરી પછી ખૂબ લબડી પડયા છે. મેં સાંભળ્યું છે કે એવી દવાઓ મળે છે જેનાથી લબડી ગયેલા સ્તન ફરીથી પહેલાં જેવા બનાવી શકાય છે.મહેરબાની કરીને આ વિશે સંપૂર્ણ જાણકારી આપો જેથી કરીને મારાં સ્તન સુંદર અને સુડોળ બની શકે.એક યુવતી.

પ્રસૂતિ પછી બાળકને દૂધ પીવડાવવાથી સ્તનના આકારમાં અમુક ફેરફાર થાય એ સ્વાભાવિક છે. આવા પરિવર્તનોથી નથી બચી શકાતું કે કોઈ દવાથી એને દૂર કરી શકાતું.હજુ સુધી એવી કોઈ ભરોસાપાત્ર દવા અથવા ક્રીમ શોધી શકાયાં નથી કે જે મનગમતું પરિણામ આપી શકે. સ્તનને મનગમતો આકાર આપવાનો જો કોઈ ઉપાય હોય તો એ છે કોસ્મેટિક સર્જરી. તમે કોસ્મેટિક સર્જનને મળો અને ઓપરેશનના ફાયદા અને મર્યાદાઓ સમજીને યોગ્ય નિર્ણય લો.

પ્રશ્ન: કામેચ્છામાં ઘટાડો આવવાનાં કયાં-કયાં કારણો હોય છે?ઉત્તર: આ ઘટાડો ઘણાં કારણોને લીધે હોઈ શકે.જેમ કે સાથી પસંદ ન પડયો હોય. તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા હોય. ક્યારેક ગર્ભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા સેક્સથી ફેલાતા રોગોના ભયથી પણ નિરાશા આવી શકે છે.

વિવાહ અને નીરસતાને કારણે પણ આ ઘટાડો આવી શકે.લિવરની બીમારી અથવા અંડાશયી વિકૃતિને કારણે પણ કામેચ્છામાં કમી આવી શકે. આંતરસ્ત્રાવી (એન્ડોક્રાઈન) ગરબડ અને હાઈબ્લડપ્રેશર વિરોધી દવાઓ સાઈકોટ્રોપિક, સિમેટીડીન દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવતી હોય છે.

ડાયાબિટિસના દરદીઓમાં પણ કામેચ્છામાં ઘટાડો.હું ૩૫ વર્ષની પરિણીતા છું. મારા પતિની ઉંમર ૪૦ વર્ષની છે. અમારા લગ્નને ૧૪ વર્ષ થયાં છે. અમારે બે બાળકો છે. અમારું લગ્નજીવન સુખરૂપ છે, પરંતુ મારી સમસ્યા એ છે કે મારા પતિ ઘણા જ જલદી સ્ખલિત થઈ જાય છે. જેના કારણે મને ચરમસુખ પ્રાપ્ત થઈ શકતું નથી.

અમે સ્ટોપ સ્ટાર્ટ અને સ્ક્રુઈઝ રીત પણ અજમાવી જોઈ, પરંતુ કોઈ ફાયદો ન થયો. જ્યારે તે ક્લાઈમેક્સ અથવા ઓન્લી મી જેવા સ્પ્રેનો ઉપયોગ કરે ત્યારે તેમને જરૂર ફાયદો થાય છે અને હું પણ સંતોષ પ્રાપ્ત કરી શકું છું.મેં એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે પુરુષ જો જાયલોકેનનો ઉપયોગ કરે તો શીધ્રસ્ખલનની સમસ્યાનું નિવારણ થઈ શકે છે.

પ્રશ્ન: સ્ત્રી અચાનક ક્યાં કારણોથી ફ્રિજિડ (મંદકામ) થઈ જાય છે?

ઉત્તર: મોટાભાગના લોકો ફ્રિજિડિટી શબ્દનો પ્રયોગ સ્ત્રીની કામેચ્છા અથવા ઓર્ગેઝમની કમી દર્શાવવા માટે કરે છે. કોઈપણ સ્ત્રી આ કારણોને લીધે મંદકામ થઈ શકે છે. ગભરામણ, પરેશાની કરનાર વૈયક્તિક સંબંધો, હાઈ બ્લડપ્રેશરશામક દવાઓ, ઉંઘની ગોળીઓ, ક્યારેક-ક્યારેક ગર્ભનિરોધક ગોળીઓ, મોર્ફિન, હેરોઈન, બ્રાઉન સુગર અને બાર્બિચ્યુરેટ્સ (મુર્ચ્છા વખતે ઉપયોગી દવાઓ) વગેરેનો પ્રયોગ પણ સ્ત્રીની કામેચ્છાને ક્ષીણ કરે છે.

સંભોગ દરમિયાન, કોઈપણ કારણે યોનિમાં થતો દુખાવો પણ સ્ત્રીને મંદકામ બનાવી શકે. રજોનિવૃત્તિ, ભલે તે અંડાશક્રિયાના અચાનક કમી થવાને કારણે હોય અથવા સર્જરીને કારણે હોય, તો પણ મોટેભાગે કામેચ્છા ઘટાડે છે.હવે અમને એ ચિંતા થવા લાગી છે કે વારંવાર સ્પ્રેનો ઉપયોગ કરવાથી મારા પતિના સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર તો નહીં થાય ને? અમે અન્ય ઉપાયો શોધી રહ્યાં છીએ. શું વિયાગ્રા ઉપયોગમાં લઈ શકાય?એક પત્ની.

શીઘ્રસ્ખનલનની સમસ્યા મુખ્યત્વે મનોવૈજ્ઞાાનિક છે.જાતીય જીવન સક્રિય થતા શરૂઆતના દિવસોમાં જો સમાગમ પ્રક્રિયા પૂરતી કરવાની ઘણી ઉતાવળ તથા માનસિક દબાણ હોય ત્યારે આ બાબત બને છે. જે કિશોર છુપાઈને ઉતાવળમાં હસ્તમૈથુન કરે છે અને સ્ખલિત થવામાં ઉતાવળ કરે છે તે વિવાહિત જીવનમાં પણ તાણમુક્ત થઈ શકતો નથી.જો તમારા પતિ પેલ્વિક ફલોર એક્સરસાઈઝ અજમાવી જાશે તે સારું પરિણામ મળશે. આ એક્સરસાઈઝ કરવાની રીત ઘણી સરળ છે.

શિશ્નના સ્નાયુઓને મૂત્રત્યાગની ક્રિયાને રોકી રાખતા હો તે રેતી સંકોચી રાખો અને છ સુધીની ગણતરી કર્યા બાદ તેને ઢીલા છોડી દો. ફરી છ સુધી ગણો. ફરી આ જ વ્યાયામ કરો. પહેલાં દિવસે ૧૦ થી ૧૨ વાર અને તે પછી ક્રમશ: વધારીને સવારસાંજ ૨૦ થી ૨૫ વાર સતત છ અઠવાડિયા સુધી કરવાથી આ પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.જાયલોકેન એક પ્રકારનું સ્થાનિક સંવેદનહારી એનેસ્થેટિક છે. તેનાથી અનુભૂતિ મંદ થાય છે.સ્ખલન ક્રિયા પરનું નિયંત્રણ સારું બનતું નથી.

આના પ્રયોગથી સ્ત્રીના જાતીય સુખમાં પણ વિઘ્ન ઊભું થઈ શકે છે.આ પરિસ્થિતિમાં સિલ્ડનાફિલ સાઈટ્રેટ (વિયાગ્રા) ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ આ એક પ્રિસ્ક્રિપ્શન ઔષધિ છે, જે ડોક્ટરની સલાહ લઈને લેવી જોેઈએ. જે વ્યક્તિને હૃદયરોગ હોય, હાઈ બી.પી. હોય અથવા એવી દવા ચાલતી હોય જેની સાથે સિલ્ડનાફિલ સાઈટ્રેટ લેવાથી દવાના આંતરિક રિએક્શનનો ભય હોય તેના માટે આ જોખમકારક સાબિત થઈ શકે છે.

પ્રશ્ન: સંભોગ દરમિયાન યોનિના બેહદ ભીના થવાનાં શા કારણો હોઈ શકે?

ઉત્તર: શરીરવિજ્ઞાાન અનુસાર યોનિની દીવાલો કામોત્તેજના દરમિયાન ભીની થઈ જાય છે. આ ભીનાશ ચરમ કામોત્તેજનાની કેટલીક સ્થિતિઓમાં અથવા યોનિમાં ચેપ એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય. સાધારણ રીતે તો યોનિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઉત્તેજના વધી હોવાનું દર્શાવે છે.

પ્રશ્ન: ઢીલી યોનિનો શો ઉપાય છે?

ઉત્તર: સામાન્ય રીતે ડિલીવરી પછી યોનિ ઢીલી થઈ શકે છે. યોનિના સ્નાયુઓને સુગઠિત કરવા માટે કેગલ દ્વારા બતાવવામાં આવેલ વ્યાયામ સહાયક સિધ્ધ થઈ શકે. આમાં મુખ્ય સ્નાયુઓને સંકોચીને, પેશાબ રોકવો તેમજ ફરી છોડવો સામેલ છે.આ રીતે ૨૦ વખત સંકોચન પ્રસરણ, દિવસમાં ત્રણ વખત કેટલાંક સપ્તાહ સુધી કરવાથી યોનિની ઢીલાશ ઓછી થઈ શકે છે.

પ્રશ્ન : હું ૨૧ વર્ષની યુવતી છું અને છેલ્લાં બે વર્ષથી ચોવીસ વર્ષના એક યુવાનના પ્રેમમાં છું. સમસ્યા એ છે કે મારો બોયફ્રેન્ડ હતાશ થઈ ગયો છે. તેની દાઢી પર તથા છાતી પર પૂરતા વાળ ન હોવાથી તે નાનમ અનુભવે છે. આ સમસ્યાને કારણે તેનું મન એકાગ્ર થઈ નથી શકતું.મેં વાળના બહેતર વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર વિશે વાંચ્યું છે, પરંતુ એના કોઈ નિષ્ણાત વિશે નથી જાણતી. મને એવા ડૉક્ટરોનાં સરનામાં આપવા વિનંતી.મારે એ પણ જાણવું છે કે આ ઉપચારથી કોઈ આડઅસર થાય છે?એક યુવતી.

ઉત્તર: હું ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર લેવાની સલાહ નથી આપતો, કારણ કે શરીરમાં થતા રહેતા પોષક પદાર્થોના રાસાયણિક પરિવર્તનને લગતો (મેટાબોલિક) અને વૈદકીય (ક્લિનિકલ), પુરાવો ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ન દર્શાવતો હોય તો આ સારવારથી ફાયદા કરતાં નુકસાન વધારે થશે.

તમે હજી લગ્ન ન કર્યાં હોવાથી અને તમને બાળકો ન હોવાથી હું તમને ટેસ્ટોસ્ટેરોન લેવાની સારવારથી દૂર રહેવાની.ભલામણ કરું છું, કેમ કે એનાથી વીર્ય કે ધાતુ ખૂબ ઘટી જાય છે. એ માટે બીજા બહેતર વિકલ્પો છે. તમે કોઈ મેડિકલ કોલેજમાં એન્ડોક્રાઈનોલોજિકલ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને સારવાર લઈ શકો છો.

પ્રશ્ન: શું કેટલીક સ્ત્રીઓ ગુદામૈથુન પસંદ કરે છે? જો હા, તો કેમ?

ઉત્તર: હા, કેટલીક સ્ત્રીઓને ગુદામૈથુન સારું લાગે છે. આનાથી પુરુષ સ્ત્રીના સ્તન તેમજ યોનિની દીવાલમાં વધુ ઉત્તેજના પ્રદાન કરી શકે છે અને યોનિ કરતાં ગુદા પર સારી પકડ મળી શકે.જે સંભોગ સુખને વધારે છે. તેને ઉત્સુકતાવશ અથવા નવા અનુભવને ખાતર પણ પસંદ કરે છે.

પ્રશ્ન: હું ૨૭ વર્ષનો છું. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધતી વખતે પ્રેગ્નન્સીની ચિંતા રહ્યાં કરે છે. મારા મેરિડ ફ્રેન્ડ્સનું કહેવું છે કે ડોગી પોઝિશનમાં સમાગમ કરીને બહાર વીર્યસ્ખલન કરવાથી પ્રેગ્નન્સીનું રિસ્ક ઘટી જાય છે. શું આ સાચું છે? એક વાર અમે અબોર્શન કરાવી ચૂક્યા હોવાથી ફરી રિસ્ક લેવું મુશ્કેલ છે.પાછળથી વજાઈનામાં પેનિટ્રેટ કરતાં ફાવતું નથી એટલે એનલ સેક્સ જ થઈ શકે છે. એ પોઝિશનમાં સમાગમ કરવાથી તેને વધુ દુખાવો થાય છે.જોકે એ પોઝિશનમાં પ્રેગ્નન્સીની શક્યતા નહીંવત હોવાથી અમે ઘણી વાર એમાં જ સમાગમ કરીએ છીએ. એનલ સેક્સમાં પેઈન ઘટાડવા શું થઈ શકે? ડોગી પોઝિશનમાં વજાઈનલ સેક્સ કરી શકાય એ માટે શું કરી શકાય?

જવાબ: તમે એક વાત સમજી લો કે પ્રેગ્નન્સી રહેવાને અને સમાગમની પોઝિશનને કોઈ જ લેવાદેવા નથી. એટલે જ પ્રેગ્નન્સીથી બચવા સમાગમની પોઝિશન બજલવાથ કોઈ ફરક નહીં પડે. તમે કોઈ પણ પોઝિશન અપનાવીને વીર્યસ્ખલ બહાર કરો તો પણ પ્રેગ્નન્સી ૧૦૦ ટકા ટળતી નથી.તમારે અનવોન્ટેડ પ્રેગ્નન્સી ટાળવી હોય તો કોન્ડોમ ઈઝ ધ બેસ્ટ ઓપ્શન.

માટે પરાણે પાછળથી યોનિપ્રવેશ કરાવવાની કોઈ જરૂરિયાત નથી. કૉન્ડોમ વાપરો અને જો વારંવાર ફાટી જવાની કે સરકી જવાની તકલીફ થતી હોય તો ગર્લફ્રેન્ડને ઓરલ કોન્ટ્રોસેપ્ટિવ પિલ્સ લેવાનું કહો.એનલ સેક્સ પીડાદાયક હોવા છતાં પ્રેગ્નન્સી ટાળવા માટે થઈને એ કરવું યોગ્ય નથી.

વ્યક્તિ સેક્સ માણે છે આનંદ મેળવવા માટે, પણ જો પીડા થતી હોય તો એ સમાગમનો આનંદ ક્યાંથી અનુભવાશે? તમે એનલ સેક્સ કરવાના હો તો પણ કોન્ડોમ વાપરવું મસ્ટ છે,નહીંતર એનાથી ઈન્ફેક્શન્સ અને ચીરા પડવાની સમસ્યા થઈ શકે છે.સેક્સ-પોઝિશનમાં વેરિએશન માણવું હોય તો બન્ને પાર્ટનરની બોડી-ફ્લેક્સિબિલિટી સારી હોવી જરૂરી છે. જો ન હોય તો નિયમિત સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરીને પગ અને કમરના સ્નાયુઓને કસરત આપો.

પ્રશ્ન: શું સ્ત્રીએ યોનિ-વોશ અથવા દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ?ઉત્તર: ના, આમ કરવાની કંઈ જરૂરી નથી. સાચું તો એ છે કે તેના ઉપયોગથી યોનિક વાતાવરણમાં થયેલ પરિવર્તનથી જન્મેલ ચેપનો ખતરો વધી શકે છે.મોટેભાગે સ્ત્રીઓ દુર્ગંધનાશક તત્ત્વોનો ઉપયોગ યોનિની દુર્ગંધ છુપાવવા માટે વધુ કરતી હોય છે. ચેપને ખતમ કરવા ઓછો. જરૂર છે ચેપના મૂળ કારણને શોધવાની અને પછી તેની સર્વાંગી ઉપાય કરવાની. વસ્તુત: દુર્ગંધનાશક તત્ત્વોના છંટકાવથી બળતરા કે સોજો થવાની સંભાવના વધી જાય છે.

પ્રશ્ન: મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં પણ તેઓ સમાગમ પહલાં મુખમૈથુન કરે છે. ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ મને સંતોષ મળતો નથી.ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે.મને એ વાતની ચિંતા છે કે મુખમૈથુનથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નહીં પડે ને? શું પતિને આ વાતની જાણ કરું.એક પત્ની.

ઉત્તર: સમાગમ પહેલાં ક્યારેક ક્યારેક મુખમૈથુન કરવું એ ખરાબ નથી, પરંતુ તે આદત બની જાય એ બરાબર ન કહેવાય. જાતીય સુખ પર પતિપત્ની બંનેનો અધિકાર છે. તેથી તમે પતિ સાથે આ વિષય પર જરૂર વાત કરો. તે તમારી સંતૃષ્ટિનું જરૂર ધ્યાન રાખશે.

પ્રશ્ન: હું ૨૧ વર્ષની યુવતી છું. મારા મામાના છોકરાને પ્રેમ કરું છું. કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી.તેને આ વાતની જાણ ન થવા દીધી.તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું.

તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી. તેથી મેં ના પાડી દીધી.આ વાતને એક વર્ષ થઈ ગયું છે, ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે.અમારા ઘરે તો આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી.હવે તેના ક્યાંક બીજે લગ્ન થવાના છે.આ સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો.

હું હજુ પણ તેને પ્રેમ કરું છું. આખી જિંદગી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન નહીં આપી શકું કે તેની સાથે સામંજસ્ય પણ નહીં સાધી શકું.એટલે મેં આખી જિંદગી કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે. મારો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવતી.

ઉત્તર: તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો. તમે પણ તેને ભૂલવાનો પ્રયત્ન કરો. સમયની સાથે તમારી જાતીય ઉત્તેજના શાંત થઈ જશે, ત્યારે તમને તમારા પર જ હસવું આવશે. તમે કોઈ બીજા સાથે સામંજસ્ય નહીં સાધી શકો એ ખરેખર તમારી ગેરસમજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *