website

websiet

News

આ યુવકની માનતા પૂરી થતાં યુવક બાળકને હાથમાં લઈને ઘુંટણીએ ચાલીને પોહચ્યો મોગલ ધામ….

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે.

જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે.જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે.પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.

બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે.માં મોગલના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.

માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.

માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે.

એક યુવકે ભગુડા માં મોગલની માનતા માની હતી, હાલ તેની માનતાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક ઘૂંટણીએ ચાલીને માં મોગલના મંદિરે દર્શન કરવાં માટે જઈ રહ્યો છે. અને તેના હાથમાં તેનું બાળક હતું. તેનો પરિવાર પણ તેની સાથે છે.

યુવકને કોઈ સંતાન નહતું તો યુવકે માં મોગલની માનતા લીધી હતી. યુવકે માં મોગલની માનતા લીધી હતી કે જો મારા ઘરે શેર માટીની ખોટ પુરી થશે તો હું માં મોગલ તારા મંદિરે ઘૂંટણીએ ચાલીને મારા બાળક સાથે દર્શન કરાવા માટે આવીશ.

માં મોગલે તે યુવકની માનતા પુરી કરી અને તેના ઘરે શેર માટીની ખોટ પુરી થઈ તો યુવક પોતાની માનેલી માનતા માતા ઘુંટણીએ ચાલીને આવ્યો. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

લાખો લોકોએ આ વિડીયો જોયો અને યુવકની હિંમતની ખુબજ પ્રસંશા કરી હતી. આ યુવકની ભક્તિને સલામ છે, યુવકે માંગેલી માનત અનુસાર ઘુંટણીએ ચાલી ભગુડાવાળી માં મોગલની માનતા પુરી કરવા આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એક યુવક 21 હજાર રૂપિયા લઈને કાબરાઉ માં મોગલની માનતા પુરી કરવા માટે આવ્યો અને મણિધર બાપુને હાથમાં 21 હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે ઘણા સમયથી મારું અધૂરું કામ માં મોગલે પુરી કરી દીધું છે. એટલા માટે હું મારી માનતા પુરી કરવા માટે આવ્યો છું.

યુવકે કહ્યું કે ઘણા સમયથી મારુ એક કામ અધૂરું હતું અને પૂરું નહતું થતું માટે મેં મોગલમાં પાસે માનતા માંગી હતી કે માં મારુ જો આ અટકી ગયેલું કામ પૂરું થઇ ગયું તો હું કાબરાઉ આવીને 21 હજાર રૂપિયા ચઢાવીશ.

યુવકની માનતા પૂરી થઇ ગઈ તો તે તરત જ ત્યાં આવી પહોંચ્યો હતો.અને 21 હજાર રૂપિયા મણિધર બાપુને આપ્યા ત્યારે બાપુએ તેને કહ્યું તારું કામ પૂરું થયું એ કોઈ ચમત્કાર નથી.

માં મોગલ તમારા વિશ્વાસના કારણે તમારું કામ પુરુ થયું છે. આ 21 હજાર રૂપિયા તારી બેનને આપી દેજે માં મોગલ તારી પર રાજી થશે. માં મોગલે તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *