પોતાની પત્ની ભાગી ગઈ તો 15 વર્ષની સાડી ના લગ્ન કરાવ્યા જીજા સાથે અને ત્યારબાદ…..
હરિયાણામાં બાળ લગ્નની એક વિચિત્ર ઘટના સામે આવી છે.જ્યાં 15 વર્ષની માસી બહેનના છોકરાની સંભાળ રાખવા લગ્ન કરી રહી હતી કારણ કે છોકારોની માતા કોઈ બીજા સાથે ભાગી ગઈ હતી. ત્યારે આ ઘટના હરિયાણાના સનૌલી ખુર્દ વિસ્તારમાં બની છે જ્યાં એક પિતા તેની સૌથી નાની પુત્રીના લગ્ન તેના 34 વર્ષના જમાઈ સાથે કરી રહ્યો હતો.
તંત્ર દ્વારા બાલ મેરેજ થઇ રહ્યું હોવાની જાણ થતાં અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અધિકારી રજની ગુપ્તાએ જણાવ્યું હતું કે પરિવાર અભણ છે. 15 વર્ષની છોકરી પણ શાળાએ નહોતી ગઈ. આ છોકરીએ કોર્ટ અને મારી ઓફિસમાં નિવેદન આપ્યું છે તે અભણ છે.
તેથી જ તે નિયમો વિષે ખબર નથી. કોર્ટમાં રજૂ કરવામાં લગ્ન બંધ કરી દેવામાં આવ્યા છે. યુવતીને તેના પિતા પાસે મોકલી આપવામાં આવી છે.દીકરીના પિતાએ કહ્યું કે મારી મોટી પુત્રી તેના જમાઈ અને તેના ત્રણ સંતાનોને છોડીચાલી ગઈ છે. ત્રણેય બાળકો 6 વર્ષ, 4 વર્ષ અને 2 વર્ષના છે. અને આ બાળકોની સંભાળ માટે મારી સૌથી નાની પુત્રી સાથે લગ્ન કરવાનું હતું જે 15 વર્ષની છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.ડિંડોલીમાં નાની બહેને મોટી બહેનનો સંસાર ભાંગી નાખ્યો હતો. બહેનની ડિલિવરી માટે નાની બહેન મદદ માટે આવ્યા બાદ બનેવી સાથે લપેટાઈ ગઈ હતી.
નાની બહેને તેના બનેવી સાથે મળીને સગી બહેનને સંતાનો સાથે ઘરમાંથી કાઢી મુકી હતી.પહેલા પુત્રના જન્મ બાદ દહેજ ઓછું લાગવા બાબતે પતિ ત્રાસ આપતો.ડિંડોલીમાં રહેતી 30 વર્ષિય અંજના(નામ બદલ્યું છે)ના લગ્ન 2017માં આરોપી રોશનસિંહ( નામ બદલ્યું છે) સાથે થયા હતા.
લગ્નના સમયે પિતાએ રોકડા બે લાખ અને ત્રણ લાખના સોનાના ઘરેણાં આપ્યા હતા. સંતાનમાં બે દીકરાઓ છે. પહેલા દીકરાના લગ્ન પછી રોશનસિંહ દહેજ માટે અંજનાને ત્રાસ આપતો. અંજનાની બહેન સોનાલી( નામ બદલ્યું છે) એકાદ વખત તેના ઘરે આવી બાદ રોશનસિંગનો સ્વભાવ બદલાઈ ગયો હતો. અંજનાની બીજી ડિલેવરી સમયે સોનાલી મદદ માટે આવી હતી. જેમાં રોશનસિંહ સાળીમાં મોહી ગયો હતો.રોશનસિંહ અને સોનાલીએ અંજના સાથે ઝઘડો કરીને બંને બાળકો સાથે અંજનાને ઘરમાંથી કાઢી મુકી હતી.
સોનાલીએ સગી બહેનને ધમકી આપી હતી કે, તુ હવે આ ઘરમાં આવતી નહીં, જો આવશે તો તારા હાથ-પગ તોડી નાખીશ. અંજનાએ ડિંડોલી પોલીસમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
છૂટાછેડા પહેલા બનેવી સાથે લગ્ન કરી લીધા.સોનાલીએ તેની બહેનને ઘરમાંથી કાઢી મુકી તે પહેલા બનેવી રોશનસિંહ સાથે કોર્ટમાં ગેરકાયદેસર રીતે લગ્ન કરી લીધા હતા. રોશનસિંહે પત્ની સાથે છૂટાછેડા થયા ન હતા છતા તેને સાળી સાથે લગ્ન કરી લીધા હતા. વચ્ચે બંને જણા એકાદ મહિના માટે સુરતથી ભાગી જઈ મુંબઈમાં રોકાયા હતા.
દમણ ફરવા ગયા બાદ જીજાજી અને સાળી વચ્ચે સંપર્ક વધ્યો,પ્રથમ એનિવર્સરી ઉજવવા માટે પ્રિતી અને પ્રદિપ સાળી અસ્મિતા (નામ બદલ્યું છે) સાથે દમણ ફરવા ગયા હતા. જ્યાં પ્રદિપ અને અસ્મિતાએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ મોબાઈલ પર વાતચિત કરતા હતા. પ્રિતીને એમ હતું કે, સાળી તરીકે વાતચિત કરે છે. ત્યારબાદ પ્રદિપનો સ્વભાવ બદલાઈ ગયો હતો અને ખૂબ જ હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
નાનીબહેન મોટીબહેનના જ પતિ સાથે રહેવા લાગી.બીજા પુત્રના જન્મ સમયે બેડ રેસ્ટ લેવાનો હોવાથી મદદ માટે બહેન અસ્મિતા આવી હતી. ત્યારબાદ પ્રદિપ અને અસ્મિતા એક સાથે મળી પ્રિતી સાથે ઝઘડો કરતા હતા. પતિ કહેતો હતો કે, હું તારાથી કંટાળી ગયો છું અને તું મને ગમતી નથી, તું મને છૂટાછેડા આપી દે. તું દહેજ ઓછું લાવી છે કહી મારઝૂડ કરતો હતો. બહેન અસ્મિતા પણ પ્રદિપ સાથે રહેવા લાગી હતી.
પતિએ સાળી સાથે મળી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી, પ્રદિપ અને આસ્મિતાએ ખોટી તકરાર કરી બંને પુત્રો સાથે અસ્મિતાને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. બહેને ધમકી આપી હતી કે, તું હવે આ ઘરમાં આવતી નહીં અને આવશે તો તારા હાથ પગ તોડી નાખીશું. જેથી મોટી બહેન અને બનેવીને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારબાદ પતિ અને બહેન સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.સમાજમાં અમુક કિસ્સાઓ એવા બનતા હોય છે જેના કારણે સંસ્કૃતિને લાંછન લાગે છે. અમદાવાદ શહેરમાં સાળી સાથેના પ્રણયનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના કારણે હવે પતિ-પત્નીનું સરસ અને સુખી લગ્ન જીવન ભંગાણના આરે આવી ગયું છે. બહેન જ બહેનનો ઘરસંસાર તોડી રહી છે. પોલીસ તેમને સમજાવવાની કોશિશ કરી રહી છે પણ તેઓ માનવા જ તૈયાર નથી.
માહિતી મુજબ, અમદાવાદ શહેરના પૂર્વમાં લગ્નેત્તર સંબંધનો એવો કિસ્સો સામે આવ્યો છે જેણે મર્યાદાની તમામ હદો તોડી નાખી છે. અહીં એક પરણિતાએ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી મદદ માંગી છે. કારણ કે તેનો પતિ તેની જ બહેનના પ્રેમમાં પડ્યો, અને તેને લગ્ન કરી ઘરમાં લઇ આવ્યો છે.
બે-બે સંતાનોનો પિતા હોવા છતાં તે બંને બહેનોને પત્ની તરીકે રાખવાનું કહી રહ્યો છે, પરંતુ તેની પત્નીને આ રીતે રહેવું પસંદ ન હોવાનું કહી બબાલ મચાવી છે.મહિલા હેલ્પલાઈન સાથે વાત કરતા પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, પોતે બે સંતાનોની માતા છે. પોતે જ્યારે બીમાર હતી ત્યારે નાની બહેનને સેવા કરવા માટે અહીં અમદાવાદ બોલાવી હતી.
મિત્રો દરમિયાન પતિ અને મારી બહેન વચ્ચે મૈત્રી સંબંધ બંધાયો હતો. થોડા દિવસ પહેલા જ પતિ માતાને લેવા ગામડે જાવ છું કહી અને આજે મારી બહેન સાથે લગ્ન કરી સ્ટેમ્પ પર લખાણ કરી ઘરે આવ્યા છે.
તેણે પોતાની બહેનને ઘર ન ભાંગે તે માટે ખુબ સમજાવવાની કોશિશ કરી પણ છતાં તેઓ ન માનતા તેણીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે પણ યુવક અને તેની બીજી પત્નીને સમજાવ્યા હતા કે આ સમાજ અને કાયદાની વિરુદ્ધ છે. મહિલાએ તેના બહેનનું ઘર ન તોડવું જોઈએ કહેવા છતાં ન માનતા છેવટે પોલીસ ફરિયાદની સમજ આપી હતી.
બંનેને સમજાવ્યા છતાં એકબીજાને છોડવા તૈયાર નથી.પીડિતાએ કહ્યું કે, ઘરે આવતા બંનેને સમજાવ્યા હતા છતાં એકબીજાને છોડવા તેઓ તૈયાર ન હતા. પતિએ તો બંને બહેનોને પત્ની તરીકે જોડે રાખવાનું કહ્યું હતું. પરંતુ મને આ મંજૂર નથી. પતિ અને પીડિત મહિલાની સગી બહેને ઘર તોડતા સહેજ પણ ખચકાટ ન અનુભવતાં હવે આ મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.