website

websiet

ajab gajab

લગ્ન કર્યે મહિના થઈ ગયા છતાં પણ પતિ બાંધતો ન શારીરિક સંબંધ,પણ એક દિવસ એવી હકીકત બહાર આવી કે..

મહિલાઓ સામેની હિંસા દાયકાઓથી ચાલી રહી છે અને આજે પણ ચાલુ છે. જો આપણે દાયકાઓને બદલે સદીઓ કહીએ તો આ વધુ સાચું પડશે. દુનિયા પ્રગતિ કરી રહી છે, પરંતુ આજે પણ મહિલાઓની સ્થિતિ એવી જ છે. ખાસ કરીને ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓમાંથી માત્ર દસ ટકા જ ન્યાય માટે અવાજ ઉઠાવે છે, જેમાંથી ભાગ્યે જ પાંચ-છ ટકાને ન્યાય મળે છે.

નેવું ટકા મહિલાઓ આજે પણ સમાજ, પરિવાર, બાળકો અને કોઈ શું કહેશે તેના ડરથી ચૂપ રહે છે. થોડા સમય પહેલા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, રમીલાબેન (નામ બદલેલ છે) વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના રહેવાસી છે. તેણીએ વર્ષ 2020 માં સુભાનપુરાના રહેવાસી પાર્થ ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. સોનેરી સપનાઓ સાથે ગયેલી રમીલાનું લગ્નજીવન ચાર-પાંચ મહિનાથી સારું ચાલી રહ્યું હતું.

પરંતુ, પતિએ પાર્થ બીના સાથે ચાર-પાંચ મહિનાથી શારી-રિક સંબંધ બાંધ્યો ન હતો. તેથી તપાસ બાદ બીનાને એ જાણીને આંચકો લાગ્યો કે પતિ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી.ફરિયાદમાં જણાવાયું છે કે પાર્થ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ ન હતો, પાર્થના માતા-પિતા અને પરિવારના સભ્યો વિશે માહિતી હોવા છતાં, તેણે રમીલા સાથે લગ્ન કર્યા.

મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સાસુ, સસરા અને નણંદ વચ્ચે ઘરના કામકાજ બાબતે રમીલા સાથે ઝઘડો થયો હતો. સાસુ કહેતી કે તારી માએ તને કંઈ શીખવ્યું નથી. તેણે રમીલાના માતા-પિતાને બોલાવીને રમીલાને લઈ જવા કહ્યું. સમયે સમયે તેને ઘાટ પર મોકલવાની ધમકીઓ મળતી હતી. તેમ છતાં, રમીલાનું સાંસારિક જીવન બરબાદ ન થાય તે માટે દુઃખ સહન કરી રહી હતી.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી-2022માં રમીલાને માસિક ધર્મ ન હતો. તે સમયે તેના સાસુ અને નણંદ મોડે સુધી હસતા હતા. તે સમયે પતિ પાર્થ પણ હાજર હતો. પરંતુ તેની પત્નીને બદલે તેણે તેની માતા અને બહેનને ટેકો આપ્યો. તે જ દિવસે સાસુ, સસરા અને નણંદે રમીલાને કહ્યું કે પાર્થને કેનેડા જવું છે. પિયરથી 10 લાખ રૂપિયા લઈ આવો.

રમીલાએ પોતાની દુનિયા ન બગાડવાના આશયથી લગ્ન સમયે તેના સાથીદારો પાસેથી મળેલા 6 તોલા સોનાના દાગીના બેંકમાં મૂક્યા અને 2.70 લાખ રૂપિયા આપ્યા. ત્યારપછી કેટલાક દિવસો સારા વીતી ગયા.દરમિયાન સાસરિયાઓએ પ્લાન બનાવી બીનાને 15 દિવસ પિયરમાં રહેવા મોકલી અને કહ્યું કે પાર્થ તને લેવા આવશે. પરંતુ, રમીલા પિયર ગયા બાદ પાર્થે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. રમીલા પણ મેસેજનો જવાબ આપી રહી ન હતી.

આથી રમીલાને શંકા જતાં તે માર્ચ-2022માં રમીલાના પિતા, ભાઈ અને કાકા સાથે તેના સાસરે ગઈ હતી. તે સમયે સાસુ અને નણંદે ઘરે આવવાની ના પાડી હતી અને પાર્થ યુએઈમાં હોવાનું જણાવ્યું હતું. અને ત્યાંથી કેનેડા જવા રવાના થવાનો છે. હવે અહી આવવાનું નથી. તેણે ધમકી આપી હતી કે તને ફરીથી લગ્ન કરી લઈશ અને જો તું આવીશ તો તને જીવવા નહિ દઈશ.

ત્યારે રમીલાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી.રમીલાએ પોતાના સાંસારિક જીવનને જીવંત રાખવાના ભરપૂર પ્રયાસો કર્યા છતાં આખરે રમીલાએ મહિલા થાણાનો સંપર્ક કર્યો અને ત્રણ મહિના અગાઉ વિદેશ ભાગી ગયેલા અને સુભાનપુરા, વડોદરા તેના સાસુ, સસરા અને નણંદ સાથે રહેતા તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. યુ જે. જોષીએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આવોજ એક બીજો કિસ્સો,ખેડા જિલ્લામાં પરીણીતાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક દહેજના કંકાસે સુખી સંસારમાં આગ ચાંપી છે. ખેડાના રઢુની દિકરી પાસે તેના સાસરીયાઓએ દહેજ પેટે રૂપિયા 10 લાખ માગ્યા અને તે ન આપતા ત્રાસ આપવામાં આવ્યો હતો.

આટલું પૂરતું નહીં પરંતુ તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પીડીતાએ પોતાના પતિ, સાસુ-સસરા, નાણંદ અને દિયર સામે નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.​​​​​​​ખેડા તાલુકાના રઢુ ગામે રહેતી 28 વર્ષીય B.A, PTC અભ્યાસ કરેલી યુવતીના લગ્ન વર્ષ 2021માં જામનગર ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા પોતાના સાસરીમાં આવી હતી અને લગભગ 15 દિવસ જેટલું અહીયા રહી હતી.

આ દરમિયાન તેઓના કાકા સસરા અને તેણીના સગા નણદોઈ બન્નેનુ મરણ થયું હતું, જેના કારણે સાસુ પોતાની પુત્રવધુને કહેતા હતા કે, તારા પગલાં સારા નથી તારા આવવાથી મારા જમાઈ અને મારા દિયરનું મરણ થયુ છે. તેમ કહી પોતાની દિકરી સમાન પુત્રવધુને મહેણા ટોણા મારતા હતા.

ઉપરાંત નણદોઈના પણ મરણ બાદ નણંદ પણ તારા આવવાથી મારા પતિનું મરણ થયું છે તેમ કહી મહેણા ટોણા મારતા હતા. આ ઉપરાંત સસરા અને સાસુ અવારનવાર ઘરનું કશું કામ આવડતું નથી તેમ કહી તારા પિતાએ લગ્ન વખત કશું આપ્યું નથી જણાવી ઝઘડો કરતા હતા અને તેણીના પતિને ચઢામણી કરતા હતા. જેથી પતિ પણ કહેતો કે, મારે મકાન અને ગાડી લાવવી છે તેથી તું તારા પિયરમાંથી મને 10 લાખ રૂપિયા લઈ આપ.

દિયર પર શક વ્હેમ રાખી પીડિતાના સસરા તેણીની સાથે ઝઘડો કરતા હતા.ગત સપ્ટેમ્બર માસમાં પીડીતાના દાદીનું આકસ્મિક અવસાન થતાં તે પોતાના પિયર રઢુ ગામે આવી હતી. આ દરમિયાન અગાઉથી જ સાસરીયાઓ જણાવ્યું હતું કે, તું આવ તો 10 લાખ રૂપિયા લેતી આવજે અને જો નહીં લાવું તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

આથી સમગ્ર મામલે પીડીતાએ પોતાના પતિ યુવરાજસિંહ રવિરાજસિંહ ઉર્ફે રવિન્દ્રસિંહ જાડેજા, દિયર દિવ્યરાજસિંહ જાડેજા, નણંદ મીનાબા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, સાસુ કનકબેન રવિન્દ્રસિંહ જાડેજા અને સસરા રવિરાજસિંહ ઉર્ફે રવિન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા સામે નડિયાદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસી 498(A), 504, 506 (2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Advertisement Banner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *