website

websiet

News

જુલાઈ મહિના માં કેવો રહેશે વરસાદ અંબાલાલ પટેલ કરી આગાહી,નવરાત્રી માં કેવો રહેશે વરસાદ જાણો આગાહી..

જુલાઈ માસ સારો વરસાદ રહેવાની સંભવાનાઓ વ્યક્ત કરીને અંબાલાલ પટેલે જણાવ્યું કે, 18, 19 અને 20 તારીખોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. આ વખતનું ચોમાસું નિયમિત ચોમાસાની પેટર્ન કરતા જુદું છે.

બિપોરજોય વાવાઝોડાના કારણે અલગ-અલગ ભાગોમાં હવાના દબાણ બન્યા હતા.આવી અલગ પ્રકારની પેટર્નમાં ચોમાસા અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવી અઘરી છે, પરંતુ વરસાદ જુલાઈ માસમાં સારો રહેવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે.

ઓગસ્ટની શરુઆત અંગે પણ તેમણે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે.છેલ્લા 4-5 દિવસથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે આજે અમદાવાદ અને રાજકોટમાં ઉઘાડ નીકળ્યો છે. જોકે, હવામાન વિભાગે હજુ આગામી 12 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, જુલાઈમાં સૌરાષ્ટ્ર – કચ્છના ભાગોમાં ભારે વરસાદ વ રસી શકે છે. આગામી 13થી 22 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે.

’11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે’અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 12થી 18 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે.

નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે: અંબાલાલ પટેલ

ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા છે. ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના છે. ભારત-પાક. મેચ અને નવરાત્રીને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ વિવિધ ભાગોમાં વરસાદ રહેશે.

આ ચોમાસાનું સરવૈયું કરીએ તો લાબું ચાલવાની શક્યતાઓ છે તેવી અંબાલાલ આગાહી કરી રહ્યા છે. અંબાલાલ પટેલ ગ્રહો અને નક્ષત્રો તથા કુદરતી ફેરફારોના આધારે હવામાન અંગે આગાહી કરતા હોય છે, તેમની આગાહી ખેડૂતો માટે લાભદાયી પણ સાબિત થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *