આ મહિલાના ઘર ઉપર આવતી હતી ઘણી મુસીબત, માં મોગલ ની માનતા રાખ્યાના થોડાક જ સમયમાં બધી મુસીબતો થઈ ગઈ દૂર…
ભગુડા વારીમાં મોગલના પરચા અત્યાર સુધી લાખો ભક્તોને થયા હશે. માં મોગલ આજે પણ આ કળિયુગમાં હાજર હજુર છે. જે ભક્તો પણ તેમને સાચા દિલથી માને છે. તેમના દરેક કામો માં મોગલ પુરા કરે છે.
માં મોગલે ઘણા એવા લોકોના ઘરે પારણાં બંધાવ્યા છે.કે જેમને 10 વર્ષ સુધી દવાઓ ખાધી હોય અને ડોક્ટરો એ પણ હાથ નીચે મૂકી દીધા હોય.આજે અમે તમને માં મોગલના પરચાની એક સત્ય ઘટના જાણવા જઈ રહ્યા છીએ. ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.
માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે. ચાલો આજે તમને માં મોગલના એક પરચા વિશે જણાવીશું. થોડા દિવસ પહેલા એક મહિલા 10 હજાર રૂપિયા લઈને માનતા પુરી કરવા માટે આવી હતી.
ત્યારે મણિધર બાપુએ મહિલાને પૂછ્યું બેટા તે શું માનતા રાખી હતી. તો મહિલાએ કહ્યું કે બાપુ મારા ઘરમાં એક પછી એક મુશ્કેલીઓ આવતી હતી. તેનાથી ઘણું બધું નુકશાન થતું હતું. આખો પરિવાર છેલ્લા કેટલાય સમયથી પરેશાન હતો.
ઘણા પ્રયત્નો કર્યા છતાં પરિવારની તકલીફો ઓછી થતી ન હતી. તેથી આખરે મને માં મોગલની યાદ આવી અને મે માનતા રાખી કે હે માં મોગલ જો મારા પરિવારમાં બધું જ સારું થઇ જશે તો તમારા મંદિરે આવીને તમારા ચરણોમાં 10 હાજર રૂપિયા ચઢાવીશ. માનતા માન્યાના થોડાક જ સમયમાં મહિલાના ઘરની બધી જ તકલીફો દૂર થઇ ગઈ.
મહિલાએ માં મોગલનો ખુબજ આભર માન્યો. મણિધર બાપુએ મહિલાને તે બધા જ પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે તું મારી દીકરી છે. માં મોગલે તારી બધી માનતાઓ સ્વીકારી. લે આ તારા પૈસા પાછા માં મોગલને તારા પૈસાની કોઈ જરૂર નથી. માં મોગલ પર વિશ્વાસ રાખજો કયારેય માં મોગલ તમારી પર દુઃખ નહિ આવવા દે.
આ સિવાય જો આપણે બીજા પરચા વિશે વાત કરીએ તો મોરબીના આહીર પરિવારે કચ્છના કાબરાઉ મોગલ ધામમાં સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની બાધા રાખી હતી.હે માં જો મારા ઘરે બાળકનો જન્મ થશે તો હું તમને સોનાનું છત્ર અર્પણ કરીશ અને બાધા રાખ્યાના થોડા જ સમયમાં મોરબીના આ આહીર પરિવારમાં માં મોગલના આશીર્વાદથી બે જુડવા દીકરીઓને જન્મ થયો હતો.
દીકરીઓનો જન્મ થવાથી પરિવારનો દરેક સભ્ય ખુબજ ખુશ હતો.આ આહીર પરિવાર પોતાની માનેલી માનતા પુરી કરવા માટે કચ્છના કાબરાઉ મોગલ ધામ આવ્યો હતો.તમને જણાવી દઈએ કે ત્યાં ચારણ બાપુને માનતા પુરે સોનાનું છત્ર અર્પણ કર્યું હતું. તો બાપુ એ તે સોનાનું છત્ર લઇ અને તે પરિવારને પાછું આપી દીધું હતું અને કહ્યું હતું કે તમારી માનતા પુરી થઇ ગઈ.
સોનાનું છત્ર પાછું મળતા આહીર પરિવાર આશ્ચર્યમાં પડી ગયો હતો.તો બાપુએ તે પરિવારને કહ્યું કે બાધા ને આપનાર આ માં મોગલ છે. તેની પાસે તો બધું જ છે. માં મોગલને સોનુ ચાંદી નથી જોઈતું. માં મોગલને તો સાચો ભાવ જોવે છે. માં મોગલ બધાની રક્ષા કરે છે. સાચા મનથી રાખવામાં આવતી દરેક મનોકામના માં મોગલ જરૂરથી પુરી કરે છે.