માં મોગલ નો ચમત્કાર/પત્ની એ માં મોગલ ની માનતા રાખી અને પતિએ દારૂ છોડી દીધો,જાણો માં મોગલ નો પરચો..
કચ્છના કબરાવમાં બિરાજમાન માં મોગલ હાજરાહજૂર ભક્તોને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે લાખો ભક્તો દેશ-વિદેશથી ત્યાં દર્શન કરવા આવે છે માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે.
મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીને તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને મા પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
કબરાવાળા માં મોગલ નો પરચો અપરંપાર છે મા મોગલ ના ધામે ભક્તો આવીને ધન્યતા અનુભવતા હોય છે કબરાવાળા માં મોગલ પાસે સાચા મનથી જે માંગે તે મોગલ માં દરેક ભક્તોને આપે છે.
મા મોગલ નો પરચો અવારનવાર સામે આવતો હોય છે કેટલાક લોકો વિદેશમાંથી પણ માનતા પૂરી કરવા માટે મા મોગલ ધામ કબરાવ આવતા હોય છે આજે અમે તમને એવા જ એક કિસ્સો વિશે વાત કરવા જઈ રહ્યા છે.
જેમાં અમદાવાદના જયદીપભાઇ નામના વ્યક્તિ પોતાની માનતા પૂરી થતા ૫૧૦૦૦ રૂપિયા લઈ માં મોગલના દરબાર આવી પહોચ્યા હતા આ દરમિયાન મણિધર બાપુએ પૂછ્યું હતું કે બેટા શેની માનતા હતા.
ત્યારે યુવકે જણાવ્યું હતું કે હું પહેલા ખૂબ જ દારૂ પીતો હતો અને પરિવારજનો તેનાથી ખૂબ જ હેરાન હતા મારી પત્નીએ માનતા રાખી હતી કે જો મારો દારૂ બંધ થઈ જાય તો મા મોગલના સાનિધ્યમાં ૫૧૦૦૦ રૂપિયા ચડાવશે.
ત્યારે મણિધર બાપુએ આ રૂપિયા અને પરત આપતા જણાવ્યું કે તારા ઘરમાં જો દીકરી હોય તો એને આપી દેજે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમારા પરિવારનો માં મોગલ પર વિશ્વાસ આસ્થા અને શ્રદ્ધા છે.
ખૂબ સારું કાર્ય કર્યું વ્યસનથી દૂર રહો જેનાથી પરિવાર સારી જિંદગી જીવો એટલે જ તો કહેવાય છે કે જ્યાંથી દુનિયાનો અંત આવે ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે આ તો આપનારી આઈ છે આ રીતે માં મોગલે આજદિન સુધી અનેક પરચાઓ આપ્યા છે.
મણીધર બાપુએ કહ્યું કે માં મોગલના અઢારે વરણની માતા છે મા મોગલ પાસે સાચા મનથી જે માનતા રાખો એ ઈચ્છા પ્રગટ કરી માં મોગલ પૂરી કરે છે મા મોગલ નો પરચો લોકો ને મળ્યા જ કરે છે લોકો પૂરી શ્રદ્ધાથી માતાના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે