website

websiet

News

આગામી ત્રણ દિવસ સુધી ક્યાં ક્યાં અને કેવો વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગે કરી આગાહી…..

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગે આગામી દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તેનો નકશો જાહેર કર્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે રાજ્યમાં મોટાભાગે હળવા વરસાદની શક્યતા છે.

આજે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગૂર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આવતી કાલે અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. કાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ દાદરા અને નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગૌર સોમનાથ, દીવમાં થોડા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

શનિવારે પણ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગૂર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

રવિવારે પણ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગૂર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ ચાર દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ બુધવારે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

જેમાં રાજ્યમાં મોટાભાગના સ્થળોએ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી.

હવામાન વિભાગ દ્વારા આજે કરાયેલી આગાહીમાં દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને દીવમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા 3 દિવસથી નર્મદા જિલ્લામાં તોફાની વાતાવરણ બાદ સર્વત્ર વરસાદ વરસ્યો છે.

જિલ્લાના પાંચેય તાલુકામાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ ઠંડક પ્રસરી ગયું છે. આ વર્ષે નર્મદા જિલ્લામાં ખેતીલાયક વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ગત વર્ષે વરસાદે નર્મદામાં આફત લાવી હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ વર્ષે ખેતી માટે યોગ્ય વરસાદ થતાં ખેડૂતો ખુશ છે. આ વર્ષે ખેડૂતો મકાઈ, જુવાર, તુવેર, સોયાબીન, ચોખા જેવા પાકોમાં સારા ઉત્પાદનની અપેક્ષા રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *